અજમેર શરીફ દરગાહની અંદર મારપીટ, વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર બાદ અથડામણ, જુઓ વીડિયો

અજમેર દરગાહમાં ઉર્સ દરમિયાન હંગામો અને લડાઈ થઈ છે. રિપોર્ટ મુજબ, વિવાદાસ્પદ સૂત્રોચ્ચારને લઈને આ મારપીટ થઈ છે. જેમાં ખાદિમ અને ઝરીન એકબીજા સાથે લડી પડ્યા. આ લડાઈમાં ઘણા લોકોને ઇજા પહોંચી છે. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહમાં 811મી ઉર્સ દરમિયાન આ લડાઈ થઈ છે. રિપોર્ટ મુજબ બરેલવી સમાજના કેટલાક લોકોએ અજમેર શરીફ દરગાહની અંદર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પછી દરગાહના ખાદિમ ગુસ્સે થઈ ગયા અને તેઓ સૂત્રોચ્ચાર કરી રહેલા લોકો સાથે લડાઈ કરવા લાગ્યા. જો કે, સ્થળ પર હાજર પોલીસની દરમિયાનગીરીથી મામલો શાંત થઈ ગયો.

ખરેખર, ખાદીમોનો આરોપ છે કે બરેલવી સમાજના લોકોએ દરગાહમાં સૂત્રોચ્ચાર કર્યા હતા જેનો તે લોકોએ વિરોધ કર્યો હતો. જો કે, કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે દરગાહમાં હાજર જન્નતી દરવાજાની પાસે સૂત્રોચ્ચાર કરનારા લોકોની સાથે ખાદિમોની અથડામણ થઈ ગઈ, જેમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા. આ મામલામાં કોઈ પણ પ્રકારની કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં નથી આવી.

અથડામણ થતાં જ દરગાહના સ્ટેશન ઈન્ચાર્જ અમરસિંહ ભાટી ઘટનાસ્થળ પર પહોંચી ગયા અને બંને પક્ષો સાથે વાત કરીને મામલાને શાંત કરાવ્યો. તેમણે બંને પક્ષોની પણ એકબીજા સાથે વાત કરાવી અને સૂત્રોચ્ચારના કારણે થયેલી અથડામણના મામલાને શાંત કરવી દીધો. જો કે, આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર હવે વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો એકબીજા સાથે લડતા જોવા મળી રહ્યા છે.

દર વર્ષે ઉર્સ પ્રખ્યાત સૂફી સંતોમાંના એક ચિશ્તીની પુણ્યતિથિ પર આયોજન કરવામાં આવે છે. ચિશ્તીને 'ગરીબ નવાઝ'ના નામથી પણ ઓળખવામાં આવે છે. ઉર્સ દરમિયાન અજમેર શરીફ દરગાહમાં મોટી સંખ્યામાં લોકો પહોંચે છે અને ચાદર ચઢાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દર વર્ષે ઉર્સ દરમિયાન પોતાના તરફથી દરગાહ માટે ચાદર ચઢાવવા માટે મોકલાવે છે. આ વર્ષે પણ તેમની ચાદર અહીં, ચઢાવવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.