આ રાજ્યના CMએ સમાપ્ત કર્યુ VIP કલ્ચર, સિગ્નલ પર રોકાશે કાફલો, લોકોને મળશે...

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ઐતિહાસિક નિર્ણય લેતા VIP કલ્ચર સમાપ્ત કરવાની દિશામાં મોટી પહેલ કરી છે. તેમણે DGPને નિર્દેશ આપ્યા છે કે મુખ્યમંત્રી પણ હવે સામાન્ય વ્યક્તિની જેમ ટ્રાફિકમાં ચાલશે. ચોક પર લાલબત્તી થવા પર તેમનો પણ કાફલો સામાન્ય લોકોની જેમ જ રોકાશે. મુખ્યમંત્રીની પહેલ પર લેવામાં આવેલા આ નિર્ણયથી જનતાને VIP મૂવમેન્ટ દરમિયાન થતા જામથી મુક્તિ મળશે. પહેલા જામમાં ફસાવાના કારણે ગંભીર દર્દીઓને સમસ્યા થતી હતી.

ભજનલાલ શર્માની સંવેદનશીલતાથી હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તેઓ પણ લાલબત્તી થવા પર રોડ પર રોકાશે. સરકારના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું કે અતિ વિશિષ્ટ લોકોની અવર-જવર દરમિયાન સામન્ય વ્યક્તિ અને ગંભીર દર્દીઓને થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખતા મુખ્યમંત્રીએ બુધવારે આ નિર્ણય લીધો. મુખ્યમંત્રીએ બુધવારે રાજસ્થાનના DGP યુ.આર. સાહુને આ નિર્ણયના સંબંધમાં નિર્દેશ આપ્યા. જો કે, મુખ્યમંત્રીને પ્રદાન કરવામાં આવેલો સુરક્ષા ઘેરો યથાવત રહેશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ VIP કલ્ચર સમાપ્ત કરવાના હિમાયતી રહ્યા છે. એવામાં સાંગાનેરથી ધારાસભ્ય ભજનલાલ શર્માની આ પહેલને રાજસ્થાનમાં VIP કલ્ચર સમાપ્ત કરવાની દિશામાં પહેલું પગલું માનવામાં આવી રહ્યું છે.

DGP યુ.આર. સાહુએ જણાવ્યું કે, મુખ્યમંત્રીને પ્રદાન કરવામાં આવેલા સુરક્ષા કવરમાં કોઈ બદલાવ નહીં થાય. VIP વ્યક્તિની અવર-જવર દરમિયાન નવી વ્યવસ્થાનો નિર્ણય સામાન્ય લોકો અને દર્દીઓને થતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ એ પણ નક્કી કર્યું કે તેઓ જઇ રહ્યા હોય અને લાલબત્તી થાય છે, તો તેમનો કાફલો લાલબત્તી પર રોકાશે. તેના માટે પણ DGPને નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. તો DGPએ મુખ્યમંત્રી તરફથી મળેલા આદેશ બાબતે જયપુર પોલીસ કમિશનરને જાણકારી આપીને પ્લાન બનાવવા કહ્યું છે.

ભરતપુરના રહેવાસી ભજનલાલ શર્માને ભાજપે પહેલી વખત જયપુરની સાંગાનેર જેવી સુરક્ષિત સીટથી ચૂંટણી લડાવી. પહેલી વખત જ ચૂંટણી જીત્યા બાદ તેમને સીધા જ મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા. આ અગાઉ તેઓ 4 વખત પ્રદેશ મહામંત્રી રહ્યા છે. RSS અને ABVP સાથે જોડાયેલા રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય અશોક લાહોટીની ટિકિટ કાપીને ભજનલાલ શર્માને ચૂંટણી લડાવવામાં આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીત હાંસલ કર્યા બાદ મુખ્યમંત્રી પદ માટે વસુંધરા રાજેનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું, પરંતુ પાર્ટી હાઇકમાને ભજનલાલ શર્માનું નામ આગળ કરીને બધાને ચોંકાવી દીધા હતા.

Related Posts

Top News

શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

ભારતીય ટીમ 5 ટેસ્ટ, 3 વન-ડે અને 3 T20 મેચોની સીરિઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. વિરાટ કોહલી...
Sports 
શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતમાં જરૂરી લાઇસન્સ મળ્યું છે. મસ્કની કંપની છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં તેની સેવા શરૂ...
Tech and Auto 
એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને...
Gujarat 
વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું

સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર...
Gujarat 
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.