રાષ્ટ્રગાનના સમયે વાત કરતા દેખાયા CM નીતિશ કુમાર, ટોકવા છતા ન રોકાયા, વીડિયો વાયરલ

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક વીડિયો સામે આવ્યો છે. નીતિશ કુમાર એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીના મુખ્ય સચિવ દીપક કુમાર પણ ઉપસ્થિત હતા. આ દરમિયાન રાષ્ટ્રગાન શરૂ થયું, ત્યારે નીતિશ કુમાર વાતો કરતા જોવા મળ્યા હતા.

વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર વારંવાર દીપક કુમારને ધક્કો આપીને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને દીપક કુમાર વારંવાર તેમને આંખો આંખોમાં ઈશારો કરતા સીધા ઊભા રહેવા માટે કહી રહ્યા હતા. રાષ્ટ્રગાન દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમાર કેટલાક લોકોને નમસ્તે પણ કરતા જોવા મળ્યા હતા.

Nitish-Kumar1
indiatvnews.com
Nitish-Kumar2
indiatvnews.com

નીતિશના વીડિયો પર આવ્યું તેજસ્વીનું નિવેદન

મુખ્યમંત્રી નીતિશ કુમારના વાયરલ થયેલા આ વીડિયોને લઇને RJDના નેતા તેજસ્વી યાદવે તીખો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, મહેરબાની કરીને ઓછામાં ઓછા રાષ્ટ્રગાનનું અપમાન ન કરો, માનનીય મુખ્યમંત્રી જી. યુવા, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વૃદ્ધોને તો તમે રોજ અપમાનિત કરો જ છો, ક્યારેક મહાત્મા ગાંધી જીના શહીદ દિવસ પર તાળી પાડીને તેમની શહીદીની મજાક ઉડાવો છો, તો ક્યારેક રાષ્ટ્રગાનનું.

તો તેજસ્વી યાદવે નીતિશ કુમારને લઇને કહ્યું કે, તેમને યાદ અપાવી દઇએ કે, તમે એક મોટા રાજ્યના મુખ્યમંત્રી છો. થોડી સેકન્ડ માટે પણ માનસિક અને શારીરિક રૂપે સ્થિર નથી અને તમારું આ બેભાન અવસ્થામાં આ પદ પર બની રહેવું, રાજ્ય માટે ખૂબ જ ચિંતાની વાત છે. બિહારને આમ વારંવાર અપમાનિત ન કરો.

લાલુએ નીતિશને પણ ઘેર્યા

RJDના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે નીતિશ કુમારના વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરતા લખ્યું કે, રાષ્ટ્રગાનનું અપમાન. નહીં સહન કરે હિન્દુસ્તાન. બિહારવાસીઓ હજુ પણ કંઈક બાકી છે.

તો, બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ નીતિશ કુમારની હરકતનો બચાવ કર્યો છે. તેમણે X પર વીડિયો શેર કરતા તેણે લખ્યું કે, બિહાર સહિત દેશનું અપમાન કરનારા લોકો બિહારના માનનીય મુખ્યમંત્રી નીતિશ કુમાર જી પર સવાલો ઉઠાવી રહ્યા છે. એવા લોકોને હું બતાવી દઉં કે લાલુ જી એન્ડ કંપનીએ આપણા બિહાર રાજ્યના નામને ગાળ બનાવી દીધું, પરંતુ નીતિશ કુમારજી જ છે જેમણે બિહારને આંતરરાષ્ટ્રીય મંચ પર સન્માન અપાવ્યું, એક તરફ જ્યાં લાલુજીના શાસનકાળને યાદ કરીને બિહારના લોકો કાંપી ઉઠે છે, તો નીતિશ કુમાર કાલે પણ બિહારને ચાહિતા હતા, આજે પણ છે અને આગળ પણ રહેશે. નીતિશ કુમાર બિહારનું સન્માન છે.

Nitish-Kumar
ndtv.com

નીતિશ કુમાર આ અગાઉ 12 માર્ચે પણ ચર્ચામાં હતા, જ્યારે પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી સાથે તેમની વિધાન પરિષદમાં તીખી નોંકઝોક થઈ ગઇ હતી. રાબડીએ કહી દીધું હતું કે, નીતિશ સદનમાં ગાંજો પીને આવે છે.

About The Author

Related Posts

Top News

EV વાહન લેતા પહેલા વિચારજો... વિશ્વની મોટી કાર કંપનીઓએ EV ઉત્પાદન અટકાવવા વિચારણા શરૂ કરી

વૈશ્વિક ઓટોમોબાઈલ ઉદ્યોગ એક મહત્વપૂર્ણ વળાંક પર આવી ગયો છે. Honda, Ford, General Motors (GM), Stellantis અને Volkswagen જેવી પ્રતિષ્ઠિત...
Tech and Auto 
EV વાહન લેતા પહેલા વિચારજો... વિશ્વની મોટી કાર કંપનીઓએ EV ઉત્પાદન અટકાવવા વિચારણા શરૂ કરી

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે

(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે...
Opinion 
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે

અચાનક એવું શું થયું કે સંસદમાં કાગળ ફેકનારા 7 સાંસદોનું સસ્પેન્શન સ્પીકરે રદ્દ કરી દીધું

લોકસભામાં કાગળો ફાડીને અધ્યક્ષ પર ફેંકવાની ઘટના બાદ, કોંગ્રેસના 7 સહિત આઠ વિપક્ષી સાંસદોને બજેટ સત્રના બાકીના સમય માટે...
Politics 
અચાનક એવું શું થયું કે સંસદમાં કાગળ ફેકનારા 7 સાંસદોનું સસ્પેન્શન સ્પીકરે રદ્દ કરી દીધું

વોટ્સએપ ચેટ્સના આધારે આવકવેરા વિભાગે આપી રૂ. 22 કરોડની ટેક્સ નોટિસ! કોર્ટે જાણો શું કર્યું

દિલ્હી સ્થિત આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ (ITAT)એ આવકવેરા કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં વોટ્સએપ ચેટ્સને આધાર...
Business 
વોટ્સએપ ચેટ્સના આધારે આવકવેરા વિભાગે આપી રૂ. 22 કરોડની ટેક્સ નોટિસ! કોર્ટે જાણો શું કર્યું

Opinion

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.