અતીકની હત્યા બાદ પહેલીવાર જાહેર સમારંભમાં બોલ્યા CM યોગી, જાણો શું કહ્યું

માફિયા અતીક એહમદ અને તેના ભાઈની હત્યા બાદ યુપીના CM યોગી આદિત્યનાથનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, હવે કોઈ અપરાધી વેપારીઓને ધમકાવી નહીં શકે. ઉત્તર પ્રદેશ સરકાર તમામ નિવેશકોની પૂંજીને સુરક્ષિત રાખવામાં સક્ષમ છે. CMએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ વર્ષ 2017 પહેલા દંગા માટે જાણીતું હતું. દર બીજા દિવસે દંગા થતા હતા. 2012થી 17ની વચ્ચે 700 કરતા વધુ દંગા થયા. પરંતુ, 2017 બાદ દંગાની નોબત નથી આવી અને હવે આજે કોઈપણ અપરાધી વેપારીઓને ધમકાવી નથી શકતો.

CM યોગીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશના કલંકને અમે ભૂંસી નાંખ્યો છે. પહેલા કહેવામાં આવતું હતું, જ્યાંથી અંધારુ શરૂ થાય, ત્યાંથી ઉત્તર પ્રદેશ શરૂ થાય. આજે તે દૂર થઈ ગયુ છે. 75 માંથી 71 જનપદ અંધારામાં રહેતા હતા. આજે ઉત્તર પ્રદેશના ગામોમાં સ્ટ્રીટ લાઇટ્સ જગમગે છે.

ટેક્સટાઇલ્સ પાર્કને લઇને MoU કાર્યક્રમ દરમિયાન CM યોગીએ કહ્યું કે, તેઓ વડાપ્રધાનજીનો આભાર વ્યક્ત કરે છે. ઉત્તર પ્રદેશની ઓળખ જે વસ્ત્ર ઉદ્યોગ દ્વારા હતી અને આ ઉદ્યોગ માટે PM મિત્ર યોજનાની શરૂઆત માટે પ્રદેશને પસંદ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના પુરાતન ગૌરવને આપવા બદલ હૃદયથી આભાર. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશ કૃષિ પ્રધાન રાજ્ય રહ્યું છે, અહીંની મોટી આબાદી કૃષિ પર નિર્ભર રહે છે. કૃષિ બાદ વસ્ત્ર ઉદ્યોગ પર મોટી નિર્ભરતા છે. લખનૌની ચિકનકારી, ભદોહીનો કારપેટ ઉદ્યોગ, કાનપુર વસ્ત્ર ઉદ્યોગનું હબ હતું. કાનપુર પ્રદેશ જ નહીં, દેશનું પણ મહત્ત્વપૂર્ણ શહેર હતું. પરંતુ, એક સમય આવ્યો, જ્યારે કાનપુરના ઉદ્યોગ બંધ થતા ગયા. હેન્ડલૂમ સેક્ટર પણ બંધ થઈ ગયુ. વિગત નવ વર્ષોમાં દેશે પ્રગતિ કરી છે.

CM યોગીએ કહ્યું કે, ઇન્વેસ્ટર સમિટમાં ઉત્તર પ્રદેશમાં નિવેશનો એક મોટો પ્રસ્તાવ પ્રાપ્ત થયો અને ઉત્તર પ્રદેશ આગળ જલ્દી દસ લાખ કરોડના નિવેશના પ્રસ્તાવોને પ્રાપ્ત કરવા માટે ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની કરશે. નિવેશકોની રાજ્ય સરકાર દરેક જરૂરિયાત પૂર્ણ કરવાનું કાર્ય કરી રહી છે. સરકાર માનવીય હસ્તક્ષેપને ઝીરો સ્તર પર લઇ આવ્યા છીએ. અમે પૂરી પ્રતિબદ્ધતાથી આગળ વધી રહ્યા છીએ. અમે કામદારો માટે ઇન્ટર્નશિપની પણ કામગીરી કરી રહ્યા છીએ, આવુ કદાચ જ એક-બે રાજ્યો કરી રહ્યા હશે. વસ્ત્ર ઉદ્યોગ અથવા અન્ય ઉદ્યોગ માટે અમે વીજળીને લઇને પ્રતિ યૂનિટ છૂટ પણ આપીશું. નિવેશકે કોઈ ઓફિસના ચક્કર કાપવા નહીં પડે તે માટે પણ સરકારે વ્યવસ્થા કરી છે. રાજ્ય સરકાર નિવેશકો માટે, તમારી પૂંજીને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છે.

CM એ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં કનેક્ટિવિટી સારી થઈ છે, પૂર્વાંચલ અને બુંદેલખંડ એક્સપ્રેસ-વે સંચાલિત છે. અમારો પ્રયાસ છે કે ગંગા એક્સપ્રેસ વેને અમે કુંભ 2025 પહેલા શરૂ કરી દઈશું. ઉત્તર પ્રદેશ સરકાર તમામ નિવેશકોની પૂંજી સુરક્ષિત રાખવામાં સક્ષમ છે. આજે ઉત્તર પ્રદેશના દરેક જનપદની અલગ-અલગ પોતાની ઓળખ છે, અમે તેના ડિસ્પ્લેની પણ વ્યવસ્થા કરી છે. 2017 પહેલા માત્ર બે એરપોર્ટ હતા કારણ કે, કહેવાતુ હતું કે કોઈ આવશે જ નહીં, તો એરપોર્ટની શું જરૂર છે. ઉત્તર પ્રદેશ આજે ઝડપથી વધી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

દરેક ઈંડા પર લખવી પડશે એક્સપાયરી ડેટ, યોગી સરકાર કડક નિયમો લાગૂ કરવા જઇ રહી છે

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જે હેઠળ ઈંડા ઉત્પાદકોએ આગામી 1 એપ્રિલથી દરેક ઈંડા...
National 
દરેક ઈંડા પર લખવી પડશે એક્સપાયરી ડેટ, યોગી સરકાર કડક નિયમો લાગૂ કરવા જઇ રહી છે

BJPએ એવું તે કયું કયું બિલ રજૂ કર્યું કે ઉદ્ધવ ઠાકરે તેનું સમર્થન કરવા તૈયાર થઇ ગયા; પણ ઓવૈસી નારાજ થઇ ગયા

મહારાષ્ટ્રના રાજકારણમાં ધર્મ પરિવર્તન અંગે ચર્ચા તેજ બની છે. ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય વિધાનસભામાં રજૂ કરાયેલા મહારાષ્ટ્ર ધર્મ સ્વતંત્રતા બિલ 2026...
National 
BJPએ એવું તે કયું કયું બિલ રજૂ કર્યું કે ઉદ્ધવ ઠાકરે તેનું સમર્થન કરવા તૈયાર થઇ ગયા; પણ ઓવૈસી નારાજ થઇ ગયા

‘દારૂની બોટલના બદલામાં 80 લાખનું વિકાસ કાર્ય...’, મંત્રીજીએ રાખી દીધી એવી શરત કે ગ્રામજનો વિચારમાં પડી ગયા!

સોમવારે રાજસ્થાનના કોટા જિલ્લામાં પોતાની પદયાત્રાના અંતિમ દિવસે શિક્ષણ અને પંચાયતી રાજ મંત્રી મદન દિલાવરે ભૈરુપુરામાં ગ્રામજનોને અનોખા અંદાજથી દારૂથી...
Politics 
‘દારૂની બોટલના બદલામાં 80 લાખનું વિકાસ કાર્ય...’, મંત્રીજીએ રાખી દીધી એવી શરત કે ગ્રામજનો વિચારમાં પડી ગયા!

LPG અછત વચ્ચે IAS ઓફિસરે લોકોને ખાવાના મેનુમાં ફેરફાર કરવા સૂચન કર્યું, કહ્યું- 'રોટલી અને પરાઠાની જગ્યાએ...'

મધ્યપ્રદેશના બરવાનીથી એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં કલેક્ટર જયતિ સિંહે ઇંધણ સંકટ વચ્ચે જનતાને એક અનોખી અપીલ...
National 
LPG અછત વચ્ચે IAS ઓફિસરે લોકોને ખાવાના મેનુમાં ફેરફાર કરવા સૂચન કર્યું, કહ્યું- 'રોટલી અને પરાઠાની જગ્યાએ...'

Opinion

એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે... એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
(ઉત્કર્ષ પટેલ) આપણા ગુજરાતમાં એક સમયે હતો કે સાબરમતીનું પાણી ટ્રેનમાં ભરીને સૌરાષ્ટ્ર પહોંચાડવું પડતું. 1986માં જ્યારે સૌરાષ્ટ્ર પર અવિરત...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
પરાક્રમસિંહ જાડેજા: સાહસથી સિદ્ધિ અને સિદ્ધિથી #makeinindia નું ગૌરવ
Copyright (c) Khabarchhe All Rights Reserved.