અતીકની હત્યા બાદ પહેલીવાર જાહેર સમારંભમાં બોલ્યા CM યોગી, જાણો શું કહ્યું

માફિયા અતીક એહમદ અને તેના ભાઈની હત્યા બાદ યુપીના CM યોગી આદિત્યનાથનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, હવે કોઈ અપરાધી વેપારીઓને ધમકાવી નહીં શકે. ઉત્તર પ્રદેશ સરકાર તમામ નિવેશકોની પૂંજીને સુરક્ષિત રાખવામાં સક્ષમ છે. CMએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ વર્ષ 2017 પહેલા દંગા માટે જાણીતું હતું. દર બીજા દિવસે દંગા થતા હતા. 2012થી 17ની વચ્ચે 700 કરતા વધુ દંગા થયા. પરંતુ, 2017 બાદ દંગાની નોબત નથી આવી અને હવે આજે કોઈપણ અપરાધી વેપારીઓને ધમકાવી નથી શકતો.

CM યોગીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશના કલંકને અમે ભૂંસી નાંખ્યો છે. પહેલા કહેવામાં આવતું હતું, જ્યાંથી અંધારુ શરૂ થાય, ત્યાંથી ઉત્તર પ્રદેશ શરૂ થાય. આજે તે દૂર થઈ ગયુ છે. 75 માંથી 71 જનપદ અંધારામાં રહેતા હતા. આજે ઉત્તર પ્રદેશના ગામોમાં સ્ટ્રીટ લાઇટ્સ જગમગે છે.

ટેક્સટાઇલ્સ પાર્કને લઇને MoU કાર્યક્રમ દરમિયાન CM યોગીએ કહ્યું કે, તેઓ વડાપ્રધાનજીનો આભાર વ્યક્ત કરે છે. ઉત્તર પ્રદેશની ઓળખ જે વસ્ત્ર ઉદ્યોગ દ્વારા હતી અને આ ઉદ્યોગ માટે PM મિત્ર યોજનાની શરૂઆત માટે પ્રદેશને પસંદ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના પુરાતન ગૌરવને આપવા બદલ હૃદયથી આભાર. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશ કૃષિ પ્રધાન રાજ્ય રહ્યું છે, અહીંની મોટી આબાદી કૃષિ પર નિર્ભર રહે છે. કૃષિ બાદ વસ્ત્ર ઉદ્યોગ પર મોટી નિર્ભરતા છે. લખનૌની ચિકનકારી, ભદોહીનો કારપેટ ઉદ્યોગ, કાનપુર વસ્ત્ર ઉદ્યોગનું હબ હતું. કાનપુર પ્રદેશ જ નહીં, દેશનું પણ મહત્ત્વપૂર્ણ શહેર હતું. પરંતુ, એક સમય આવ્યો, જ્યારે કાનપુરના ઉદ્યોગ બંધ થતા ગયા. હેન્ડલૂમ સેક્ટર પણ બંધ થઈ ગયુ. વિગત નવ વર્ષોમાં દેશે પ્રગતિ કરી છે.

CM યોગીએ કહ્યું કે, ઇન્વેસ્ટર સમિટમાં ઉત્તર પ્રદેશમાં નિવેશનો એક મોટો પ્રસ્તાવ પ્રાપ્ત થયો અને ઉત્તર પ્રદેશ આગળ જલ્દી દસ લાખ કરોડના નિવેશના પ્રસ્તાવોને પ્રાપ્ત કરવા માટે ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની કરશે. નિવેશકોની રાજ્ય સરકાર દરેક જરૂરિયાત પૂર્ણ કરવાનું કાર્ય કરી રહી છે. સરકાર માનવીય હસ્તક્ષેપને ઝીરો સ્તર પર લઇ આવ્યા છીએ. અમે પૂરી પ્રતિબદ્ધતાથી આગળ વધી રહ્યા છીએ. અમે કામદારો માટે ઇન્ટર્નશિપની પણ કામગીરી કરી રહ્યા છીએ, આવુ કદાચ જ એક-બે રાજ્યો કરી રહ્યા હશે. વસ્ત્ર ઉદ્યોગ અથવા અન્ય ઉદ્યોગ માટે અમે વીજળીને લઇને પ્રતિ યૂનિટ છૂટ પણ આપીશું. નિવેશકે કોઈ ઓફિસના ચક્કર કાપવા નહીં પડે તે માટે પણ સરકારે વ્યવસ્થા કરી છે. રાજ્ય સરકાર નિવેશકો માટે, તમારી પૂંજીને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છે.

CM એ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં કનેક્ટિવિટી સારી થઈ છે, પૂર્વાંચલ અને બુંદેલખંડ એક્સપ્રેસ-વે સંચાલિત છે. અમારો પ્રયાસ છે કે ગંગા એક્સપ્રેસ વેને અમે કુંભ 2025 પહેલા શરૂ કરી દઈશું. ઉત્તર પ્રદેશ સરકાર તમામ નિવેશકોની પૂંજી સુરક્ષિત રાખવામાં સક્ષમ છે. આજે ઉત્તર પ્રદેશના દરેક જનપદની અલગ-અલગ પોતાની ઓળખ છે, અમે તેના ડિસ્પ્લેની પણ વ્યવસ્થા કરી છે. 2017 પહેલા માત્ર બે એરપોર્ટ હતા કારણ કે, કહેવાતુ હતું કે કોઈ આવશે જ નહીં, તો એરપોર્ટની શું જરૂર છે. ઉત્તર પ્રદેશ આજે ઝડપથી વધી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.