કેપ્ટન અમરિંદર તમે હેલિકોપ્ટરનું 3.5 કરોડ ભાડું ચુકવો:કોંગ્રેસ નેતાએ માગ કરી

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પર કોંગ્રેસ નેતાએ મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે કેપ્ટન, તમે જે હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો છે તેનું 3.5 કરોડ રૂપિયા ભાડું ભર્યું નથી, તે હવે ચુકવી દો.

પંજાબના કોંગ્રેસ નેતા પ્રતાપ સિંહ બાજવાએ પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહ પર હેલિકોપ્ટરનું ભાડું ન ચૂકવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે જો તેઓ ભાડું ન ચુકવે તો બાકીની રકમ ભાજપે ચુકવી દેવી જોઇએ.

રાજકારણમાં સમય અને સંજોગો કેટલા બદલાતા રહે છે, તેનો અંદાજ પણ લગાવી શકાય તેમ નથી. પંજાબના રાજકારણમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે. કોંગ્રેસ નેતા પ્રતાપ સિંહ બાજવાએ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં ભાજપના વરિષ્ઠ નેતા કેપ્ટન અમરિંદર સિંહ પર મોટા આરોપો લગાવ્યા છે. બાજવાએ ટ્વીટમાં લખ્યું છે કે કેપ્ટન અમરિંદરે ચોપર ટેક્સી હાયરિંગ કંપનીના લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયા આપ્યા નથી.

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહે પંજાબમાં કોંગ્રેસને શાનદાર જીત અપાવી હતી. પંજાબમાં 13 સીટ પરથી 8 સીટ પર કોંગ્રેસની જીત થઇ હતી. એ સમયે કેપ્ટન અમરિંદર સિંહે એક ખાનગી કંપની પાસેથી ચોપર ભાડે લીધું હતું અને ચોપર દ્રારા તેમણે અલગ અલગ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

હવે કોંગ્રેસ નેતા પ્રકાશ બાજવાએ એક ટ્વીટ કરીને આરોપ લગાવ્યો છે કે ચોપરનું 2.1 કરોડ રૂપિયા ભાડું થયું હતું, જે મુળ રકમ હવે વધીને 3.5 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે.બાજવાએ કહ્યું કે, જો કેપ્ટન અમરિંદર સિંહ ચોપરનું બાકી ભાડું નહીં ચુકવશે તો તેઓ ભાજપના હાઇકમાન્ડને આ વિશે અપીલ કરશે. તેમણે કહ્યું કે કેપ્ટન  નહીં ચુકવે તો ભાજપે  ભાડું ચુકવી દેવું જોઇએ.

કોંગ્રેસ નેતા બાજવાએ પોતાના ટ્વીટમાં આગળ લખ્યુ કે એ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેપ્ટન અમરિંદર સિંહે તેમના પોતાના મિત્ર લેફ્ટનન્ટ અનિલ રાજની મદદથી હેલિકોપ્ટર ટેક્સી હાયરીંગ કંપની પાસેથી ચોપર ભાડા પર લીધું હતું અને પછી એનું ભાડું ચુકવ્યું નહીં. લેફ્ટનન્ટ કર્નલ અનિલ રાજ 4 વર્ષથી ભાડાની રાહ જોઇ રહ્યા છે.કોંગ્રેસ આ પહેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર સરકારી હેલિકોપ્ટરના દુરપયોગનો આરોપ લગાવી ચૂકી છે.

બાજવાઅ કેપ્ટન પર નિશાન સાધાની કીધું છે કે તમે હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો છે તો ભાડું તમારે ચુકવવું જોઇએ.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.