કોંગ્રેસે જ PM મોદીની જાતિને આપ્યો હતો OBCનો દરજ્જો? તત્કાલીન DyCMનો મોટો ખુલાસો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાતિને લઈને નવો વિવાદ ઊભો કરી દીધો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ OBC સમાજમાં થયો નથી, પરંતુ સામાન્યમાં થયો હતો. તેમનો જન્મ ગુજરાતની ઘાંચી જાતિમાં થયો હતો. આ સમુદાયને ભાજપે વર્ષ 2000માં OBCનો ટેગ આપ્યો હતો. જો કે, રાહુલ ગાંધીના આ દાવા પર હવે સવાલ ઉઠવા લાગ્યા છે. વર્ષ 1994માં ગુજરાતના તત્કાલીન કોંગ્રેસ સરકારમાં નાયબ મુખ્યમંત્રીનું પદ સંભાળી રહેલા નરહરી અમીને પણ રાહુલ ગાંધીના દાવાનું ખંડન કરતા મોટો ખુલાસો કર્યો છે.

ગુજરાતના તત્કાલીન નાયબ મુખ્યમંત્રીના રૂપમાં કાર્યરત નેતા નરહરી અમીને કહ્યું કે, 'હું કોંગ્રેસ સરકારમાં ગુજરાત નાયબ મુખ્યમંત્રીના રૂપમાં કાર્યરત હતો. જ્યારે 25 જુલાઇ 1994ના રોજ ગુજરાત સરકારે મોધ-ઘાંચીને OBCના રૂપમાં અનુસૂચિત કરી હતી. આ અધિસૂચના ત્યારે આવી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બનવાનું તો દૂર, સાંસદ/ધારાસભ્ય પણ નહોતા. તત્કાલીન નાયબ મુખ્યમંત્રી અને વર્તમાનમાં ગુજરાતથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભાના સાંસદ નરહરી અમીને કહ્યું કે, રાહુલ ગાંધી આ મુદ્દા પર અણસમજુ જુઠ્ઠાણું રચીને OBC સમુદાયનું અપમાન કરી રહ્યા છે.

તેમણે રાહુલ ગાંધી પાસે તરત જ પોતાનું જુઠ્ઠાણું પરત લેવાની માગ કરી છે. નરહરી અમીને કહ્યું કે, રાહુલ ગાંધીને OBCને બદનામ કરવાનું બંધ કરવું જોઈએ અને આપણાં લોકપ્રિય વડાપ્રધાન પ્રત્યે નફરત ભરેલા હોવાના કારણે ગુજરાતના લોકો પાસે માફી માગવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મેં જાતિગત વસ્તી ગણતરી અને સામાજિક ન્યાયની વાત કરી તો વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશમાં માત્ર 2 જાતિઓ છે અમીર અને ગરીબ. જો 2 જાતિઓ છો તો તમે શું છો? ગરીબ તો તમે છો નહીં. તમે કરોડોના સૂટ પહેરો છો. દિવસમાં ઘણી વખત કપડાં બદલો છો, પછી ખોટું બોલો છો કે હું OBC વર્ગનો વ્યક્તિ છું.

રાહુલ ગાંધીએ ઓરિસ્સામાં ભારત જોડો ન્યાય યાત્રાના ત્રીજા અને અંતિમ દિવસની એક રેલીમાં કહ્યું કે મોદીનો જન્મ એવા પરિવારમાં થયો જે સામાન્ય જાતિની શ્રેણીમાં આવે છે. મોદીજી લોકોને એમ કહીને ભરમાવી રહ્યા છે કે તેઓ OBCથી છે. મોદીનો જન્મ તેલી જાતિમાં થયો હતો, જેને 2000માં ગુજરાતમાં ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન સામેલ કરવામાં આવી. આ પ્રકારે મોદીજી જન્મથી OBC નથી. વડાપ્રધાન OBC સાથે જોડાયેલા લોકો સાથે હાથ પણ મળાવતા નથી, તો અબજપતિઓને ગળે લગાવે છે.

About The Author

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.