પૂર્વ કેન્દ્રીયમંત્રી કોંગ્રેસના દિગ્ગજ નેતાને ભાજપમા સામેલ થવાનો મળ્યો પ્રસ્તાવ

On

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ શિંદેએ મોટો દાવો કર્યો છે કે તેમને અને તેમના ધારાસભ્ય દીકરી પરિણીતી શિંદેને ભાજપમાં સામેલ થવાનું નિમંત્રણ મળ્યું હતું. તેની સાથે જ તેમણે કહ્યું કે, તેઓ કોંગ્રેસ પ્રત્યે નિષ્ઠાવાન છે અને પોતાની પાર્ટી નહીં છોડે. તેમણે મંગળવારે સોલાપુર જિલ્લાના અક્કલકોટ તાલુકામાં આયોજિત એક જનસભાને સંબોધિત કરી. જો કે, ભાજપનું કહેવું છે કે સુશીલ શિંદે અને તેમની દીકરીને પાર્ટીમાં સામેલ થવા માટેની કોઈ રજૂઆત કરવામાં આવી નથી.

સુશીલ શિંદેએ કહ્યું કે, પરિણીતી અને મને ભાજપ તરફથી રજૂઆત કરવામાં (પાર્ટી બદલવાના સંદર્ભમાં) સંભવ છે. મેં પોતાની આખી જિંદગી કોંગ્રેસમાં વિતાવી છે અને એ કેવી રીતે સંભવ છે કે કોઈ બીજાના ઘરમાં જાઉ. હું ક્યારેય પાર્ટી બદલવામાં પડ્યો નથી. કાર્યક્રમ બાદ જ્યારે સંવાદદાતાઓએ સુશીલ શિંદેને પૂછ્યું કે તેમને કોણે ભાજપમાં સામેલ થવાની રજૂઆત કરી તો તેમને તેમનું નામ કહેવાની ના પડતા કહ્યું કે, જે વ્યક્તિએ રજૂઆત કરી છે તે એક મોટા વ્યક્તિ છે.

સુશીલ શિંદેએ કહ્યું કે, મેં કહ્યું હું નિષ્ઠાવાન કોંગ્રેસી છું અને કોંગ્રેસને છોડીને નહીં આવું. શિંદેના દાવાનું ખંડન કરતા ભાજપની મહારાષ્ટ્ર એકાઈના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ એક ન્યૂઝ ચેનલને કહ્યું કે, સુશીલ શિંદે અને તેમની દીકરીને ભાજપમાં સામેલ થવાની કોઈ રજૂઆત કરવામાં આવી નથી. આ દરમિયાન રાજ્ય સરકારમાં મંત્રી અને ભાજપ નેતા ચંદ્રકાંત પાટીલે સોલાપુર શહેરમાં શિંદેના આવાસ પર જઈને તેમની મુલાકાત કરી. પાટીલ સોલાપુરના પ્રભારી મંત્રી પણ છે.

જાણકારોએ જણાવ્યું કે, પાટીલની શિંદે સાથે મુલાકાત આગામી સાહિત્ય સંમેલન માટે નિમંત્રણ આપવા માટે હતી. સુશીલ કુમાર શિંદે વર્ષ 2003 થી 2004 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. કેન્દ્રમાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન શાસન દરમિયાન તેઓ ઉર્જા અને ગૃહ મંત્રી હતા. તેમના પુત્રી પરિણીતી ત્રીજી વખત મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય બન્યા છે. તેઓ સોલાપુર મધ્ય સીટથી ધારાસભ્ય છે.

Related Posts

Top News

તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ દિવસોમાં તેમના એક નિવેદન માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.  મિશિગનમાં એક ઈવેન્ટ...
World 
તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને ઇંગ્લેન્ડ સામેની T20I શ્રેણી દરમિયાન તેની તર્જની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. આવી...
Sports 
રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર છે અને ગેરકાયદેસર ઇમિગ્રેશન પર આકરા પ્રહારો હવે તીખા થતા જઈ રહ્યા છે. એવા સમાચાર મળી...
World 
પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

દેશના પ્રખ્યાત રામ કથાકાર મોરારી બાપુએ ધર્મ પરિવર્તન અંગે મોટો ખુલાસો કર્યો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢમાં, મોરારી...
Gujarat 
મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.