પૂર્વ કેન્દ્રીયમંત્રી કોંગ્રેસના દિગ્ગજ નેતાને ભાજપમા સામેલ થવાનો મળ્યો પ્રસ્તાવ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ શિંદેએ મોટો દાવો કર્યો છે કે તેમને અને તેમના ધારાસભ્ય દીકરી પરિણીતી શિંદેને ભાજપમાં સામેલ થવાનું નિમંત્રણ મળ્યું હતું. તેની સાથે જ તેમણે કહ્યું કે, તેઓ કોંગ્રેસ પ્રત્યે નિષ્ઠાવાન છે અને પોતાની પાર્ટી નહીં છોડે. તેમણે મંગળવારે સોલાપુર જિલ્લાના અક્કલકોટ તાલુકામાં આયોજિત એક જનસભાને સંબોધિત કરી. જો કે, ભાજપનું કહેવું છે કે સુશીલ શિંદે અને તેમની દીકરીને પાર્ટીમાં સામેલ થવા માટેની કોઈ રજૂઆત કરવામાં આવી નથી.

સુશીલ શિંદેએ કહ્યું કે, પરિણીતી અને મને ભાજપ તરફથી રજૂઆત કરવામાં (પાર્ટી બદલવાના સંદર્ભમાં) સંભવ છે. મેં પોતાની આખી જિંદગી કોંગ્રેસમાં વિતાવી છે અને એ કેવી રીતે સંભવ છે કે કોઈ બીજાના ઘરમાં જાઉ. હું ક્યારેય પાર્ટી બદલવામાં પડ્યો નથી. કાર્યક્રમ બાદ જ્યારે સંવાદદાતાઓએ સુશીલ શિંદેને પૂછ્યું કે તેમને કોણે ભાજપમાં સામેલ થવાની રજૂઆત કરી તો તેમને તેમનું નામ કહેવાની ના પડતા કહ્યું કે, જે વ્યક્તિએ રજૂઆત કરી છે તે એક મોટા વ્યક્તિ છે.

સુશીલ શિંદેએ કહ્યું કે, મેં કહ્યું હું નિષ્ઠાવાન કોંગ્રેસી છું અને કોંગ્રેસને છોડીને નહીં આવું. શિંદેના દાવાનું ખંડન કરતા ભાજપની મહારાષ્ટ્ર એકાઈના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ એક ન્યૂઝ ચેનલને કહ્યું કે, સુશીલ શિંદે અને તેમની દીકરીને ભાજપમાં સામેલ થવાની કોઈ રજૂઆત કરવામાં આવી નથી. આ દરમિયાન રાજ્ય સરકારમાં મંત્રી અને ભાજપ નેતા ચંદ્રકાંત પાટીલે સોલાપુર શહેરમાં શિંદેના આવાસ પર જઈને તેમની મુલાકાત કરી. પાટીલ સોલાપુરના પ્રભારી મંત્રી પણ છે.

જાણકારોએ જણાવ્યું કે, પાટીલની શિંદે સાથે મુલાકાત આગામી સાહિત્ય સંમેલન માટે નિમંત્રણ આપવા માટે હતી. સુશીલ કુમાર શિંદે વર્ષ 2003 થી 2004 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. કેન્દ્રમાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન શાસન દરમિયાન તેઓ ઉર્જા અને ગૃહ મંત્રી હતા. તેમના પુત્રી પરિણીતી ત્રીજી વખત મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય બન્યા છે. તેઓ સોલાપુર મધ્ય સીટથી ધારાસભ્ય છે.

Related Posts

Top News

કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની  કાકી હિરલબા જાડેજા અત્યારે ખંડણી અને અપહરણ કેસમાં જેલમાં છે. પોલીસે આ કેસની તપાસ હાથ...
Gujarat 
કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.