CM યોગીના ડુપ્લીકેટનું મોત,અખિલેશે કહ્યુ-'તેમની હત્યા કરવામાં આવી, માર મારીને..'

ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ જેવા દેખાતા સુરેશ કુમાર યોદ્ધાનું અવસાન થયું છે. સુરેશ કુમાર યોદ્ધા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના સ્ટાર પ્રચારક હતા. ઘણી વખત તેઓ અખિલેશ યાદવ સાથે ચૂંટણી પ્રચારના મંચ પર જોવા મળ્યા હતા.

CM યોગી જેવા દેખાતા સુરેશ ઠાકુર યોદ્ધા, સમાજવાદી પાર્ટીના સ્ટાર પ્રચારક અને અખિલેશ યાદવના નજીકના સાથી, શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા. SPના વડા અખિલેશ યાદવે ટ્વિટ કરીને દાવો કર્યો છે કે, તેમને માર મારીને મારી નાંખવામાં આવ્યો હતો.

એટલું જ નહીં, અખિલેશ યાદવના નિર્દેશ પર SPના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ શુક્રવારે સુરેશ ઠાકુરના ગામ પહોંચ્યું હતું અને ઘટના અંગે પૂછપરછ કરી હતી.

SPના વડા અખિલેશ યાદવે ટ્વીટમાં લખ્યું છે કે, SP પ્રચારક તરીકે પોતાની ઓળખ બનાવનાર સુરેશ ઠાકુરની લિંચિંગની ઘટના અત્યંત હ્રદયસ્પર્શી છે અને સરકારને અપીલ છે કે દોષિતો સામે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

સુરેશ ઠાકુર ઉન્નાવ જિલ્લાના સોહરામઉ પોલીસ સ્ટેશન હેઠળના ચોપાઈ ગામનો રહેવાસી હતો.સુરેશની પત્ની સરિતાએ જણાવ્યું કે, 27 જુલાઈના રોજ તેના ગામના બે લોકો સાથે ઝઘડો થયો હતો, જેના કારણે બંનેએ તેને માર માર્યો હતો. માર મારવાને કારણે સુરેશને ઈજા થઈ હતી. સારવાર દરમિયાન શુક્રવારે તેનું મોત નીપજ્યું હતું. ઉન્નાવ પોલીસ પર આરોપ લગાવતા સરિતાએ કહ્યું કે, જિલ્લાની પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ સમજાવટ કરવાની વાત કરવામાં આવી હતી.

 

માહિતી મળતાં પોલીસે સુરેશના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સુરેશના મૃત્યુની માહિતી મળતા જ મોટી સંખ્યામાં SPના કાર્યકરો અને નેતાઓ પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા હતા. સુરેશ કુમારની પત્નીએ ઉન્નાવ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું કે હુમલા બાદ તેણે સોહરામઉ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. ઉલટાનો પોલીસ સ્ટેશનથી મને ભગાડી દેવામાં આવી હતી. પત્નીએ કહ્યું કે પોલીસ આરોપી સાથે મિલીભગત કરી રહી છે. મારપીટની ઘટના થયા પછી તે વારંવાર પોલીસ સ્ટેશને આવી રહી હતી, પરંતુ પોલીસે તેની વાત સાંભળી ન હતી.

બીજી તરફ CO હસનગંજ સંતોષ સિંહે જણાવ્યું કે, સુરેશનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે અને એ પણ જણાવ્યું કે, તેમના શરીર પર કોઈ ઈજાના નિશાન હતા નહીં, COએ આગળ બતાવ્યું કે, 10 તારીખે સુરેશની તબિયત અચાનક ખરાબ થઇ ગઈ હોવાને કારણે તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં શુક્રવારે તેમનું મૃત્યુ થયું હતું. પોલીસ દ્વારા સુરેશનું PM કરાવવામાં આવ્યું હતું, જેમાં હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું એમ સાબિત થયું છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.