'પહેલા પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવીને આવો...' સરકારી હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને વેકેશન પરથી પાછા ફર્યા પછી મળ્યો ઓર્ડર!

મહારાષ્ટ્રના પુણેમાં એક સરકારી છાત્રાલયમાં, વિદ્યાર્થીનીઓને ઘરેથી પાછા ફર્યા પછી ગર્ભાવસ્થા પરિક્ષણ (પ્રેગનેંસી ટેસ્ટ) કરાવવાની ફરજ પાડવામાં આવે છે. ઘણી વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ મેનેજમેન્ટ પર આ આરોપ લગાવ્યો છે. આ છાત્રાલય મહારાષ્ટ્ર આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. જોકે, વરિષ્ઠ અધિકારીઓ કહે છે કે, ગર્ભાવસ્થા પરિક્ષણ અંગે કોઈ નિયમ નથી અને આ ન કરાવવું જોઈએ.

એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, પુણે જિલ્લાના એક સરકારી આદિજાતિ છાત્રાલયમાં ઘણી વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો છે કે, જ્યારે તેઓ ઘરેથી પાછા ફરે છે ત્યારે તેમનું ગર્ભાવસ્થા પરિક્ષણ કરાવવાની ફરજ પાડવામાં આવે છે. તેમને આવું કરવા માટે એક કીટ આપવામાં આવે છે અને તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવી પડે છે. હોસ્પિટલમાં તેમનું પરીક્ષણ કરવામાં આવે છે. અને પછી ડૉક્ટર પાસેથી ગર્ભાવસ્થા પરિક્ષણ કર્યાનો નેગેટિવ રિપોર્ટ મળ્યા પછી, તેમણે કોલેજમાં એક ફોર્મ સબમિટ કરવું આવશ્યક છે. પછી જ તેમને હોસ્ટેલમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે.

Pune-Hostel--Pregnancy-Test1
bbc.com

એક વિદ્યાર્થિનીએ મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, જો તેઓ આ ટેસ્ટ ન કરાવે, તો તેમને હોસ્ટેલમાં પ્રવેશવાની મંજૂરી મળતી નથી. વિદ્યાર્થીઓએ આને શરમજનક ગણાવ્યું છે. એવો અહેવાલ છે કે, વેકેશન પરથી પાછા ફર્યા પછી બધી છોકરીઓને આવું પરીક્ષણ કરાવવું જ પડે છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓએ ઘણી વખત આવું પરીક્ષણ કરાવ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આનાથી તેઓ ઘણીવાર માનસિક તણાવમાંથી પણ પસાર થઇ રહી છે. તેઓ શરમ અનુભવે છે અને લોકો તેમને શંકાની નજરે જુએ છે, અને આશ્ચર્ય થાય છે કે જ્યારે તેઓ પરિણીત નથી ત્યારે તેમની તપાસ કેમ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત પુણેની એક આશ્રમ શાળામાંથી પણ આવી જ એક ફરિયાદ મળી છે. અહેવાલમાં જણાવાયું છે કે, મહારાષ્ટ્રના દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને શિક્ષિત કરવા માટે આશ્રમ શાળાઓ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. વિભાગ ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો પણ ખોલે છે. જો કે, આમાંની ઘણી છાત્રાલયોમાં, વિદ્યાર્થીઓ માટે ગર્ભાવસ્થા પરીક્ષણ ફરજિયાત છે.

કેટલાક વાલીઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીનીઓને તેમના પેશાબનું પરીક્ષણ કરવા માટે કીટ આપવામાં આવે છે. પરિણામ પોઝિટિવ આવે કે નેગેટિવ તેને ફોર્મ પર નોંધાવવાનું હોય છે. વાલીઓનું કહેવું છે કે, આ પરીક્ષણનો ખર્ચ પણ તેમણે જ સહન કરવો પડે છે. અને દરેક પરીક્ષણનો ખર્ચ 150-200 રૂપિયા ભોગવવો પડતો હોય છે. મહારાષ્ટ્રના આદિજાતિ વિકાસ કમિશનર લીના બંસોડે જણાવ્યું હતું કે, આદિજાતિ વિકાસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, આવા પરીક્ષણો ન કરવા જોઈએ. આ અગાઉ, સપ્ટેમ્બર 2025માં, પુણેની એક છાત્રાલયમાં ગર્ભાવસ્થા પરીક્ષણો કરવામાં આવી રહ્યા હતા, એવી વાત સામે આવી હતી. રાજ્ય મહિલા આયોગે આ બાબતની જાતે નોંધ લીધી હતી અને આ પ્રથાને બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

About The Author

Related Posts

Top News

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.