દિલ્હીમાં હવાની ગુણવત્તા ફરી બગડતા BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ વાહનો પર પ્રતિબંધ

પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ નેશનલ કેપિટલ રિજન (NCR) સાથે જોડાયેલા વિસ્તારોને પ્રદૂષણ વિરોધી પગલાં વધુ કડક રીતે અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો છે. દિલ્હી સરકારે પ્રદૂષણને કારણે રાજધાનીમાં BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ આજથી એટલે કે મંગળવારથી શુક્રવાર સુધી લાગુ થશે. આ દરમિયાન જો હવાની ગુણવત્તા સુધરશે તો શુક્રવાર પહેલા પણ પ્રતિબંધ હટાવી શકાય છે.

દિલ્હી સરકારે ખરાબ થતી હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને મંગળવારથી રાષ્ટ્રીય રાજધાનીમાં BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ ફોર વ્હીલરના સંચાલન પર અસ્થાયી પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. તાત્કાલિક અસરથી અમલમાં આવેલા વિભાગના આદેશ હેઠળ 12 જાન્યુઆરી સુધી આ વાહનો રસ્તાઓ પર દોડી શકશે નહીં. જો આ વાહનો ચલાવવામાં આવે તો પકડાશે તો 20,000 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. દિલ્હીની હવાની ગુણવત્તા સોમવારે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ - શાંત પવન અને નીચા તાપમાનને કારણે ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ હતી. પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ નેશનલ કેપિટલ રિજન (NCR) સાથે જોડાયેલા વિસ્તારોને પ્રદૂષણ વિરોધી પગલાં વધુ કડક રીતે અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો છે.

પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ વાહનો પર પ્રતિબંધ મંગળવારથી અમલમાં આવશે કારણ કે હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ છે. અમે પર્યાવરણ વિભાગ સાથે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. તેમણે કહ્યું, હાલમાં પ્રતિબંધ શુક્રવાર સુધી યથાવત રહેવાની શક્યતા છે. જો હવાની ગુણવત્તા સુધરે તો શુક્રવાર પહેલા પણ પ્રતિબંધ હટાવી શકાય છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં 24-કલાકનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) રવિવારે 371 હતો, જે સોમવારે સાંજે 4 વાગ્યે વધીને 434 થયો હતો. AQIનો 201 અને 300 ની વચ્ચેનો ખરાબ, 301 અને 400ને ખૂબ જ ખરાબ અને 401 અને 500ને ગંભીર ગણવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા 6 ડિસેમ્બરે દિલ્હીમાં BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ વાહનો પર 9 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. દિલ્હી સરકારે કેન્દ્રના એર ક્વોલિટી પેનલ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના તબક્કા 3 હેઠળ આ નિયંત્રણો લગાવ્યા હતા.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.