દિલ્હી પોતાની ગાડી લઇને જતા હો તો આ ન્યૂઝ વાંચી લેજો, નહીં તો હજારોનો ચાંદલો થશે

દિલ્હીમાં પ્રદૂષણના કારણે બગડતી સ્થિતિને જોતા હવે પોલીસ પણ હજુ વધારે સાવધાન થઇ ગઇ છે. દિલ્હીમાં જૂની ગાડીઓના ખૂબ ચલણ ફાડવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ટ્રાફિક પોલીસે 2,200 લોકોના ચલણ ફાડ્યા છે. તો 6,757 વાહનોને રોક્યા છે. GRAP IV મુજબ, આ સમયે દિલ્હીમાં બીજા રજ્યોમાંથી માત્ર એ વાહનોને આવવાની મંજૂરી આપવામાં આવી છે, જે અથવા તો ઇલેક્ટ્રિક હોય, કે પછી BS VI વાહન હોય.

વાયું ગુણવતા મેનેજમેન્ટ આયોગ (ACQM)એ જરૂરી સેવાઓમાં સામેલ ન થનારા બધા મધ્યમ અને ભારે વાહનો પર પણ રાજધાનીમાં પ્રતિબંધ લગાવ્યો છે. દિલ્હી પોલીસે એ લોકોને છૂટ આપી છે જે આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા છે. રવિવારે જે 2,200 વાહનોના ચલણ ફાટ્યા છે, તેમાંથી 1024 એવા હાથ જેમની પાસે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ (PUC) નહોતા, 217 ચલણ BS-III વાહનો અને 975 ચલણ BS-IV વાહનોના ફાડવામાં આવ્યા છે.

દિલ્હીના મોટર વ્હીકલ એક્ટ હેઠળ શહેરમાં ગેર જરૂરી સામગ્રી લઇ જનારા ડીઝલ-પેટ્રોલ વાહનો અને ટ્રકો ચલાવવા માટે 20 હજાર રૂપિયાનું ચલણ છે. ગયા મહિનાની વાત કરીએ તો પોલીસે PUC વિનાના 17 હજાર 989 વાહનોના ચલણ ફાડ્યા હતા. દિલ્હી પ્રદૂષણની ગંભીર સમસ્યાને પહોંચીવળવા માટે આમ આદમી પાર્ટી (AAP)ની સરકારે 4 વર્ષ બાદ ફરીથી ઓડ ઇવન નિયમ લાગૂ કરવાની જાહેરાત કરી છે. જો કે, આ નિયમ પ્રભાવી થવાને લઇને વિશેષજ્ઞોના મિશ્ર મંતવ્ય છે.

આ નિયમને પહેલી વખત વર્ષ 2016માં લાગૂ કરવામાં આવ્યો હતો. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે સોમવારે જાહેરાત કરી કે વાયુ પ્રદૂષણ પર લગામ લગાવવાની કવાયત પર શહેરમાં 13-20 નવેમ્બર સુધી સમ વિષમ યોજના લાગૂ કરવામાં આવશે. વર્ષ 2016માં પહેલી વખત લાગૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ સમ કે વિષમ રજિસ્ટર્ડ સંખ્યાવાળી કારોને વૈકલ્પિક દિવસો (એક દિવસ છોડીને એક દિવસ) પર ચલાવવાની મંજૂરી આપવામાં આવે છે. આગામી અઠવાડિયે જ્યારે તેને લાગૂ કરવામાં આવશે તો તે ચોથી વખત હશે, જ્યારે દિલ્હી સરકાર વાહનોથી થનારા પ્રદૂષણથી પહોંચીવળવા માટે આ યોજના લાગૂ કરશે.

Related Posts

Top News

પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા વિશ્વના મુખ્ય દેશોમાં બે સરકારી પ્રતિનિધિમંડળો મોકલવામાં આવશે. આ પ્રતિનિધિમંડળો પર જવાબદારી હશે કે, ભારત સાથે...
World 
પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી ઘણી રીતે ખાસ બનવાની છે. આગામી ઈંગ્લેન્ડ...
Sports 
ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

દેશમાં ફરી એકવાર કોરોના ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. સોમવાર સુધીમાં, દેશભરમાં કોરોનાના લગભગ ચાર હજાર કેસ નોંધાયા છે...
National 
કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?

વર્ષ 2000થી 2008 સુધી પ્રસારિત થયેલી અને લોકપ્રિય બનેલી સીરિયલ ક્યોંકી સાંસભી કભી બહું થીની સિઝન-2 શરૂ થવા જઇ રહી...
Entertainment 
સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.