10-15 વર્ષ જૂના વાહનોના માલિકો માટે સારી ખબર, સરકાર હવે આવું નહીં કરશે

દિલ્હી-NCRમાં સ્ક્રેપ પોલિસી લાગૂ થયા પછીથી 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલના વાહનના માલિક પરેશાન છે. રસ્તાઓ અને ઘરની બહાર ઊભેલા આવા વાહનોને સ્ક્રેપ માટે ઉઠાવી લેવાનો ડર રહેતો હતો. પણ હવે દિલ્હી સરકારના પરિવહન વિભાગ દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોત દ્વારા ટ્રાન્સપોર્ટ કમિશ્નરને આદેશ આપ્યા છે કે તે આ સમયને પાર કરનારા વાહનોને સ્ક્રેપ માટે ઉઠાવશે નહીં. આ આદેશ પછી આ વાહનોના માલિકોએ રાહતના શ્વાસ લીધા છે.

રિપોર્ટ અનુસાર, પરિવહન મંત્રી દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ પછી હવે ઘરોની બહાર રસ્તાઓ પર ઊભેલા આવા વાહનોને જપ્ત કરવામાં આવશે નહીં. દિલ્હી સરકારના પરિવહન વિભાગના એન્ફોર્સમેન્ટ વિંગ આ પ્રકારના વાહનોને સ્ક્રેપ કરવા ઉઠાવી લેવાનું કામ કરતા હતા. પણ હવે આ વાહનોને ઉઠાવીને લઇ જઇ શકાશે નહીં.

ટ્રાન્સપોર્ટ કમિશ્નર આશીષ કુંદ્રાએ બહાર પાડેલા આદેશમાં આ કહેવામાં આવ્યું છે કે જો આ વાહતો રસ્તા પર ચાલતા દેખાયા અને પકડાયા તો આ નિયમ તે વાહનો પર લાગૂ પડશે નહીં.

સ્ક્રેપ પોલિસી શું છે

કેન્દ્ર સરકાર દ્વારા લાગૂ સ્ક્રેપ પોલિસી હેઠળ એજ વ્હીકલને સ્ક્રેપ માટે ઉઠાવી શકાય છે જેનો નક્કી કરેલો સમય પૂરો થઇ ચૂક્યો છે કે પછી તે વ્હીકલને રસ્તા પર ચલાવી શકાય. રસ્તા પર રહેનારા વાહનો જે બેકાર થઇ ચૂક્યા છે કે પછી વાહનોથી પ્રદૂષણ ફેલાઈ રહ્યું હોય તેને ઉઠાવી શકાય છે. પણ સારી કંડીશનવાળી કારને સ્ક્રેપિંગ કરનારી એજન્સી ઉઠાવી શકે નહીં.

કોર્ટના આદેશ અનુસાર, 15 વર્ષથી વધારે જૂના રજિસ્ટર્ડ ગેસોલીન વાહનો અને 10 વર્ષથી વધારે જૂના ડીઝલયુક્ત વાહનોને રસ્તાઓ પર ચલાવવાની પરવાનગી નથી. અને જો આવા વાહનો રસ્તા પર દેખાયા તો તેમના માલિકો પાસેથી દંડ વસૂલવામાં આવશે.

જો તમારું વાહન 15 વર્ષ જૂનુ છે અને અને તે રસ્તા પર ઊભુ છે અને તેને તમે રસ્તા પર ચલાવી રહ્યા નથી, તો તેને જપ્ત કરવામાં આવશે નહીં. સાથે જ તેને સ્ક્રેપ કરવા પણ મોકલવામાં આવશે નહીં. એટલે કે જ્યાં સુધી તમે આ જૂના વાહનોને ચલાવશો નહીં ત્યાં સુધી આ વાહનો તમારી પાસે રહી શકે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.