કેસરી iPhone 17 પર દીવાનો થયો દિલ્હીનો છોકરો, બોલ્યો- ‘મુસ્લિમ છું, પરંતુ આ રંગ...

દિલ્હીના સંગમ વિહારના એક વ્યક્તિએ કંઈક એવું કર્યું છે કે સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થવા લાગી છે. એપલનો iPhone 17 તાજેતરમાં લોન્ચ થયો હતો અને તે પણ કેસરી રંગમાં. ઓહ સોરી, કોસ્મિક ઓરેન્જ વેરિયન્ટ! 19 સપ્ટેમ્બર 2025ના રોજ આ ફોન ભારતમાં આવતા જ દુકાનોની બહાર લાઇનો લાગી ગઈ હતી. આ દિલ્હીનો રહેવાસી ભાઈ આ ચમકતો ફોન લેવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભો રહ્યો. ફોન લીધા બાદ તેણે કહ્યું કે, તે મુસ્લિમ છે, પરંતુ તેને આ રંગ પસંદ છે.

Orange-iPhone4
vijaykarnataka.com

સમાચાર એજન્સી PTI સાથે વાત કરતા તેણે કહ્યું કે, ‘હું સવારથી લાઇનમાં ઉભો હતો અને હું આ iPhone રંગ ખરીદવા માટે ઉત્સાહિત હતો. ભારતમાં આ કેસરી ફોન ખૂબ જ લોકપ્રિય થશે. હું મુસ્લિમ છું, પરંતુ મને આ રંગ ખૂબ પસંદ છે... ફોનના બોક્સને ચુંબન કરતા એ શખ્સે વધુમાં જણાવ્યું કે તેની પાસે પહેલાથી જ iPhone 15 પ્રો મેક્સ છે. તેણે iPhone 16 ન ખરીદ્યો કારણ કે તેમાં વધુ અપડેટ્સ નહોતા. તેણે iPhone 17 ખરીદ્યો કારણ કે તેમાં વધુ અપગ્રેડ્સ મળ્યા છે.

એપલે તાજેતરમાં એક ઇવેન્ટમાં iPhone 17 સીરિઝ રજૂ કર્યો હતો. તેમાં iPhone 17 Pro, અલ્ટ્રા-થિન iPhone Air (વિશ્વનો સૌથી પાતળો iPhone), અપડેટેડ AirPods Pro 3 અને નવી Apple Watch સીરિઝનો સમાવેશ થાય છે. કોસ્મિક ઓરેન્જને ટેક જગતના સૌથી આકર્ષક રંગોમાંથી એક તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. કંપનીના મતે આ રંગ કુદરતી ટેક્સચર સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે વપરાશકર્તાઓને પ્રીમિયમ ફીલ આપે છે. ભારતમાં આ વેરિયન્ટ 129,900 રુપિયથી શરૂ થઈને વધુ પ્રાઇઝ પોઈન્ટ સુધી ઉપલબ્ધ છે.

Orange-iPhone4
hindustantimes.com

જો તમે iPhone લેવા માગતા હોવ તો, અમેરિકાથી મંગાવી લો. દુબઈથી લઈ આવો. ફરીને આવી જશો અને પૈસા બચાવશો. આ બધુ તમે સાંભળ્યું હશે, પરંતુ બેઝ મોડેલ માટે ગેમ બદલાઈ ગઈ છે. 256GB બેઝ મોડલની કિંમત 82,900 રૂપિયા છે. અત્યારે ઘણા બધા કાર્ડ્સ પર 5,000નું સીધું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે, તો લગભગ તેની કિંમત 77,900 રૂપિયા થઈ ગઈ. અમેરિકામાં બેઝ મોડલની કિંમત 799 ડોલર છે, એ હિસાબે 70,536 રૂપિયા થાય છે. તેમાં ત્યાં સ્ટેટ કર લાગૂ પડશે. દુબઈમાં તે 81,496 રૂપિયામાં ઉપલબ્ધ થશે. કાર્ડ પર એક્સચેન્જ રેટ અલગથી લાગશે. આનો અર્થ એ છે કે કિંમતમાં કોઈ તફાવત નહીં રહે. તેનાથી વિપરીત ભારતમાં ઓફરોનો વરસાદ થશે. રિટેલ આઉટલેટ્સ સરળતાથી 70,000-72,000 રૂપિયામાં ફોન મળી જશે.

About The Author

Related Posts

Top News

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની કેન્દ્ર સરકારની જાહેર ખાતરીના થોડા સમય બાદ, ભારતના મુખ્ય ઓટોમોબાઈલ સંગઠને બળતણમાં મિશ્રણ...
Tech and Auto 
ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.