કથાવાચક ધીરેન્દ્ર આચાર્યનો શિષ્ય યજમાનની પત્નીને ભગાડી ગયો, પરિણીતા બોલી...

મધ્ય પ્રદેશના છત્તરપુરમાં ગત મહિને કથા કરવા માટે આવેલા જગતગુરુ ધીરેન્દ્ર આચાર્યના શિષ્યને શહેરની એક પરિણીત મહિલા સાથે પ્રેમ થઈ ગયો. ત્યારબાદ શિષ્ય મહિલાને લઇને ભાગી ગયો. મહિલાનો એક બાળક પણ છે. મહિલાના પરિવારજનોએ તેની ફિયાદ પોલીસ સ્ટેશનમાં કરાવી હતી ત્યારબાદ પોલીસે મહિલાને શોધી કાઢી. પરિવારજનોએ શિષ્ય પર આરોપ લગાવ્યો કે તેણે મહિલા પર જાદુ-ટોણો કરીને પોતાના પ્રેમજાળમાં ફસાવી છે. બીજી તરફ, મહિલાનું કહેવુ છે કે તે પોતે જ આચાર્યના શિષ્ય સાથે ગઈ છે. તે પોતાના પતિ સાથે નથી રહેવા માંગતી.

મીડિયા રિપોર્ટ અનુસાર, ગત મહિને છત્તરપુરના ગૌરીશકંર મંદિરમાં ધર્મનગરી ચિત્રકૂટના જગતગુરુ ધીરેન્દ્ર આચાર્ય કથા કરવા માટે આવ્યા હતા. તેમનો શિષ્ય નરોત્તમદાસ ઉર્ફ ઉત્તમ દુબે પણ સાથે જ હતો. આ દરમિયાન નરોત્તમદાસનો છત્તરપુરની 27 વર્ષીય પરિણીત મહિલા સાથે પ્રેમ પ્રસંગ શરૂ થઈ ગયો હતો, ત્યારબાદ નરોત્તમ દાસ મહિલાને પોતાની સાથે ભગાડીને લઈ ગયો. મહિલાના લગ્ન 2014માં અનગૌર નિવાસી રાહુલ તિવારી સાથે થયા હતા. તેનું પિયર છત્તરપુરમાં છે.

રાહુલ તિવારીએ જણાવ્યું કે, છત્તરપુરમાં કથા દરમિયાન જગતગુરુ પાસેથી પતિ-પત્નીએ દીક્ષા લીધી હતી. આ દરમિયાન નરોત્તમ દાસ મારી પત્નીના સંપર્કમાં આવ્યો પછી તેણે પત્ની પર જાદુ-ટોણો કરી તેને પોતાની વાતોમાં ફસાવી લીધી. 6 એપ્રિલે નરોત્તમદાસ મહિલાને લઈને ભાગી ગયો હતો. મહિલાના ગૂમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ત્યારબાદ પોલીસે 5 મેના રોજ મહિલાને શોધી કાઢી હતી. મહિલાએ પોલીસને નિવેદનમાં કહ્યું કે, તે પોતાના પતિ સાથે રહેવા નથી માંગતી. તે નરોત્તમદાસ ઉર્ફ ઉત્તમ સાથે જ રહેવા માંગે છે અને ત્યારબાદ મહિલાના પતિ સહિત સાસરિયાઓએ કોર્ટમાં અરજી કરી છે.

મામલામાં છત્તરપુર એસપી અમિત સાંઘીનું કહેવુ છે કે, પરિવારજનોની ફરિયાદ પર મહિલાને શોધી કાઢવામાં આવી છે. મહિલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તેનો પતિ તેને મારતો હતો અને હેરાન કરતો હતો. આથી, તે પોતાના પતિ સાથે રહેવા નથી માંગતી. મહિલાએ SDM સામે પોતાનું નિવેદન નોંધાવ્યું છે. હાલ, મામલાની તપાસ ચાલુ છે, કોઈ સંગીન અપરાધ કર્યો હશે તો તેની વિરુદ્ધ કરક કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.