‘માથે સિંદુર નથી, મતલબ પ્લોટ ખાલી છે’ ધીરેન્દ્ર શાસ્ત્રીની વાતથી મહિલાઓ ભડકી

મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના નિવેદનોને કારણે હમેંશા ચર્ચામાં રહે છે, તેમાં પણ છેલ્લાં કેટલાંક મહિનાઓથી બાબાની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. હવે ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્ય પ્રદેશ ઉપરાંત, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશમાં પણ કથા વાંચવા પહોંચી ગયા હતા. હવે બાબાની ગ્રેટર નોઇડામાં કથા ચાલી રહી છે. આ કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ નિવેદનથી મહિલાઓ ભડકી ગઇ છે.

બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના એક નિવેદનને લઈને ટીકાકારોના નિશાના પર આવી ગયા છે. આજે બાબાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. આમાં તેઓ પ્રવચન દરમિયાન કહે છે, જો કોઈ મહિલા પરિણીત હોય તો તેની બે ઓળખ હોય છે. માંગનું સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર.બાબાએ આગળ કહ્યું કે, ધારો કે કોઇ મહિલાના ગળામાં મંગળ સૂત્ર કે માંગમાં સિંદુર ન હોય તો આપણે લોકો શું સમજીએ છીએ કે, આ પ્લોટ હજી ખાલી છે.

આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને લોકોએ આક્રોશ વરસાવવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને ધીરેન્દ્ર શાસ્ત્રીના આ નિવેદનથી મહિલાઓ ભડકી ગઇ છે.

ઘણા લોકોએ બાબાના આ વીડિયો સાથે લખ્યું કે આવી વાતો કરનાર ન સંત હોય શકે કે ન કથાકાર.એક ન્યૂઝ ચેનલે તો ‘બાગેશ્વર બાબા કી ગંદી બાત’ શિર્ષકથી પ્રોગામ બનાવી દીધો છે.

સુજાતા નામની એક મહિલાએ ટ્વીટ કરીને લખ્યું કે, અમારે પણ જાણવું છે કે ક્યાં કયાં પ્લોટ ખાલી છે. તમે પણ મંગલસૂત્ર પહેરો અને માંગમાં સિંદુર ભરો. બાબા બનાવી દેવામાં આવ્યા છે. શરમ આવે છે કે, કયા સમાજમાં અમે મહિલાઓ રહીએ છીએ.

આ વીડિયોમાં બાગેશ્વર બાબા આગળ કહે છે, અને માંગનું સિંદૂર ભરાઈ ગયું છે. ગળામાં મંગળસૂત્ર લટકતું હોય તો દૂરથી જોઈ શકીએ છીએ કે  આ રજિસ્ટ્રી થઈ ગઈ છે. જો કે, આ વીડિયોમાં જોવા મળે છે કે ઉપદેશ સાંભળી રહેલી ઘણી મહિલાઓ તાળીઓ પાડી રહી છે અને હસી રહી છે પરંતુ હિન્દુ મહિલાઓ સોશિયલ મીડિયા પર આનો વિરોધ કરી રહી છે.

વીડિયોના એક હિસ્સામાં બાગેશ્વર બાબા કહી રહ્યા છે કે, ડોગના બે પ્રકાર હોય છે, એક પાલતું અને બીજો ફાલતું. પાલતું પ્રાણીના ગળામાં પટ્ટો હોય છે, એ જ રીતે જો ભગવાન રામના પાલતું થઇ જાય, તેમના ગળામાં માળા-કંઠી હોય છે.

મીનુ તિવારી, કુશાગ્ર સૈની,રિમી શર્મા, અર્ચના પટેલ જેવી અનેક મહિલાઓએ કહ્યુ કે, વીડિયોમાં જે મહિલાઓ દેખાઇ રહી છે તે ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર તાળી વગાડી રહી છે. આ મહિલાઓ પોતાની જ બેઇજ્જતી કરી રહી છે. રિમી નામની મહિલાએ લખ્યું કે બાબાના નિવેદન પર મહિલાઓ તાળી વગાડી રહી છે, ભાગ્યહીન નહી, વિચારહીન છે.

ખાલિદ હુસેન નામના એક યૂઝરે લખ્યું કે બાગેશ્વર બાબાના હાલ હવે મનોજ મુંતાશિર જેવા થવાના છે.

ગ્રેટર નોઇડામાં ચાલી રહેલી ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં ભારે ભીડ ઉમટી પડી હતી. કેટલાંક લોકોની તબિયત ખરાબ થઇ હતી તો અનેક મહિલાઓ અને બાળકો બેહોશ થઇ ગયા હતા.

About The Author

Related Posts

Top News

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ગયા શુક્રવારે રાજસ્થાનના એક કેસમાં EDએ અનિલ અંબાણીને રૂબરૂ હાજર થવા...
Business 
અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.