બધુ જ રામના નામે કર્યું, જુબાની આપી પણ.., સીતારામ યાદવનું છલકાયું દર્દ

રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ અયોધ્યાના પરિવારનું દર્દ છલકાયું છે. જેને રજૂ કર્યું છે સીતારામ યાદવે. તેમનું કહેવું છે કે વર્ષ 1950થી પિતા સાથે શ્રી રામલલા માટે પ્રસાદ બનાવતા આવ્યા છીએ. આજે પણ રોજ દુકાનથી રબડી-પેંડા ભગવાન શ્રીરામના ભોગ માટે જાય છે. પિતાજી રામ જન્મભૂમિ કેસમાં સાક્ષી પણ હતા, પરંતુ આજે પરેશાનીની વાત એ છે કે પ્રાણ પ્રતિષ્ઠામાં નિમંત્રણ આપવામાં આવ્યું નથી. જો કે, પરિવારનું કહેવું છે કે નિમંત્રણ મળે છે ત પણ સારું છે અને ન મળે તો પણ સારું છે. અમે શ્રીરામજીની સેવામાં લાગ્યા રહીશું.

રિપોર્ટ મુજબ, અયોધ્યામાં એક નાનકડી રબડી અને પેંડાની દુકાન ચલાવનારા સીતારામ યાદવના પિતા અને તેઓ પોતે રામ મંદિર માટે બતાશા બનાવતા હતા. એ સમયે તેમની એકમાત્ર દુકાન હતી, જ્યાંથી ભગવાન માટે ભોગ જતો હતો અને આજે પણ જાય છે. જો કે બાબરી વિધ્વંસમાં તેમની દુકાન પણ ધ્વસ્ત થઈ ગઈ, પરંતુ તેમણે ક્યારેય પણ વળતર ન લીધું. 75 વર્ષીય સીતારામ યાદવ આજે પણ શ્રી રામલલાના મંદિર પાસે પોતાની નાની દુકાન ચલાવે છે. તેમની દુકાનથી આજે પણ શ્રીરામલલા માટે ભોગ માટે 5 કિલો રબડી અને પેંડા જાય છે. આ પ્રક્રિયા ત્યારથી ચાલે છે, જ્યારે રામલલા ટેન્ટમાં હતા. જો કે, વૃદ્ધ હોવાના કારણે તેમની દીકરી શ્યામા યાદવ તેમના કામોમાં સહયોગ કરે છે.

સીતારામ મુજબ, તેઓ પોતાના પિતા સાથે રામલલાના ભોગ માટે દુકાનથી બતાશા બનાવતા હતા. પિતાનું 20 વર્ષ અગાઉ મોત થઈ ગયું. ત્યારબાદ તેઓ પોતે ભોગ માટે પ્રસાદ બનાવવા લાગ્યા. એટલું જ નહીં તેમણે શ્રીરામ જન્મભૂમિ કેસમાં સાક્ષીના રૂપમાં જુબાની આપી. શ્રીરામની નાનકડી જગ્યાથી લઈને આજે મોટા વિશાળ મંદિર સુધી તેમના હાથે બનેલો ભોગ લગાવવામાં આવે છે. વિવાદમાં તેમની દુકાન જતી રહી.

તેમની આંખો સામે મંદિનું તાળું ખોલવામાં આવ્યું અને રામને કાઢવામાં આવ્યા. આ દરમિયાન તેમની દુકાન અને જમીન જતી રહી. સરકાર તેમને વળતર આપવા માગતી હતી, પરંતુ ન લીધું અને બધુ શ્રીરામના નામે કરી દીધું. થોડે દૂર આજે પણ તેમની બીજી દુકાન છે. આજે પણ 5 કિલો રબડી અને પેંડા શ્રીરામના ભોગ માટે જાય છે, પરંતુ પ્રાણ પ્રતિષ્ઠા માટે તેમની પાસે નિમંત્રણ આવ્યું નથી અને ન તો કોઈએ સૂચના આપી છે.

શ્યામ યાદવની દીકરીએ કહ્યું કે, અમારા બાબા શ્રી રામ માટે ભોગ બનાવતા હતા અને હવે મારા પિતાજી ભોગ માટે પ્રસાદ પોતે બનાવે છે. તેના પિતા શ્રીરામ જન્મભૂમિ કેસમાં સતત જુબાની માટે જતા રહ્યા. સરકારીની ગાડીઓમાં તેમને લઈ જવામાં આવતા હતા. આજે પરેશાની તો થાય છે કે નિમંત્રણ પણ ન આવ્યું. જો કે, પિતાજી આ વાત ક્યારેય આ વાત કહેતા નથી કેમ કે તેઓ દિવસ રાત શ્રીરામની સેવામાં લાગ્યા રહે છે.

Related Posts

Top News

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની...
Gujarat 
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.