500 કરોડના બેંક કૌભાંડમાં પૂર્વ સાંસદ સહિત 3ની EDએ ધરપકડ કરી

આંદામાન નિકોબાર સ્ટેટ કો,.ઓ. બેંકના 500 કરોડ રૂપિયાના કૌભાંડમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને બેંકના પૂર્વ ચેરમેન કુલદીપ રાય શર્મા, બેંકના મેનેજિંગ ડિરેક્ટર કે. મુરુગન અને બેંકના લોન અધિકારી કે. કલેવૈનનની ધરપકડ કરવામાં આવી છે. આંદામાન અને નિકોબારના ઇતિહાસમાં EDએ કોઇની ધરપકડ કરી હોય તેવો આ પહેલો કિસ્સો છે.

બેંકના 500 કરોડ રૂપિયાના કૌભાંડમાં આ 3 માથાઓએ નિયમોને નેવે મુકીને અને નકલી કંપનીઓ બનાવીને 500 કરોડ રૂપિયાનું લોન કૌભાંડ કર્યું હતું, જેમાંથી 230 કરોડ રૂપિયાનો સીધો લાભ કુલદીપ રાય શર્માને મળ્યો હતો.

મુરુગન અને કલેવૈનને પણ પોતાના સંબધોના નામે કંપની બનાવી હતી અને અન્ય લોકોને લોન આપીને 5 ટકા કમિશન મેળવ્યું હતું અને એ લોનની રકમ પછી બેંક અધિકારીઓ વચ્ચે વ્હેંચી લેવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે
Copyright (c) Khabarchhe All Rights Reserved.