ટુ-વ્હીલર ખરીદવા પર હવે બાઇકચાલકને મળશે 2 ISI પ્રમાણિત હેલમેટ, ગડકરીની જાહેરાત

ભારતમાં માર્ગ સલામતીને મજબૂત બનાવવાના પ્રયાસમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે, જે મુજબ હવે નવી ટુવ્હીલર ખરીદવા પર ગ્રાહકને 2 નવા ISI પ્રમાણિત હેલમેટ ફ્રી આપવામાં આવશે. તેમણે પ્રસ્તાવ મૂક્યો છે કે તમામ ટુ-વ્હીલર્સને બે ISI પ્રમાણિત હેલમેટ સાથે આપવા જોઈએ. નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેને ટુ-વ્હીલર હેલમેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાનો સંપૂર્ણ ટેકો મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં માર્ગ અકસ્માતોના આંકડા અત્યંત ચિંતાજનક છે. દર વર્ષે 4.80 લાખથી વધુ માર્ગ અકસ્માતો થાય છે અને 1.88 લાખથી વધુ લોકો જીવ ગુમાવે છે. આમાંથી 66 ટકા મૃતકો 18થી 45 વર્ષની વયના છે. દર વર્ષે 69,000 થી વધુ લોકો મૃત્યુ પામે છે, ખાસ કરીને ટુ-વ્હીલર અકસ્માતોમાં. જેમાંથી 50 ટકા મૃત્યુ હેલમેટ ન પહેરવાને કારણે થાય છે.

1643451822helmet_madhya_pradesh3

ટુ-વ્હીલર હેલમેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (THMA) લાંબા સમયથી ફરજિયાત ISI પ્રમાણિત હેલમેટની માંગ કરી રહ્યું છે. THMA એ ગડકરીના આ સક્રિય નેતૃત્વની પ્રશંસા કરી છે. THMA ના પ્રમુખ રાજીવ કપૂરે જણાવ્યું હતું કે, "આ ફક્ત એક નિયમ નથી પણ રાષ્ટ્રીય જરૂરિયાત છે. હેલમેટ જીવન બચાવે છે, અને દરેક બાઇક ખરીદી સાથે તેને ફરજિયાત બનાવવું એ એક મહત્વપૂર્ણ પગલું છે. માર્ગ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો માટે, આ પગલું આશાનું કિરણ છે કે આવી દુર્ઘટનાઓ હવે અટકાવી શકાય છે." ઉદ્યોગે ભાર મૂક્યો કે ટુ-વ્હીલર ચલાવવું હવે જોખમી ન હોવું જોઈએ. જો બાઇકસવાર અને પાછળ બેઠેલા બંને પાસે ISI પ્રમાણિત હેલમેટ હોય, તો મુસાફરી સલામત અને જવાબદાર બનશે.

1576666130helmet

હેલમેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશને ખાતરી આપી હતી કે તેઓ ગુણવત્તાયુક્ત ISI હેલમેટનું ઉત્પાદન વધારશે અને દેશભરમાં તેમની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે. ગડકરીની પહેલને માર્ગ સલામતીમાં એક સીમાચિહ્નરૂપ ગણાવતા તેમણે કહ્યું કે આ પગલું ભારતમાં સલામત અને સમજદાર ટુ-વ્હીલર મુસાફરીના નવા યુગની શરૂઆત કરશે. કારણ કે દરેક હેલમેટ પાછળ એક અમૂલ્ય જીવન છુપાયેલું છે.

About The Author

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.