પૃથ્વી શૉને DCએ 75 લાખમાં કેમ ખરીદ્યો? હરાજી બાદ ટીમના માલિકે કર્યો ખુલાસો

દિલ્હી કેપિટલ્સના સહ-માલિક કિરણ કુમાર ગ્રાંધીએ IPL 2026ની હરાજી દરમિયાન પૃથ્વી શૉને ફરી એક વખત ફ્રેન્ચાઇઝીમાં સામેલ કરવાના નિર્ણય પાછળનું કારણ જણાવ્યું છે. શૉને દિલ્હી કેપિટલે પહેલી વખત વર્ષ 2018માં ખરીદ્યો હતો, જ્યારે તેણે ભારતીય ટીમની કેપ્ટન્સી કરતા અંડર-19 વર્લ્ડ કપ જીતાડ્યો હતો. શૉની ગણતરી ભવિષ્યના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાં કરવામાં આવતી હતી. શૉને 2025ની મેગા હરાજી પહેલા રીલિઝ કરી દેવામાં આવ્યો હતો.

ગત સીઝનમાં કોઈ ટીમે આ બેટ્સમેનમાં રસ દાખવ્યો નહોતો. 75 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ હોવા છતા પૃથ્વી શૉને એક પણ બોલી મળી નહોતી. IPL 2026ની હરાજીના શરૂઆતી ચરણમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો, જ્યાં તે મુખ્ય ડ્રોમાં અનાસોલ્ડ રહ્યો હતો અને એક્સેલેરેટેડ હરાજી પ્રક્રિયામાં ઘણી વખત પાછો લાવવામાં આવ્યો હતો. અંતે હરાજીના છેલ્લા ચરણમાં દિલ્હી કેપિટલ્સે તેને તેની બેઝ પ્રાઈસમાં ફરીથી પોતાની સાથે કરી લીધો.

prithvi shaw
indiatoday.in

હરાજી બાદ વાત કરતા ગ્રાંધીએ કહ્યું કે, પૃથ્વી શૉ માટે IPLમાં મજબૂત વાપસી કરવાની આ એક શ્રેષ્ઠ તક છે. દિલ્હી કેપિટલ્સના સહ-માલિકે આશા વ્યક્ત કરી કે શૉ આ બીજી તકને ગંભીરતાથી લેશે અને ટીમ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે.

ગ્રાંધીએ કહ્યું કે, ‘પૃથ્વીએ અગાઉ દિલ્હી કેપિટલ્સ માટે સારું પ્રદર્શન કર્યું છે. દરેક ખેલાડીની કારકિર્દીમાં ઉતાર-ચઢાવ આવે છે અને આ તેના માટે મજબૂત વાપસી કરવાની તક છે. અમે આને પૃથ્વી માટે બીજી તક માનીએ છીએ અને હું તેને ફરીથી દિલ્હીની જર્સીમાં જોવા માટે વાસ્તવમાં ઉત્સાહિત છું. આશા છે કે, તે આ તકને ગંભીરતાથી લેશે અને ટીમ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે.

prithvi shaw
onmanorama.com

પૃથ્વી શૉએ પોતાના પહેલા કાર્યકાળમાં દિલ્હી કેપિટલ્સ માટે 79 મેચ રમી હતી, જેમાં કુલ 1892 રન બનાવ્યા હતા. હરાજીની શરૂઆતમાં દિલ્હી કેપિટલ્સે કેટલાક સ્માર્ટ સોદા કર્યા હતા. દિલ્હીએ જમ્મુ-કાશ્મીરના ઓલરાઉન્ડર આકિબ નબી ડાર પર મોટો દાવ લગાવ્યો હતો, તેને 8.40 કરોડ રૂપિયામાં સાઇન કર્યો હતો. ગ્રાંધીનું માનવું છે કે ફ્રેન્ચાઇઝીએ હરાજી દરમિયાન તમામ જરૂરી ક્ષેત્રોને આવરી લીધા છે અને નવી સીઝન માટે એક સંતુલિત ટીમ છે.

About The Author

Related Posts

Top News

કથાવાચકને UP પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું, DGPએ SPને બોલાવ્યા, વિપક્ષે કહ્યું- સંવિધાન અને બાબાસાહેબ...

ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાની પોલીસે ‘અતિશય ભક્તિ’ બતાવી છે, જે હવે તેમના માટે ગળાની ફાંદ બનતી નજરે...
National 
કથાવાચકને UP પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું, DGPએ SPને બોલાવ્યા, વિપક્ષે કહ્યું- સંવિધાન અને બાબાસાહેબ...

દીકરી એ પિતાનો જીવ છે અને તેનું રક્ષણ કરવું એ પિતાનો પરમ ધર્મ છે

(ઉત્કર્ષ પટેલ) દીકરી એટલે પિતાના જીવની ધબકાર. જ્યારે ઘરમાં નાનકડી દીકરીનો જન્મ થાય છે ત્યારે પિતાના હૃદયમાં એક નવો જ...
Lifestyle 
દીકરી એ પિતાનો જીવ છે અને તેનું રક્ષણ કરવું એ પિતાનો પરમ ધર્મ છે

પૃથ્વી શૉને DCએ 75 લાખમાં કેમ ખરીદ્યો? હરાજી બાદ ટીમના માલિકે કર્યો ખુલાસો

દિલ્હી કેપિટલ્સના સહ-માલિક કિરણ કુમાર ગ્રાંધીએ IPL 2026ની હરાજી દરમિયાન પૃથ્વી શૉને ફરી એક વખત ફ્રેન્ચાઇઝીમાં સામેલ કરવાના નિર્ણય...
Sports 
પૃથ્વી શૉને DCએ 75 લાખમાં કેમ ખરીદ્યો? હરાજી બાદ ટીમના માલિકે કર્યો ખુલાસો

ભારતે આ દેશમાં પોતાનું વીઝા સેન્ટર જ બંધ કરી દીધું

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભારતીય વિઝા અરજી કેન્દ્ર (IVAC)એ વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને જોતા બુધવારે તેની ઓફિસ બંધ કરી દીધી...
World 
ભારતે આ દેશમાં પોતાનું વીઝા સેન્ટર જ બંધ કરી દીધું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.