પૃથ્વી શૉને DCએ 75 લાખમાં કેમ ખરીદ્યો? હરાજી બાદ ટીમના માલિકે કર્યો ખુલાસો

દિલ્હી કેપિટલ્સના સહ-માલિક કિરણ કુમાર ગ્રાંધીએ IPL 2026ની હરાજી દરમિયાન પૃથ્વી શૉને ફરી એક વખત ફ્રેન્ચાઇઝીમાં સામેલ કરવાના નિર્ણય પાછળનું કારણ જણાવ્યું છે. શૉને દિલ્હી કેપિટલે પહેલી વખત વર્ષ 2018માં ખરીદ્યો હતો, જ્યારે તેણે ભારતીય ટીમની કેપ્ટન્સી કરતા અંડર-19 વર્લ્ડ કપ જીતાડ્યો હતો. શૉની ગણતરી ભવિષ્યના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાં કરવામાં આવતી હતી. શૉને 2025ની મેગા હરાજી પહેલા રીલિઝ કરી દેવામાં આવ્યો હતો.

ગત સીઝનમાં કોઈ ટીમે આ બેટ્સમેનમાં રસ દાખવ્યો નહોતો. 75 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ હોવા છતા પૃથ્વી શૉને એક પણ બોલી મળી નહોતી. IPL 2026ની હરાજીના શરૂઆતી ચરણમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો, જ્યાં તે મુખ્ય ડ્રોમાં અનાસોલ્ડ રહ્યો હતો અને એક્સેલેરેટેડ હરાજી પ્રક્રિયામાં ઘણી વખત પાછો લાવવામાં આવ્યો હતો. અંતે હરાજીના છેલ્લા ચરણમાં દિલ્હી કેપિટલ્સે તેને તેની બેઝ પ્રાઈસમાં ફરીથી પોતાની સાથે કરી લીધો.

prithvi shaw
indiatoday.in

હરાજી બાદ વાત કરતા ગ્રાંધીએ કહ્યું કે, પૃથ્વી શૉ માટે IPLમાં મજબૂત વાપસી કરવાની આ એક શ્રેષ્ઠ તક છે. દિલ્હી કેપિટલ્સના સહ-માલિકે આશા વ્યક્ત કરી કે શૉ આ બીજી તકને ગંભીરતાથી લેશે અને ટીમ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે.

ગ્રાંધીએ કહ્યું કે, ‘પૃથ્વીએ અગાઉ દિલ્હી કેપિટલ્સ માટે સારું પ્રદર્શન કર્યું છે. દરેક ખેલાડીની કારકિર્દીમાં ઉતાર-ચઢાવ આવે છે અને આ તેના માટે મજબૂત વાપસી કરવાની તક છે. અમે આને પૃથ્વી માટે બીજી તક માનીએ છીએ અને હું તેને ફરીથી દિલ્હીની જર્સીમાં જોવા માટે વાસ્તવમાં ઉત્સાહિત છું. આશા છે કે, તે આ તકને ગંભીરતાથી લેશે અને ટીમ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે.

prithvi shaw
onmanorama.com

પૃથ્વી શૉએ પોતાના પહેલા કાર્યકાળમાં દિલ્હી કેપિટલ્સ માટે 79 મેચ રમી હતી, જેમાં કુલ 1892 રન બનાવ્યા હતા. હરાજીની શરૂઆતમાં દિલ્હી કેપિટલ્સે કેટલાક સ્માર્ટ સોદા કર્યા હતા. દિલ્હીએ જમ્મુ-કાશ્મીરના ઓલરાઉન્ડર આકિબ નબી ડાર પર મોટો દાવ લગાવ્યો હતો, તેને 8.40 કરોડ રૂપિયામાં સાઇન કર્યો હતો. ગ્રાંધીનું માનવું છે કે ફ્રેન્ચાઇઝીએ હરાજી દરમિયાન તમામ જરૂરી ક્ષેત્રોને આવરી લીધા છે અને નવી સીઝન માટે એક સંતુલિત ટીમ છે.

About The Author

Related Posts

Top News

AI કન્ટેન્ટમાં ફરજિયાત લખવું પડશે કે આ AI જનરેટેડ વિઝ્યુઅલ છે, સરકારનો આદેશ

સોશિયલ મીડિયા પર આજકાલ જે વીડિયો અને ફોટા જોવા મળે છે, તેના પર આંખ બંધ કરીને ભરોસો કરવો હવે...
Tech and Auto 
AI કન્ટેન્ટમાં ફરજિયાત લખવું પડશે કે આ AI જનરેટેડ વિઝ્યુઅલ છે, સરકારનો આદેશ

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.