પૃથ્વી શૉને DCએ 75 લાખમાં કેમ ખરીદ્યો? હરાજી બાદ ટીમના માલિકે કર્યો ખુલાસો

દિલ્હી કેપિટલ્સના સહ-માલિક કિરણ કુમાર ગ્રાંધીએ IPL 2026ની હરાજી દરમિયાન પૃથ્વી શૉને ફરી એક વખત ફ્રેન્ચાઇઝીમાં સામેલ કરવાના નિર્ણય પાછળનું કારણ જણાવ્યું છે. શૉને દિલ્હી કેપિટલે પહેલી વખત વર્ષ 2018માં ખરીદ્યો હતો, જ્યારે તેણે ભારતીય ટીમની કેપ્ટન્સી કરતા અંડર-19 વર્લ્ડ કપ જીતાડ્યો હતો. શૉની ગણતરી ભવિષ્યના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાં કરવામાં આવતી હતી. શૉને 2025ની મેગા હરાજી પહેલા રીલિઝ કરી દેવામાં આવ્યો હતો.

ગત સીઝનમાં કોઈ ટીમે આ બેટ્સમેનમાં રસ દાખવ્યો નહોતો. 75 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ હોવા છતા પૃથ્વી શૉને એક પણ બોલી મળી નહોતી. IPL 2026ની હરાજીના શરૂઆતી ચરણમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો, જ્યાં તે મુખ્ય ડ્રોમાં અનાસોલ્ડ રહ્યો હતો અને એક્સેલેરેટેડ હરાજી પ્રક્રિયામાં ઘણી વખત પાછો લાવવામાં આવ્યો હતો. અંતે હરાજીના છેલ્લા ચરણમાં દિલ્હી કેપિટલ્સે તેને તેની બેઝ પ્રાઈસમાં ફરીથી પોતાની સાથે કરી લીધો.

prithvi shaw
indiatoday.in

હરાજી બાદ વાત કરતા ગ્રાંધીએ કહ્યું કે, પૃથ્વી શૉ માટે IPLમાં મજબૂત વાપસી કરવાની આ એક શ્રેષ્ઠ તક છે. દિલ્હી કેપિટલ્સના સહ-માલિકે આશા વ્યક્ત કરી કે શૉ આ બીજી તકને ગંભીરતાથી લેશે અને ટીમ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે.

ગ્રાંધીએ કહ્યું કે, ‘પૃથ્વીએ અગાઉ દિલ્હી કેપિટલ્સ માટે સારું પ્રદર્શન કર્યું છે. દરેક ખેલાડીની કારકિર્દીમાં ઉતાર-ચઢાવ આવે છે અને આ તેના માટે મજબૂત વાપસી કરવાની તક છે. અમે આને પૃથ્વી માટે બીજી તક માનીએ છીએ અને હું તેને ફરીથી દિલ્હીની જર્સીમાં જોવા માટે વાસ્તવમાં ઉત્સાહિત છું. આશા છે કે, તે આ તકને ગંભીરતાથી લેશે અને ટીમ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે.

prithvi shaw
onmanorama.com

પૃથ્વી શૉએ પોતાના પહેલા કાર્યકાળમાં દિલ્હી કેપિટલ્સ માટે 79 મેચ રમી હતી, જેમાં કુલ 1892 રન બનાવ્યા હતા. હરાજીની શરૂઆતમાં દિલ્હી કેપિટલ્સે કેટલાક સ્માર્ટ સોદા કર્યા હતા. દિલ્હીએ જમ્મુ-કાશ્મીરના ઓલરાઉન્ડર આકિબ નબી ડાર પર મોટો દાવ લગાવ્યો હતો, તેને 8.40 કરોડ રૂપિયામાં સાઇન કર્યો હતો. ગ્રાંધીનું માનવું છે કે ફ્રેન્ચાઇઝીએ હરાજી દરમિયાન તમામ જરૂરી ક્ષેત્રોને આવરી લીધા છે અને નવી સીઝન માટે એક સંતુલિત ટીમ છે.

About The Author

Related Posts

Top News

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

US-ઇઝરાયલી હુમલાઓને કારણે ઈરાનમાં થયેલા વિસ્ફોટોએ ફરી એકવાર પશ્ચિમ એશિયાને યુદ્ધમાં ધકેલી દીધું છે. આ સંયુક્ત હુમલાઓએ પ્રશ્ન ઉઠાવ્યો...
World 
અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

રાજસ્થાનના ગામડાઓમાં ઘણી બધી સંખ્યામાં ગાયોને ચરાવવાની દાયકાઓ જૂની પરંપરા પાછી આવશે. સ્વચ્છતા અને ગૌરક્ષાને પ્રોત્સાહન આપવા માટે, પંચાયતી...
National 
અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા. એક રહસ્યમય સ્પિનર, બીજો વિસ્ફોટક ઓપનર. પરંતુ વરુણ અને અભિષેકે વેસ્ટ ઇન્ડીઝ સામે T20...
Sports 
વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.