ભારતે આ દેશમાં પોતાનું વીઝા સેન્ટર જ બંધ કરી દીધું

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભારતીય વિઝા અરજી કેન્દ્ર (IVAC)એ વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને જોતા બુધવારે તેની ઓફિસ બંધ કરી દીધી હતી. ઢાકામાં જમુના ફ્યૂચર પાર્ક (JFP) ખાતે સ્થિત IVAC રાજધાનીમાં તમામ ભારતીય વિઝા સેવાઓ માટે મુખ્ય અને સંકલિત કેન્દ્ર છે. IVACએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે તમને જણાવવા માંગીએ છીએ કે IVAC JFP ઢાકા આજે બપોરે 2:00 વાગ્યે બંધ કરી દેવામાં આવશે.

IVACએ કહ્યું કે, બુધવારે અરજી સબમિશન માટે સુનિશ્ચિત એપોઇન્ટમેન્ટ સ્લોટ ધરાવતા તમામ અરજદારોની એપોઇન્ટમેન્ટ પછીની તારીખ માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. આ અગાઉ, દિલ્હીમાં વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના ઉચ્ચ કમિશનર રિયાઝ હમીદુલ્લાહને સમન્સ પાઠવ્યા હતા અને ઢાકામાં ભારતીય મિશનની આસપાસ સુરક્ષા સંકટ ઉત્પન્ન કરવાના ષડયંત્રની જાહેરાતને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ‘અમે અપેક્ષા રાખીએ છીએ કે તે બાંગ્લાદેશમાં સ્થિત મિશન અને કચેરીઓની પોતાના કૂટનીતિક દાયિત્વો અને સુરક્ષા સુનિશ્ચિત કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉચ્ચ કમિશનરને બાંગ્લાદેશમાં બગડતા સુરક્ષા વાતાવરણ અંગે ભારતની ગંભીર ચિંતાઓથી વાકેફ કરવામાં આવ્યા હતા.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે ભારત બાંગ્લાદેશમાં તાજેતરની કેટલીક ઘટનાઓ અંગે ઉગ્રવાદી તત્વો દ્વારા બનાવવામાં આવી રહેલી ખોટી કહાનીને પૂરી રીતે નકારે છે. હમીદુલ્લાહને સમન્સ પાઠવ્યા બાદ તરત જ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે વચગાળાની સરકારે આ ઘટનાઓની સંપૂર્ણ તપાસ કરી નથી કે ભારત સાથે કોઈ નક્કર પુરાવા શેર કર્યા નથી. ઉચ્ચ કમિશનર હમીદુલ્લાહને બાંગ્લાદેશમાં બગડતા સુરક્ષા વાતાવરણને લઈને ભારતની ગંભીર ચિંતાઓથી વાકેફ કરાવવામાં આવ્યા હતા.

IVCA2
highlandpost.com

ઉલ્લેખનીય છે કે 3 દિવસ અગાઉ બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ઢાકામાં ભારતીય રાજદૂત પ્રણય વર્માને સમન્સ પાઠવ્યા હતા અને પૂર્વ વડાપ્રધાન શેખ હસીના દ્વારા ભારતીય ભૂમિ પરથી આપવામાં આવેલા ઉશ્કેરણીજનક નિવેદનો પર ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે સ્પષ્ટતા કરી હતી કે તેણે ક્યારેય બાંગ્લાદેશના હિતોને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ માટે પોતાની ભૂમિનો ઉપયોગ થવા દીધો નથી.

About The Author

Related Posts

Top News

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.