ભારતે આ દેશમાં પોતાનું વીઝા સેન્ટર જ બંધ કરી દીધું

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભારતીય વિઝા અરજી કેન્દ્ર (IVAC)એ વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને જોતા બુધવારે તેની ઓફિસ બંધ કરી દીધી હતી. ઢાકામાં જમુના ફ્યૂચર પાર્ક (JFP) ખાતે સ્થિત IVAC રાજધાનીમાં તમામ ભારતીય વિઝા સેવાઓ માટે મુખ્ય અને સંકલિત કેન્દ્ર છે. IVACએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે તમને જણાવવા માંગીએ છીએ કે IVAC JFP ઢાકા આજે બપોરે 2:00 વાગ્યે બંધ કરી દેવામાં આવશે.

IVACએ કહ્યું કે, બુધવારે અરજી સબમિશન માટે સુનિશ્ચિત એપોઇન્ટમેન્ટ સ્લોટ ધરાવતા તમામ અરજદારોની એપોઇન્ટમેન્ટ પછીની તારીખ માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. આ અગાઉ, દિલ્હીમાં વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના ઉચ્ચ કમિશનર રિયાઝ હમીદુલ્લાહને સમન્સ પાઠવ્યા હતા અને ઢાકામાં ભારતીય મિશનની આસપાસ સુરક્ષા સંકટ ઉત્પન્ન કરવાના ષડયંત્રની જાહેરાતને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ‘અમે અપેક્ષા રાખીએ છીએ કે તે બાંગ્લાદેશમાં સ્થિત મિશન અને કચેરીઓની પોતાના કૂટનીતિક દાયિત્વો અને સુરક્ષા સુનિશ્ચિત કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉચ્ચ કમિશનરને બાંગ્લાદેશમાં બગડતા સુરક્ષા વાતાવરણ અંગે ભારતની ગંભીર ચિંતાઓથી વાકેફ કરવામાં આવ્યા હતા.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે ભારત બાંગ્લાદેશમાં તાજેતરની કેટલીક ઘટનાઓ અંગે ઉગ્રવાદી તત્વો દ્વારા બનાવવામાં આવી રહેલી ખોટી કહાનીને પૂરી રીતે નકારે છે. હમીદુલ્લાહને સમન્સ પાઠવ્યા બાદ તરત જ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે વચગાળાની સરકારે આ ઘટનાઓની સંપૂર્ણ તપાસ કરી નથી કે ભારત સાથે કોઈ નક્કર પુરાવા શેર કર્યા નથી. ઉચ્ચ કમિશનર હમીદુલ્લાહને બાંગ્લાદેશમાં બગડતા સુરક્ષા વાતાવરણને લઈને ભારતની ગંભીર ચિંતાઓથી વાકેફ કરાવવામાં આવ્યા હતા.

IVCA2
highlandpost.com

ઉલ્લેખનીય છે કે 3 દિવસ અગાઉ બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ઢાકામાં ભારતીય રાજદૂત પ્રણય વર્માને સમન્સ પાઠવ્યા હતા અને પૂર્વ વડાપ્રધાન શેખ હસીના દ્વારા ભારતીય ભૂમિ પરથી આપવામાં આવેલા ઉશ્કેરણીજનક નિવેદનો પર ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે સ્પષ્ટતા કરી હતી કે તેણે ક્યારેય બાંગ્લાદેશના હિતોને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ માટે પોતાની ભૂમિનો ઉપયોગ થવા દીધો નથી.

About The Author

Related Posts

Top News

AI કન્ટેન્ટમાં ફરજિયાત લખવું પડશે કે આ AI જનરેટેડ વિઝ્યુઅલ છે, સરકારનો આદેશ

સોશિયલ મીડિયા પર આજકાલ જે વીડિયો અને ફોટા જોવા મળે છે, તેના પર આંખ બંધ કરીને ભરોસો કરવો હવે...
Tech and Auto 
AI કન્ટેન્ટમાં ફરજિયાત લખવું પડશે કે આ AI જનરેટેડ વિઝ્યુઅલ છે, સરકારનો આદેશ

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.