ભાજપમાં જોડાયેલા ગૌરવ વલ્લભે જણાવ્યું કોના હાથમાં છે કોંગ્રેસનો પાવર

કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થયેલા ગૌરવ વલ્લભે એક ટી.વી. ચેનલ ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસને લઈને ઘણા ખુલાસા કર્યા છે. તો તેમણે કોંગ્રેસના નેતૃત્વ પર પણ પ્રહાર કર્યો. એક સવાલના જવાબમાં ગૌરવ વલ્લભે કહ્યું કે, કોંગ્રેસમાં ઉચ્ચ નેતૃત્વ પાસે નિર્ણય લેવાનો એક ટકા પણ અધિકાર નથી. મલ્લિકાર્જૂન ખરગે એક સારા વ્યક્તિ છે, પરંતુ તેમની પાસે કોઈ પાવર નથી. ગૌરવ વલ્લભને પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસ પાર્ટીમાં કામ કરવાનું સ્ટ્રક્ચર નથી?

તેનો જવાબ આપતા તેમણે કહ્યું કે, પહેલા જ્યારે રાહુલ ગાંધી અધ્યક્ષ હતા, તો ઓછામાં ઓછા એક વ્યક્તિ તો હતા, જે નિર્ણય લેતા હતા, હવે જે પણ નિર્ણય લઈ રહ્યા છે, તેમને ગ્રાઉન્ડ રિયાલિટી ખબર નથી. તેમણે આગળ કહ્યું કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)માં 100 સભ્ય છે. તેમાંથી માત્ર 3 કે 4 લોકો ચૂંટણી લડી રહ્યા છે. બાકી લોકો ડરે છે. રાહુલ ગાંધીએ પહેલા આ CWCવાળા પાસે શીખવું જોઈએ કેમ કે બધા ડરપોક છે. અમે ડરતા નથી. અમને જેટલી વખત જ્યાંથી કહેવામાં આવ્યું એટલી વખત અમે ચૂંટણી લડી.

ગૌરવ વલ્લભને જ્યારે પૂછવામાં આવ્યું કે તો પછી આઈડિયોલોજીમાં ક્યાં કમી આવી ગઈ? તેના પર તેમણે કહ્યું કે, જ્યારે રામ મંદિરનું નિમત્રણ ઠુકરાવી દેવામાં આવ્યું તો એ જ છે કે તેઓ રામમાં વિશ્વાસ ધરાવતા નથી અને જે રામના નથી તેઓ કોઈ કામના નથી. તેમણે કહ્યું કે, મને કોંગ્રેસના ઉચ્ચ નેતાએ બોલાવ્યો અને કહ્યું કે તમારું નામ કોંગ્રેસ કમિટીમાં છે, જ્યારે 10 દિવસ બાદ લિસ્ટ આવી તો મારું નામ નહોતું. પછી જ્યારે મેં તેમને પૂછવામાં આવ્યું તો બોલ્યા કે ધર્મના વિચાર ઈઝ ડઝ નોટ શૂટ અસ.'

ગૌરવ વલ્લભે ભાજપમાં સામેલ થવાને લઈને કહ્યું કે, મને લાગ્યું હતું કે કોંગ્રેસ મને મનાવશે, પરંતુ એમ ન થયું. મેં પાર્ટીમાંથી સનાતનના વિરોધ પર મૌન તોડવા કહ્યું હતું. વલ્લભે હાલમાં જ સનાતનનો વિરોધનો ઉલ્લેખ કરતા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે દાવો કર્યો હતો કે, જે કોંગ્રેસમાં લોકસભાની ટિકિટ આપી રહ્યા હતા તેમને ઉત્તર પ્રદેશની 5 લોકસભા સીટના નામ પણ ખબર નથી. કોંગ્રેસનું ગ્રાઉન્ડ કનેક્શન તૂટી ચૂક્યું છે. એવામાં સ્પષ્ટ દેખાય છે કોંગ્રેસનું સત્તામાં આવવાનું માઇન્ડસેટ નથી.

Related Posts

Top News

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ

રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રવિવારે રોમાન્ચક મેચ જોવા મળી હતી. પંજાબે મેચ 10 રનથી...
Sports 
‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ

જો બાઇડેનના હાડકા સુધી ફેલાઇ ચૂકેલા કેન્સરની સારવાર કેમ મુશ્કેલ? જાણો શું કહી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનને પ્રોસ્ટેટ કેન્સર થઇ ગયું છે. તેમનું આ કેન્સર હાડકાં સુધી ફેલાઇ ચૂક્યું છે. તેનો અર્થ...
Politics  Health 
જો બાઇડેનના હાડકા સુધી ફેલાઇ ચૂકેલા કેન્સરની સારવાર કેમ મુશ્કેલ? જાણો શું કહી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ

ઓવૈસી બિહારમાં મહાગઠબંધનને ઝટકો આપવાની તૈયારીમાં છે, ભાજપને મજા પડી જશે

બિહાર વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર છ મહિના બાકી છે અને તમામ રાજકીય પક્ષો અને તેમના નેતાઓ તેમની ચૂંટણી યોજનાઓને સક્રિય...
National 
ઓવૈસી બિહારમાં મહાગઠબંધનને ઝટકો આપવાની તૈયારીમાં છે, ભાજપને મજા પડી જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.