ભાજપમાં જોડાયેલા ગૌરવ વલ્લભે જણાવ્યું કોના હાથમાં છે કોંગ્રેસનો પાવર

કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થયેલા ગૌરવ વલ્લભે એક ટી.વી. ચેનલ ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસને લઈને ઘણા ખુલાસા કર્યા છે. તો તેમણે કોંગ્રેસના નેતૃત્વ પર પણ પ્રહાર કર્યો. એક સવાલના જવાબમાં ગૌરવ વલ્લભે કહ્યું કે, કોંગ્રેસમાં ઉચ્ચ નેતૃત્વ પાસે નિર્ણય લેવાનો એક ટકા પણ અધિકાર નથી. મલ્લિકાર્જૂન ખરગે એક સારા વ્યક્તિ છે, પરંતુ તેમની પાસે કોઈ પાવર નથી. ગૌરવ વલ્લભને પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસ પાર્ટીમાં કામ કરવાનું સ્ટ્રક્ચર નથી?

તેનો જવાબ આપતા તેમણે કહ્યું કે, પહેલા જ્યારે રાહુલ ગાંધી અધ્યક્ષ હતા, તો ઓછામાં ઓછા એક વ્યક્તિ તો હતા, જે નિર્ણય લેતા હતા, હવે જે પણ નિર્ણય લઈ રહ્યા છે, તેમને ગ્રાઉન્ડ રિયાલિટી ખબર નથી. તેમણે આગળ કહ્યું કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)માં 100 સભ્ય છે. તેમાંથી માત્ર 3 કે 4 લોકો ચૂંટણી લડી રહ્યા છે. બાકી લોકો ડરે છે. રાહુલ ગાંધીએ પહેલા આ CWCવાળા પાસે શીખવું જોઈએ કેમ કે બધા ડરપોક છે. અમે ડરતા નથી. અમને જેટલી વખત જ્યાંથી કહેવામાં આવ્યું એટલી વખત અમે ચૂંટણી લડી.

ગૌરવ વલ્લભને જ્યારે પૂછવામાં આવ્યું કે તો પછી આઈડિયોલોજીમાં ક્યાં કમી આવી ગઈ? તેના પર તેમણે કહ્યું કે, જ્યારે રામ મંદિરનું નિમત્રણ ઠુકરાવી દેવામાં આવ્યું તો એ જ છે કે તેઓ રામમાં વિશ્વાસ ધરાવતા નથી અને જે રામના નથી તેઓ કોઈ કામના નથી. તેમણે કહ્યું કે, મને કોંગ્રેસના ઉચ્ચ નેતાએ બોલાવ્યો અને કહ્યું કે તમારું નામ કોંગ્રેસ કમિટીમાં છે, જ્યારે 10 દિવસ બાદ લિસ્ટ આવી તો મારું નામ નહોતું. પછી જ્યારે મેં તેમને પૂછવામાં આવ્યું તો બોલ્યા કે ધર્મના વિચાર ઈઝ ડઝ નોટ શૂટ અસ.'

ગૌરવ વલ્લભે ભાજપમાં સામેલ થવાને લઈને કહ્યું કે, મને લાગ્યું હતું કે કોંગ્રેસ મને મનાવશે, પરંતુ એમ ન થયું. મેં પાર્ટીમાંથી સનાતનના વિરોધ પર મૌન તોડવા કહ્યું હતું. વલ્લભે હાલમાં જ સનાતનનો વિરોધનો ઉલ્લેખ કરતા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે દાવો કર્યો હતો કે, જે કોંગ્રેસમાં લોકસભાની ટિકિટ આપી રહ્યા હતા તેમને ઉત્તર પ્રદેશની 5 લોકસભા સીટના નામ પણ ખબર નથી. કોંગ્રેસનું ગ્રાઉન્ડ કનેક્શન તૂટી ચૂક્યું છે. એવામાં સ્પષ્ટ દેખાય છે કોંગ્રેસનું સત્તામાં આવવાનું માઇન્ડસેટ નથી.

Related Posts

Top News

ગુજરાત સરકાર 'એકતાના પ્રતીક' તરીકે કચ્છમાં સરહદ નજીક ઓપરેશન સિંદૂર મેમોરિયલ પાર્ક બનાવશે

ભારત સરકારે પાકિસ્તાનમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જે સફળ રહ્યું હતું. હવે ગુજરાત સરકારે...
Gujarat 
ગુજરાત સરકાર 'એકતાના પ્રતીક' તરીકે કચ્છમાં સરહદ નજીક ઓપરેશન સિંદૂર મેમોરિયલ પાર્ક બનાવશે

‘શાનદાર નેતા છે PM મોદી, જો દુનિયા શિવને ફોલો કરે તો..’ એલન મસ્કના પિતાએ સનાતન ધર્મની કરી પ્રશંસા

અમેરિકન અબજપતિ અને ટેસ્લાના CEO એલન મસ્કના પિતા એરોલ મસ્ક ભારત આવ્યા છે. સોમવારે તેમણે સનાતન ધર્મની પ્રશંસા કરતા તેને...
Business 
‘શાનદાર નેતા છે PM મોદી, જો દુનિયા શિવને ફોલો કરે તો..’ એલન મસ્કના પિતાએ સનાતન ધર્મની કરી પ્રશંસા

યોગી સરકાર આ લોકોને નોકરીની ભરતીમાં 20 ટકા અનામત આપશે, ઉંમરમાં પણ 3 વર્ષની છૂટ મળશે

ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે રાજ્ય પોલીસ દળમાં અનેક જગ્યાઓ પર સીધી ભરતીમાં અગ્નિવીરોને 20 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો. CM ...
National 
યોગી સરકાર આ લોકોને નોકરીની ભરતીમાં 20 ટકા અનામત આપશે, ઉંમરમાં પણ 3 વર્ષની છૂટ મળશે

'ઈતિહાસના સૌથી મોટા કડાકાનો સમય આવી ગયો છે, શેરબજાર-બોન્ડ માર્કેટ ક્રેશ..' કિયોસાકીની નવી ચેતવણી!

બેસ્ટ સેલિંગ પુસ્તક 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક અને પ્રખ્યાત અમેરિકન ઉદ્યોગપતિ રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર નવી...
Business 
'ઈતિહાસના સૌથી મોટા કડાકાનો સમય આવી ગયો છે, શેરબજાર-બોન્ડ માર્કેટ ક્રેશ..' કિયોસાકીની નવી ચેતવણી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.