- National
- યોગી સરકાર આ લોકોને નોકરીની ભરતીમાં 20 ટકા અનામત આપશે, ઉંમરમાં પણ 3 વર્ષની છૂટ મળશે
યોગી સરકાર આ લોકોને નોકરીની ભરતીમાં 20 ટકા અનામત આપશે, ઉંમરમાં પણ 3 વર્ષની છૂટ મળશે

ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે રાજ્ય પોલીસ દળમાં અનેક જગ્યાઓ પર સીધી ભરતીમાં અગ્નિવીરોને 20 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો. CM યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. બેઠક પછી મીડિયા સૂત્ર સાથે વાત કરતા નાણામંત્રી સુરેશ કુમાર ખન્નાએ જણાવ્યું હતું કે, આ પગલું અગ્નિપથ યોજના હેઠળ ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા અગ્નિવીરોને સેવા પછી અર્થપૂર્ણ તકો પૂરી પાડવાનો છે. UP સરકારના આ નિર્ણય પછી, અગ્નિવીર હવે UP પોલીસ અને PSCની નોકરીઓ સરળતાથી મેળવી શકશે.
તેમણે કહ્યું કે, આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે. અનામત તમામ શ્રેણીઓ, જનરલ, SC, ST અને OBC માટે લાગુ થશે. જો કોઈ અગ્નિવીર SC શ્રેણીનો છે, તો આરક્ષણ SCમાં લાગુ થશે. બીજી તરફ, જો તે OBC છે, તો તે OBCમાં હશે. તેમણે કહ્યું કે, કોન્સ્ટેબલ પોલીસ, કોન્સ્ટેબલ PAC, માઉન્ટેડ પોલીસ અને ફાયરમેન જેવી શ્રેણીઓ માટે અરજી કરનારા અગ્નિવીરોને પણ વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવામાં આવશે.જેથી તેઓ સરળતાથી અરજી કરી શકે. આ દરખાસ્ત ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી હતી, જેને કેબિનેટે મંજૂરી આપી હતી.

ખન્નાના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ હેઠળ ભરતીનો પહેલો બેચ 2026માં આવશે. ઘણા રાજ્યો અને કેન્દ્રીય દળોએ અગ્નિવીરોને અનામત આપવા માટે પહેલ કરી છે. હરિયાણા અને ઓડિશા જેવા રાજ્યોએ ભૂતપૂર્વ અગ્નિવીરોને 10 ટકા અનામતની ઓફર કરી છે. જ્યારે, ઉત્તર પ્રદેશ કેબિનેટે હવે 20 ટકા અનામતને મંજૂરી આપી છે.
સરકારનો આ નિર્ણય ફક્ત તેમની સેવાને માન્યતા આપતો નથી પરંતુ તે પણ સુનિશ્ચિત કરે છે કે તેઓ તેમના લશ્કરી કાર્યકાળ પછી પણ રાષ્ટ્રના સુરક્ષા માળખામાં યોગદાન આપવાનું ચાલુ રાખી શકે.
કેન્દ્ર સરકારે 2022માં અગ્નિપથ યોજના શરૂ કરી હતી. આ હેઠળ, યુવાનોને આર્મી, નેવી અને એરફોર્સમાં ચાર વર્ષ માટે અગ્નિવીર તરીકે ભરતી કરવામાં આવે છે. આ ચાર વર્ષના કાર્યકાળમાં છ મહિનાની તાલીમનો સમાવેશ થાય છે. ચાર વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી, અગ્નિવીરોની કાર્યક્ષમતાના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. આ મેરિટના આધારે, 25 ટકા અગ્નિવીરોને સેનામાં કાયમી નોકરી મળી શકે છે. બાકીના 75 ટકા અગ્નિવીર નિવૃત્ત થાય છે. એવો અંદાજ છે કે લગભગ 1 લાખ અગ્નિવીરોની પહેલી બેચ 2026-27માં નિવૃત્ત થશે. આમાંથી લગભગ 25,000 લોકોને સેનામાં કાયમી નોકરી મળી શકે છે અને બાકીના સરકારી નોકરીઓ માટે અરજી કરી શકશે. આવી સ્થિતિમાં, UP સરકારનો આ નિર્ણય અગ્નિવીરો માટે એક મોટી તક છે.
Related Posts
Top News
ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા
ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?
દીકરી રસ્તાના ખાડામાં પડી, પિતાએ તે ખાડાના પાણીમાં સૂઈને ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું, 'BJP MLA, અધિકારીઓને કહીને થાકી ગયો..'
Opinion
-copy.jpg)