પોલીસે રસ્તા પર સજાવી દીધા એક્સિડન્ટ થયેલા વાહનો

રીવા જિલ્લાને પ્રયાગરાજ સાથે જોડતા NH-30 પર સ્થિત સોહાગી ખીણમાં થતા ગંભીર માર્ગ અકસ્માતોથી તમે વાકેફ જ હશો. મોતની ખીણ તરીકે ઓળખાતી સોહાગી ખીણમાં અત્યાર સુધી ઘણા આવા હૃદયદ્રાવક અકસ્માતો થયા છે, તેમને યાદ કરવતા જ રૂવાડા ઉભા થઇ જાય છે. આ ખીણમાં થયેલા માર્ગ અકસ્માતોમાં અત્યાર સુધીમાં સેકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતોને રોકવા માટે રીવા પોલીસે એક ગજબની રીત શોધી કાઢી અને મુસાફરોને એલર્ટ કરવા માટે ખીણના રસ્તાના કિનારે અકસ્માતગ્રસ્ત વાહનો લટકાવી દીધા.

Rewa-police1
etvbharat.com

પોલીસનું કહેવું છે કે, અકસ્માતગ્રસ્ત વાહનોને જોઈને લોકોમાં જાગૃતિ આવે એટલે માર્ગ અકસ્માતનો શિકાર થયેલા વાહનોને હાઇવે લટકાવ્યા છે. અકસ્માતનો શિકાર થયેલા આ અકસ્માતગ્રસ્ત ફોર વ્હીલર્સ હાઇવે પરથી પસાર થતા મુસાફરો માટે સાઇન બોર્ડ તરીકે કામ કરશે, જે લોકોને કાળજીપૂર્વક વાહન ચલાવવાનું યાદ અપાવશે કેમ કે તેઓ સંભાવિત અકસ્માતગ્રસ્ત વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે. વાહન ચલાવતી વખતે નાનકડી બેદરકારી પણ જીવ લઈ શકે છે.

તાજેતરમાં જ કલેક્ટર પ્રતિભા પાલે જણાવ્યું હતું કે, જલદી જ MPRDC, 24 કરોડ રૂપિયા ખર્ચ કરીને સોહાગી પહાડી ચિહ્નિત બ્લેક સ્પોટ વિસ્તારોની ડિઝાઇન બદલશે. જેમાં એન્જિનિયરિંગ અને ટેક્નિકલ મદદ પણ લેવામાં આવશે. તેનાથી ખીણમાં અકસ્માતોનો અંત આવશે. SDOP ઉદિત મિશ્રાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘પોલીસ અધિક્ષક વિવેક સિંહ દ્વારા ખીણમાં થનારા અકસ્માતોને રોકવા માટે નવીનતા લાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ સોહાગી ઘાટીના રસ્તાના કિનારે 2 પોઈન્ટ પર અકસ્માતગ્રસ્ત ફોર વ્હીલર્સ મૂકવામાં આવી, જેથી ત્યાંથી પસાર થતા લોકો તેને જોઈ શકે અને તેમને ચેતવણી રૂપ સમજે કે, તમે નાનકડી બેદરકારીથી અકસ્માતના શિકાર થઈ શકો છો. આ વાહનોની સાથે જ, જલદી જ હોર્ડિંગ્સ અને સાઇન બોર્ડ પણ લગાવવામાં આવશે જેમાં ટ્રાફિક સુરક્ષા સંબંધિત જરૂરી નિર્દેશ હશે.

Rewa-police2
indiatv.in

માર્ગ અકસ્માતો પછી, જિલ્લાના સામાજિક કાર્યકર્તાઓએ સોહાગી પહાડ પર સ્થિત રસ્તાની ડિઝાઇનને લઇને ઘણા સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ખીણમાં રસ્તાના નિર્માણ દરમિયાન માનક માપદંડોનું પાલન કરવામાં આવ્યું નથી. આ કારણે, સોહાગી પહાડ અકસ્માતોનું કેન્દ્ર બની ગયો.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.