- National
- ઝૂકી ફડણવીસ સરકાર, 'મહારાષ્ટ્રની શાળાઓમાં હવે હિન્દી જરૂરી નથી...' 3 મુદ્દાથી સમજો પીછેહઠ કેમ કરી
ઝૂકી ફડણવીસ સરકાર, 'મહારાષ્ટ્રની શાળાઓમાં હવે હિન્દી જરૂરી નથી...' 3 મુદ્દાથી સમજો પીછેહઠ કેમ કરી

મહારાષ્ટ્રની શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવાનો નિર્ણય ફડણવીસ સરકાર માટે ગળામાં ફસાયેલું હાડકું બની ગયો. આ મામલે છેલ્લા ઘણા મહિનાઓથી હોબાળો ચાલુ છે. પરંતુ અંતે, ભારે વિરોધ અને મરાઠી ઓળખના પ્રશ્નો વચ્ચે, ફડણવીસ સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો. હવે ધોરણ 1 થી 5 સુધી મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા તરીકે શીખવવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો છે. ચાલો ત્રણ મુદ્દાઓમાં સમજીએ કે સરકારે આ નિર્ણય કેમ બદલવો પડ્યો.

મરાઠી ઓળખ માટે ખતરો, લોકોનો ગુસ્સો: મહારાષ્ટ્રમાં લોકોના હૃદયમાં મરાઠી ભાષા અને સંસ્કૃતિ વસે છે. એપ્રિલ 2025માં, જ્યારે સરકારે ધોરણ 1 થી 5 સુધી હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા બનાવવાનો નિર્ણય લીધો, ત્યારે તેને મરાઠી પર 'હિન્દી લાદવાનો' પ્રયાસ માનવામાં આવ્યો. જેના પછી શિક્ષકો, વાલીઓ અને મરાઠી સંગઠનોએ રાજ્યભરમાં જોરદાર વિરોધ કર્યો. #SaveMarathi સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું. શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને મનસેએ 5 જુલાઈએ મુંબઈમાં વિરોધ કૂચનું આયોજન કર્યું હતું. જો સરકાર પાછળ ન હટી હોતે તો તે મરાઠા અનામત જેવા મોટા આંદોલનમાં ફેરવાઈ શકત, જેના કારણે BJPને મરાઠી મતદારોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હોત અને તેની છબીને નુકસાન થયું હોત.

વિપક્ષની રાજનીતિ, ચૂંટણીમાં હારનો ભય: મહારાષ્ટ્રમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં મરાઠા અનામત જેવા મુદ્દાઓએ BJP અને મહાયુતિ ગઠબંધનને પહેલાથી જ નુકસાન પહોંચાડ્યું હતું. હિન્દી વિવાદ ઉભરી આવતાની સાથે જ સરકારને ડર હતો કે આ મુદ્દો પણ મરાઠા અનામત જેવા મોટા આંદોલનનું સ્વરૂપ લઇ શકે છે. વિપક્ષી પક્ષો, ખાસ કરીને શિવસેના (UBT), કોંગ્રેસ અને NCP (SP)એ આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો. લોકસભા ચૂંટણીમાં મરાઠા અનામત આંદોલનને કારણે NDAને ઘણું નુકસાન થયું હતું. BJP મરાઠવાડા ક્ષેત્રમાંથી એક પણ બેઠક જીતી શક્યું ન હતું. આગામી દિવસોમાં, આના કારણે પાર્ટીની હાલત વધુ ખરાબ થઈ હોત.

પક્ષમાં કોઈ મતભેદ ન થવો જોઈએ, સરકાર પર વિશ્વાસ ટકી રહેવો જોઈએ: આ ઉપરાંત, આ વિવાદ પર મહાયુતિ ગઠબંધનમાં પણ મતભેદો ઉભા થયા હતા. DyCM અજિત પવાર અને શિવસેનાના કેટલાક મંત્રીઓએ ફરજિયાત હિન્દી ભાષા પર સવાલ ઉઠાવ્યા હતા. આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, સરકારે વિવાદનો અંત લાવવા માટે આ નિર્ણય રદ કર્યો. ઉદ્ધવ ઠાકરેએ તેને 'મરાઠી માનુષ પર હુમલો' ગણાવ્યો, જ્યારે કોંગ્રેસ અને NCP (SP)એ સરકારને ઘેરી લીધી. સૌથી અગત્યની વાત એ હતી કે, બંને ભાઈઓ આ બાબતે એક મંચ પર ભેગા થઈ શકે એમ હતા. એવા સંકેતો મળ્યા હતા. મરાઠી મતદારોનો વિશ્વાસ જીતવા માટે, CM દેવેન્દ્ર ફડણવીસે 29 જૂન 2025ના રોજ એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે, હિન્દી ફરજિયાત સંબંધિત 16 એપ્રિલ અને 17 જૂનના સરકારી આદેશો રદ કરવામાં આવી રહ્યા છે. આ સાથે, શિક્ષણશાસ્ત્રી નરેન્દ્ર જાધવની અધ્યક્ષતામાં એક નવી સમિતિની રચના કરવામાં આવી છે, જે ત્રણ ભાષા નીતિ પર વિચાર કરશે. આ સમિતિ મરાઠી વિદ્વાનો, શિક્ષકો અને અન્ય પક્ષો સાથે વાત કરશે અને ત્રણ ભાષા નીતિને કેવી રીતે લાગુ કરવી તે નક્કી કરશે. CM ફડણવીસે સ્પષ્ટ કર્યું કે, મરાઠી ભાષા જ રાજ્યની પ્રથમ પ્રાથમિકતા રહેશે, અને કોઈપણ નિર્ણય મરાઠી ભાષા અને વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.
Related Posts
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી
ભારતીય વાયુસેનાના જવાનના ઘરમાં ચોરી, ID કાર્ડ-યુનિફોર્મ ગાયબ, 2 દિવસ પછી ચોર તેને પાછું મૂકી ગયા!
Opinion
