કરિયાવર પરંપરાથી ઘણો દૂર છે આ સમાજ, વરપક્ષ આપે કન્યાને શગુન

કરિયાવર લેવો લોકો પોતાનું સ્ટેટ્સ માને છે. કરિયાવર વગરના લગ્નને લોકો પોતાના ગૌરવના વિરુદ્ધ માને છે. દરરોજ કોઈ ને કોઈ દીકરી કરિયાવરની સમસ્યાને લઈને મોતને ભેટે છે. જ્યાં એક તરફ બિહારના મુખ્યમંત્રી કરિયાવર પ્રથાને સંપૂર્ણ રીતે દૂર કરવા માટે સમાજ સુધાર યાત્રાને બહાને સમાજને જાગૃત કરી રહ્યા છે. એવામાં સદીઓથી કહલગાવ ગામના આદિવાસી લોકો કરિયાવર વગર લગ્ન કરીને લોકોને અરીસો બતાવી રહ્યા છે. તેઓ સદીઓથી લોકોમાં મિશાલ કાયમ કરી રહ્યા છે. આદિવાસી સમાજમાં આજે પણ કરિયાવર વગર લગ્ન થઇ રહ્યા છે અને આ સમાજમાં વરપક્ષ જ કન્યાપક્ષને શગુન આપે છે. સદીઓથી તિલક કરિયાવર વગર લગ્ન કરવાની પરંપરા આજે પણ આદિવાસી સમાજમાં ચાલે છે અને અન્ય વર્ગો માટે પણ આ સમાજ પ્રેરણારુપ છે.

આજે પણ આદિવાસી સમાજમાં કરિયાવર વગર લગ્નની વિધિ પૂરી કરવામાં આવે છે. આદિવાસી સમાજમાં અમીર પરિવારમાં તિલક કરિયાવર વગર લગ્ન થાય છે. જ્યારે વરપક્ષ કન્યાને લેવા જાનૈયાના રુપમાં તેના ગામમાં જાય છે ત્યારે વરપક્ષ જાનૈયાઓ માટે પોતાના ખર્ચે જ ખાવા પીવાની વ્યવસ્થા કરે છે, જેથી કન્યાપક્ષને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. વરપક્ષ લગ્ન સમયે જ્યારે કન્યાપક્ષના દરવાજે વરઘોડો લઇ પહોંચે, લગ્નની વિધિ શરૂ થઇ જાય, ત્યારે વરપક્ષ તરફથી ત્રણ સાડી અને પાંચ રુપિયા ભેટ સ્વરુપે કન્યાપક્ષને આપવામાં આવે છે. આ ભેટ એટલા માટે આપવામાં આવે છે કારણ કે વરપક્ષ કન્યાપક્ષનો આભાર વ્યક્ત કરે છે કે તેઓએ તેમના જીવથી પણ પ્રિય દીકરી હંમેશાં માટે તેમને દાનમાં આપી દીધી છે.

જાનૈયાઓ ઝાડની નીચે અથવા તો સાધારણ સામિયાણાના નીચે વાસો કરે છે. આખી રાત જાનૈયાઓ અહીં રહે છે. તેઓ છોકરીવાળાના દરવાજે પણ જતા નથી. સવારે કોઈ દ્વારા છોકરીવાળાને જાણ કરવામાં આવે છે કે જાનૈયાઓ આવી રહ્યા છે. ત્યારબાદ કન્યાપક્ષ લગ્ન માટે લોટામાં પાણી ભરી જાનૈયાઓ પાસે આવે છે. ત્યારે સમાજના રીતિ-રીવાજો મુજબ આગળની વિધિ પૂરી કરવામાં આવે છે. કહેવાય છે કે વાંસથી બનાવેલી ડોલીમાં કન્યાને ઉઠાવીને લાવવાની પરંપરા હોય છે. ડોલીમાં છોકરીને સિંદૂર લગાવવામાં આવે છે.

વરપક્ષના લોકો કન્યાપક્ષ પાસે ક્યારેય પણ કરિયાવરની માંગ કરતા નથી. માત્ર લગ્નના દિવસે કન્યાપક્ષના લોકો ગામમાં ખાવા-પીવા માટે આમંત્રણ આપે છે. તે સમયે ગામના લોકો સંદેશાના રુપમાં દાળ, ભાત, શાકભાજી, કઠોળ આપે છે, જેથી કન્યાપક્ષને ખવડાવવામાં કોઈ તકલીફ ના થાય. આ પરંપરા બીજા લગ્નોમાં પણ અપનાવવામાં આવે છે, જેથી દીકરીના લગ્ન કરવાથી પિતાને રાહત મળી શકે. તેનાથી પરસ્પર ભાઈચારો અને પ્રેમ પણ જળવાઈ રહે છે. અહીંયા કરિયાવરની વાતને લઈને ક્યારે પણ છૂટાછેડા થયા નથી.

Related Posts

Top News

નીરવ મોદી પાછો આવશે તો PNB કૌભાંડમાં પૂછપરછ નહીં થાય, ભારતે UKને આપ્યું આશ્વાસન

ભારતે બ્રિટનને આશ્વાસન આપ્યું છે કે, ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના પ્રત્યાર્પણ બાદ પંજાબ નેશનલ બેંક (PNB) છેતરપિંડી કેસમાં...
National 
નીરવ મોદી પાછો આવશે તો PNB કૌભાંડમાં પૂછપરછ નહીં થાય, ભારતે UKને આપ્યું આશ્વાસન

શેરબજાર તૂટવાની તૈયારીમાં, સોનું બેધારી તલવાર... સોના પર RBIએ કહ્યું- પરિસ્થિતિ ક્રૂડ ઓઇલ જેવી થશે

સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. સોનું પ્રતિ 10 ગ્રામ 119000 રૂપિયાને પાર કરી ગયું છે. સોનાએ જે આગળ વધવાની ઝડપ...
Business 
શેરબજાર તૂટવાની તૈયારીમાં, સોનું બેધારી તલવાર... સોના પર RBIએ કહ્યું- પરિસ્થિતિ ક્રૂડ ઓઇલ જેવી થશે

‘બ્રિટને ભારતને ગુલામ નહોતું બનાવ્યું!’ દલીલમાં કુદ્યા એલન મસ્ક? યુઝર્સે પકડાવી દીધી અંગ્રેજોની લૂંટની લિસ્ટ

X પર એક પોસ્ટ આવી. પોસ્ટ કરનારે એક અજીબ તર્ક આપતા કહ્યું કે અંગ્રેજોએ ભારત પર શાસન કર્યું નહોતું અને...
Offbeat 
‘બ્રિટને ભારતને ગુલામ નહોતું બનાવ્યું!’ દલીલમાં કુદ્યા એલન મસ્ક? યુઝર્સે પકડાવી દીધી અંગ્રેજોની લૂંટની લિસ્ટ

કંપનીએ પાકિસ્તાનમાં પોતાનો ધંધો બંધ કર્યો, લોકો શેમ્પૂ, સાબુ અને રેઝર માટે વલખા મારે છે!

વિશ્વના 57 ઇસ્લામિક દેશોનું નેતૃત્વ કરવાનું સ્વપ્ન જોતી પાકિસ્તાનમાં બજારની સ્થિતિ એવી છે કે, બહુરાષ્ટ્રીય કંપનીઓ હવે તે દેશમાં...
World 
કંપનીએ પાકિસ્તાનમાં પોતાનો ધંધો બંધ કર્યો, લોકો શેમ્પૂ, સાબુ અને રેઝર માટે વલખા મારે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.