કરિયાવર પરંપરાથી ઘણો દૂર છે આ સમાજ, વરપક્ષ આપે કન્યાને શગુન

કરિયાવર લેવો લોકો પોતાનું સ્ટેટ્સ માને છે. કરિયાવર વગરના લગ્નને લોકો પોતાના ગૌરવના વિરુદ્ધ માને છે. દરરોજ કોઈ ને કોઈ દીકરી કરિયાવરની સમસ્યાને લઈને મોતને ભેટે છે. જ્યાં એક તરફ બિહારના મુખ્યમંત્રી કરિયાવર પ્રથાને સંપૂર્ણ રીતે દૂર કરવા માટે સમાજ સુધાર યાત્રાને બહાને સમાજને જાગૃત કરી રહ્યા છે. એવામાં સદીઓથી કહલગાવ ગામના આદિવાસી લોકો કરિયાવર વગર લગ્ન કરીને લોકોને અરીસો બતાવી રહ્યા છે. તેઓ સદીઓથી લોકોમાં મિશાલ કાયમ કરી રહ્યા છે. આદિવાસી સમાજમાં આજે પણ કરિયાવર વગર લગ્ન થઇ રહ્યા છે અને આ સમાજમાં વરપક્ષ જ કન્યાપક્ષને શગુન આપે છે. સદીઓથી તિલક કરિયાવર વગર લગ્ન કરવાની પરંપરા આજે પણ આદિવાસી સમાજમાં ચાલે છે અને અન્ય વર્ગો માટે પણ આ સમાજ પ્રેરણારુપ છે.

આજે પણ આદિવાસી સમાજમાં કરિયાવર વગર લગ્નની વિધિ પૂરી કરવામાં આવે છે. આદિવાસી સમાજમાં અમીર પરિવારમાં તિલક કરિયાવર વગર લગ્ન થાય છે. જ્યારે વરપક્ષ કન્યાને લેવા જાનૈયાના રુપમાં તેના ગામમાં જાય છે ત્યારે વરપક્ષ જાનૈયાઓ માટે પોતાના ખર્ચે જ ખાવા પીવાની વ્યવસ્થા કરે છે, જેથી કન્યાપક્ષને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. વરપક્ષ લગ્ન સમયે જ્યારે કન્યાપક્ષના દરવાજે વરઘોડો લઇ પહોંચે, લગ્નની વિધિ શરૂ થઇ જાય, ત્યારે વરપક્ષ તરફથી ત્રણ સાડી અને પાંચ રુપિયા ભેટ સ્વરુપે કન્યાપક્ષને આપવામાં આવે છે. આ ભેટ એટલા માટે આપવામાં આવે છે કારણ કે વરપક્ષ કન્યાપક્ષનો આભાર વ્યક્ત કરે છે કે તેઓએ તેમના જીવથી પણ પ્રિય દીકરી હંમેશાં માટે તેમને દાનમાં આપી દીધી છે.

જાનૈયાઓ ઝાડની નીચે અથવા તો સાધારણ સામિયાણાના નીચે વાસો કરે છે. આખી રાત જાનૈયાઓ અહીં રહે છે. તેઓ છોકરીવાળાના દરવાજે પણ જતા નથી. સવારે કોઈ દ્વારા છોકરીવાળાને જાણ કરવામાં આવે છે કે જાનૈયાઓ આવી રહ્યા છે. ત્યારબાદ કન્યાપક્ષ લગ્ન માટે લોટામાં પાણી ભરી જાનૈયાઓ પાસે આવે છે. ત્યારે સમાજના રીતિ-રીવાજો મુજબ આગળની વિધિ પૂરી કરવામાં આવે છે. કહેવાય છે કે વાંસથી બનાવેલી ડોલીમાં કન્યાને ઉઠાવીને લાવવાની પરંપરા હોય છે. ડોલીમાં છોકરીને સિંદૂર લગાવવામાં આવે છે.

વરપક્ષના લોકો કન્યાપક્ષ પાસે ક્યારેય પણ કરિયાવરની માંગ કરતા નથી. માત્ર લગ્નના દિવસે કન્યાપક્ષના લોકો ગામમાં ખાવા-પીવા માટે આમંત્રણ આપે છે. તે સમયે ગામના લોકો સંદેશાના રુપમાં દાળ, ભાત, શાકભાજી, કઠોળ આપે છે, જેથી કન્યાપક્ષને ખવડાવવામાં કોઈ તકલીફ ના થાય. આ પરંપરા બીજા લગ્નોમાં પણ અપનાવવામાં આવે છે, જેથી દીકરીના લગ્ન કરવાથી પિતાને રાહત મળી શકે. તેનાથી પરસ્પર ભાઈચારો અને પ્રેમ પણ જળવાઈ રહે છે. અહીંયા કરિયાવરની વાતને લઈને ક્યારે પણ છૂટાછેડા થયા નથી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.