કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં શું છે સોનું કે પિત્તળ? આરોપ પર કમિટીનો જવાબ

કેદારનાથ મંદિરના તીર્થ પુરોહિત અને ચારધામ મહાપંચાયતના ઉપાધ્યક્ષ સંતોષ ત્રિવેદીએ કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં લગાવવામાં આવેલા સોનાના વરખ પર સવાલ ઉઠાવ્યા છે. યાત્રાધામના પૂજારીનો આરોપ છે કે સોનું પિત્તળમાં ફેરવાઈ ગયું છે અને તેની તપાસ થવી જોઈએ.બદરી-કેદાર ટેમ્પલ કમિટી (BKTC) એ એક પ્રેસ નોટ જારી કરીને કહ્યું કે સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે.

હકિકતમાં. ચારધામ મહાપંચાયતના ઉપાધ્યક્ષ અને કેદારનાથના વરિષ્ઠ તીર્થ પુરોહિત સંતોષ ત્રિવેદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડીયોમાં તીર્થ પુરોહિત કહી રહ્યા છે કે કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં જે સોનું લગાવવામાં આવ્યું હતું તે હવે પિત્તળમાં બદલાઇ ગયું છે.

તેમણે મંદિર સમિતિનો ઘેરાવ કરીને કહ્યું કે, ગર્ભગૃહમાં સોનાના વરખ લગાવવાના નામ પર સવા અરબ રૂપિયાનો ગોટાળો કરવામાં આવ્યો છે. BKTC, સરકાર અને વહીવટીતંત્રમાં જે પણ આ કામ માટે જવાબદાર છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. BKTCએ સોનું લગાવતા પહેલા તેની તપાસ કરવી જોઈતી હતી.

તીર્થધામના પૂજારીઓ મંદિરની અંદર સોનાની સ્થાપનાનો સતત વિરોધ કરી રહ્યા હતા, તેમ છતાં આ કામ બળજબરીથી કરાવવામાં આવ્યું હતું. સોનાના નામે પિત્તળનું જ પાણી ચઢાવી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે જો તપાસ બાદ દોષિતો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો તીર્થ પુરોહિત ઉગ્ર આંદોલન કરશે.

બીજી તરફ, BKTCના એક્ઝિક્યુટિવ ઓફિસર આર.સી. તિવારીએ જારી કરેલા ખંડન પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેદારનાથ મંદિરના ગર્ભગૃહની દિવાલો અને આભૂષણો પર સોનાનો ઢોળ ચડાવવાનું કામ ગયા વર્ષે  એક દાનવીર દાતાના સહયોગથી કરવામાં આવ્યું હતું. હાલમાં સોશિયલ મીડિયામાં કેટલાક લોકો દ્વારા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોનાની કિંમત એક અબજ 15 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. તથ્ય વગર ભ્રામક માહિતી પ્રસારિત કરીને જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

BKTC એ સ્પષ્ટતા કરી કે કેદારનાથ ગર્ભગૃહમાં 23,777.800 ગ્રામ સોનું સ્થાપિત કરવામાં આવ્યું છે, જેની વર્તમાન કિંમત 14.38 કરોડ છે. સોનાના જડિત કામ માટે ઉપયોગમાં લેવાતી તાંબાની પ્લેટનું કુલ વજન 1,001.300 કિગ્રા છે, જેની કિંમત રૂ. 29 લાખ છે. તેમણે કહ્યું કે, આ ભ્રામક માહિતી ફેલાવવા પર નિયમો અનુસાર કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

Top News

સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા...
National 
સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા

પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...

લગ્ન બાદ પણ પોતાને અપરિણીત બતાવીને છોકરીઓને પ્રેમમાં ફસાવનાર એક  પુરુષનું રહસ્ય તેની જ પત્નીએ ખોલી દીધું. પત્નીએ સોશિયલ મીડિયા...
National 
પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...

ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લારી- ગલ્લા, ઘર, ઝુપડાનું દબાણ હટાવી દેવાતા આમ આદમી...
Gujarat 
ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-05-2025 દિવસ: રવિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમે કેટલીક નવી વ્યવસાયિક યોજનાઓ અમલમાં મૂકશો, પરંતુ તમારે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.