કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં શું છે સોનું કે પિત્તળ? આરોપ પર કમિટીનો જવાબ

On

કેદારનાથ મંદિરના તીર્થ પુરોહિત અને ચારધામ મહાપંચાયતના ઉપાધ્યક્ષ સંતોષ ત્રિવેદીએ કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં લગાવવામાં આવેલા સોનાના વરખ પર સવાલ ઉઠાવ્યા છે. યાત્રાધામના પૂજારીનો આરોપ છે કે સોનું પિત્તળમાં ફેરવાઈ ગયું છે અને તેની તપાસ થવી જોઈએ.બદરી-કેદાર ટેમ્પલ કમિટી (BKTC) એ એક પ્રેસ નોટ જારી કરીને કહ્યું કે સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે.

હકિકતમાં. ચારધામ મહાપંચાયતના ઉપાધ્યક્ષ અને કેદારનાથના વરિષ્ઠ તીર્થ પુરોહિત સંતોષ ત્રિવેદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડીયોમાં તીર્થ પુરોહિત કહી રહ્યા છે કે કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં જે સોનું લગાવવામાં આવ્યું હતું તે હવે પિત્તળમાં બદલાઇ ગયું છે.

તેમણે મંદિર સમિતિનો ઘેરાવ કરીને કહ્યું કે, ગર્ભગૃહમાં સોનાના વરખ લગાવવાના નામ પર સવા અરબ રૂપિયાનો ગોટાળો કરવામાં આવ્યો છે. BKTC, સરકાર અને વહીવટીતંત્રમાં જે પણ આ કામ માટે જવાબદાર છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. BKTCએ સોનું લગાવતા પહેલા તેની તપાસ કરવી જોઈતી હતી.

તીર્થધામના પૂજારીઓ મંદિરની અંદર સોનાની સ્થાપનાનો સતત વિરોધ કરી રહ્યા હતા, તેમ છતાં આ કામ બળજબરીથી કરાવવામાં આવ્યું હતું. સોનાના નામે પિત્તળનું જ પાણી ચઢાવી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે જો તપાસ બાદ દોષિતો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો તીર્થ પુરોહિત ઉગ્ર આંદોલન કરશે.

બીજી તરફ, BKTCના એક્ઝિક્યુટિવ ઓફિસર આર.સી. તિવારીએ જારી કરેલા ખંડન પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેદારનાથ મંદિરના ગર્ભગૃહની દિવાલો અને આભૂષણો પર સોનાનો ઢોળ ચડાવવાનું કામ ગયા વર્ષે  એક દાનવીર દાતાના સહયોગથી કરવામાં આવ્યું હતું. હાલમાં સોશિયલ મીડિયામાં કેટલાક લોકો દ્વારા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોનાની કિંમત એક અબજ 15 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. તથ્ય વગર ભ્રામક માહિતી પ્રસારિત કરીને જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

BKTC એ સ્પષ્ટતા કરી કે કેદારનાથ ગર્ભગૃહમાં 23,777.800 ગ્રામ સોનું સ્થાપિત કરવામાં આવ્યું છે, જેની વર્તમાન કિંમત 14.38 કરોડ છે. સોનાના જડિત કામ માટે ઉપયોગમાં લેવાતી તાંબાની પ્લેટનું કુલ વજન 1,001.300 કિગ્રા છે, જેની કિંમત રૂ. 29 લાખ છે. તેમણે કહ્યું કે, આ ભ્રામક માહિતી ફેલાવવા પર નિયમો અનુસાર કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

Related Posts

Top News

ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

છેવટે, કોણ ધનવાન બનવા નથી માંગતું? પણ એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ તે સ્તર સુધી પહોંચે. બચત...
Business 
ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હરિયાણાના હિસારની રહેવાસી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બોરા અને તેના પતિ દીપક હુડ્ડા વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. પોલીસમાં...
National 
દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અંગત વકીલ એલિના હુબ્બાને ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની તરીકે નિયુક્ત કર્યા છે. આ અંગે...
World 
હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

કોમેડિયન કુણાલ કામરાનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં, તે ઘણા દિવસ સુધી ચર્ચામાં રહ્યો હતો, સોશિયલ મીડિયા...
Entertainment 
આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

Opinion

કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
(ઉત્કર્ષ પટેલ) કિશોરભાઈ વાંકાવાલા એ ગુજરાતના રાજકારણ અને સમાજસેવાના ક્ષેત્રમાં એક એવું નામ છે જે સુરત શહેરના નાગરિકોના હૃદયમાં આજે...
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
સુરતના રક્ષક: અનુપમસિંહ ગેહલોત-પરિવારના સદસ્યની જેમ સુરતીઓની કાળજી લેતા સાચા સંરક્ષક
હાર્દિક પટેલઃ આંદોલન સાથે અનેક ભૂલો કરી છતા સમાજ અને ભાજપે બધું ભૂલી આવકાર આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.