ચૂંટણી અધિકારીની નિમણૂકની કમિટીમાંથી CJIને કાઢવા માટે મોદી સરકારનું નવું બિલ

દિલ્હી વટહુકમ બાદ હવે ચૂંટણી કમિશનરોની નિમણૂક પર સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠના નિર્ણયને બદલવા માટે કેન્દ્ર સરકાર વધુ એક બિલ રજૂ કરશે. મોદી સરકારે રાજ્યસભામાં આજે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (સેવાની નિમણૂક શરતો અને કાર્યકાળ) બિલ 2023 લિસ્ટ કરવામાં આવ્યું છે. આ બિલ પર રાજ્યસભામાં જોરદાર હોબાળો થયો. સુપ્રીમ કોર્ટે માર્ચમાં આપેલા પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, ચૂંટણી કમિશનરોની નિમણૂક, વડાપ્રધાન, CJI અને લોકસભામાં વિપક્ષના નેતાની એક ઉચ્ચાધિકારી કમિટીની ભલામણ પર રાષ્ટ્રપતિ કરશે.

સુપ્રીમ કોર્ટે આ દરમિયાન કહ્યું હતું કે, ચૂંટણી કમિશનરોની નિમણૂક સરકારના નિયંત્રણથી બહાર થવી જોઈએ. કેન્દ્રએ પોતાના નવા બિલના માધ્યમથી આ નિર્ણયને બદલી દીધો અને ચૂંટણી કમિશનરોની નિમણૂકને સરકારના દાયરામાં પાછી લાવી દીધી છે. હવે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરનારી કમિટીમાં વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને એક કેબિનેટ મંત્રી સામેલ થશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, તે માપદંડ ત્યાં સુધી લાગૂ રહેશે, જ્યાં સુધી આ મુદ્દા પર સંસદ દ્વારા કોઈ કાયદો બનાવવામાં આવતો નથી.

કોર્ટે કહ્યું હતું કે, અત્યારે જે ચૂંટણી કમિશનરની નિમણૂક કરવાની વ્યવસ્થા છે, તેને કાયમ નહીં રાખી શકાય. વિપક્ષે આ બિલને લઈને મોદી સરકારને ઘેરી છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, મેં પહેલા જ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીજી દેશની સુપ્રીમ કોર્ટને માનતા નથી. તેમનો સંદેશ સ્પષ્ટ છે, જે સુપ્રીમ કોર્ટના આદેશ તેમને પસંદ નહીં આવે, તેને સંસદમાં કાયદો લાવીને તેને પલટી દેશે. જો વડાપ્રધાન ખુલ્લેઆમ સુપ્રીમ કોર્ટને માનતા નથી તો તે ખૂબ જ ખતરનાક સ્થિતિ છે. સુપ્રીમ કોર્ટે એક નિષ્પક્ષ કમિટી બનાવી હતી, જે નિષ્પક્ષ ચૂંટણી કમિશનરોની નિમણૂક કરશે.

સુપ્રીમ કોર્ટના આદેશોને પલટીને મોદીજીએ એવી કમિટી બનાવી દીધી જે તેમના કંટ્રોલમાં હશે અને જેનાથી તેઓ પોતાની મન પસંદગીના વ્યક્તિને ચૂંટણી કમિશનર બનાવી શકશે. તેનાથી ચૂંટણીની નિષ્પક્ષતા પ્રભાવિત થશે. એક બાદ એક નિર્ણયોથી પ્રધાનમંત્રીજી ભારતીય જનતંત્રને નબળું કરતા જઈ રહ્યા છે. TMC નેતા સાકેત ગોખલેએ કહ્યું કે, મોદી સરકારે ફરી એક વખત સુપ્રીમ કોર્ટના નિર્ણયને બેશરમીથી કચડી દીધો અને ચૂંટણી પંચને પોતાનું ચમચી જ બનવી દીધું. હવે મૂળ રૂપે મોદી અને એક મંત્રી આખા ચૂંટણી પંચની નિમણૂક કરશે.

I.N.D.I.A. ગઠબંધન દ્વારા ભાજપના દિલમાં જે ડર ઉત્પન્ન કર્યા બાદ તે 2024ની ચૂંટણીમાં ગોટાળો કરવાની દિશામાં એક સ્પષ્ટ પગલું છે. કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે આરોપ લગાવ્યો કે, આ પગલું ચૂંટણી આયોગને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથોની કઠપૂતળી બનાવવાનો પ્રયાસ છે. સુપ્રીમ કોર્ટના હાલના નિર્ણયનું શું, જેમાં એક નિષ્પક્ષ પંચની આવશ્યકતાની વાત કરવામાં આવી છે? પ્રધાનમંત્રીએ પક્ષપાતી ચૂંટણી કમિશનરની નિમણૂક કરવાની આવશ્યકતા કેમ અનુભવાય છે? તે એક સંવૈધાનિક મનમાનિપૂર્ણ અને અનુચિત બિલ છે. અમે દરેક મંચ પર તેનો વિરોધ કરીશું.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.