હનુમાનજીએ રાવણની લંકામાં વગાડ્યો કૂટનીતિનો ડંકો, જયશંકરે કોના માટે કહ્યું આવું

દિલ્હી યુનિવર્સિટી લિટરેચર ફેસ્ટિવલમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે વિદેશ નીતિ અને કૂટનીતિને હનુમાનજી સાથે જોડીને સમજાવી. તેમણે કહ્યું કે, હનુમાનજીને જુઓ, ભગવાન શ્રી રામ તેમને દુશ્મન વિસ્તારમાં મોકલે છે. તેમણે ત્યાંની સ્થિતિ સમજવાની હોય છે. સૌથી મુશ્કેલ કામ માતા સીતાને મળવાનું અને તેમનું મનોબળ વધારવાનું છે. પરંતુ તેઓ રાવણના દરબારમાં પહોંચે છે, પોતાને સરેન્ડર કરે છે, અને ત્યાંની પોલિટિક્સને સમજે છે.

jaishankar

જયશંકરે કહ્યું કે, કૂટનીતિના મૂળ આજ છે. મિત્રોની સંખ્યા વધારવી, યોગ્ય લોકોને યોગ્ય જગ્યાએ મૂકવા અને અલગ-અલગ દેશોને એક જોઇન્ટ લક્ષ્ય માટે એકજૂથ કરવા. અમે ભારત માટે કરી આજ કરી રહ્યા છીએ. અમે પોતાના મિત્ર દેશોની સંખ્યા વધારી રહ્યા છીએ, એવા દેશોને જોડી રહ્યા છીએ જે કદાચ એક જ વિચારધારાના નથી, પરંતુ તેમને એકસાથે લાવીને એક મોટા લક્ષ્ય માટે કામ કરી રહ્યા છીએ.

jaishankar1

જયશંકરે વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંબંધો પર પણ ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે કેવી રીતે બંને નેતા એક-બીજા પ્રત્યે સન્માન રાખે છે. જયશંકરે કહ્યું કે, ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળમાં મળવા માટે બોલાવનારા શરૂઆતી નેતાઓમાંથી મોદીજી પણ હતા. હું વર્ષોથી આ કામ કરી રહ્યો છું, એટલે મારી પાસે તુલના કરવા માટે અનુભવ છે. મેં જોયું કે આ પ્રવાસ ઘણી બાબતે ખૂબ સફળ રહ્યો.

તેમણે કહ્યું કે, મોદી અને ટ્રમ્પ બંને રાષ્ટ્રવાદી નેતા છે અને આજ કારણે તેમની વચ્ચે વધુ સારો તાલમેળ દેખાય છે. મોદીજી ભારતને સમર્પિત છે અને ટ્રમ્પ અમેરિકા માટે. રાષ્ટ્રવાદી એક-બીજાના વિચારો સમજે છે અને તેમનો સન્માન પણ કરે છે. દુનિયાના ઘણા નેતાઓ સાથે ટ્રમ્પના સંબંધો વધારે સારા નથી રહ્યા, પરંતુ મોદી સાથે એવું નહોતું.

About The Author

Related Posts

Top News

ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં  80 ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાનો ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે....
Education 
ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું છેલ્લાં 11 મહિનાથી ગુંચવાયેલું છે. આ વખતે ભાજપે ચૂંટણી કરીને રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી...
National 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ બિઝનેસ ટુડેના એક કાર્યક્રમમાં રોકાણકારોને એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, કેટલાંક ગ્લોબલ...
Business 
સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.