હનુમાનજીએ રાવણની લંકામાં વગાડ્યો કૂટનીતિનો ડંકો, જયશંકરે કોના માટે કહ્યું આવું

દિલ્હી યુનિવર્સિટી લિટરેચર ફેસ્ટિવલમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે વિદેશ નીતિ અને કૂટનીતિને હનુમાનજી સાથે જોડીને સમજાવી. તેમણે કહ્યું કે, હનુમાનજીને જુઓ, ભગવાન શ્રી રામ તેમને દુશ્મન વિસ્તારમાં મોકલે છે. તેમણે ત્યાંની સ્થિતિ સમજવાની હોય છે. સૌથી મુશ્કેલ કામ માતા સીતાને મળવાનું અને તેમનું મનોબળ વધારવાનું છે. પરંતુ તેઓ રાવણના દરબારમાં પહોંચે છે, પોતાને સરેન્ડર કરે છે, અને ત્યાંની પોલિટિક્સને સમજે છે.

jaishankar

જયશંકરે કહ્યું કે, કૂટનીતિના મૂળ આજ છે. મિત્રોની સંખ્યા વધારવી, યોગ્ય લોકોને યોગ્ય જગ્યાએ મૂકવા અને અલગ-અલગ દેશોને એક જોઇન્ટ લક્ષ્ય માટે એકજૂથ કરવા. અમે ભારત માટે કરી આજ કરી રહ્યા છીએ. અમે પોતાના મિત્ર દેશોની સંખ્યા વધારી રહ્યા છીએ, એવા દેશોને જોડી રહ્યા છીએ જે કદાચ એક જ વિચારધારાના નથી, પરંતુ તેમને એકસાથે લાવીને એક મોટા લક્ષ્ય માટે કામ કરી રહ્યા છીએ.

jaishankar1

જયશંકરે વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંબંધો પર પણ ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે કેવી રીતે બંને નેતા એક-બીજા પ્રત્યે સન્માન રાખે છે. જયશંકરે કહ્યું કે, ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળમાં મળવા માટે બોલાવનારા શરૂઆતી નેતાઓમાંથી મોદીજી પણ હતા. હું વર્ષોથી આ કામ કરી રહ્યો છું, એટલે મારી પાસે તુલના કરવા માટે અનુભવ છે. મેં જોયું કે આ પ્રવાસ ઘણી બાબતે ખૂબ સફળ રહ્યો.

તેમણે કહ્યું કે, મોદી અને ટ્રમ્પ બંને રાષ્ટ્રવાદી નેતા છે અને આજ કારણે તેમની વચ્ચે વધુ સારો તાલમેળ દેખાય છે. મોદીજી ભારતને સમર્પિત છે અને ટ્રમ્પ અમેરિકા માટે. રાષ્ટ્રવાદી એક-બીજાના વિચારો સમજે છે અને તેમનો સન્માન પણ કરે છે. દુનિયાના ઘણા નેતાઓ સાથે ટ્રમ્પના સંબંધો વધારે સારા નથી રહ્યા, પરંતુ મોદી સાથે એવું નહોતું.

Related Posts

Top News

ગુજરાતની બે વિધાનસભા સીટની પેટાચૂંટણી માટે તારીખ જાહેર

ચૂંટણી પંચે રવિવારે ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ ચાર...
Gujarat 
ગુજરાતની બે વિધાનસભા સીટની પેટાચૂંટણી માટે તારીખ જાહેર

ડાયમંડ પેકેજને ડાયમંડ વર્કર યુનિયને લોલીપોપ કેમ ગણાવ્યું?

ગુજરાત સરકારે શનિવારે સવારે  ડાયમંડ ઉદ્યોગ માટે એક આર્થિક પેકેજની જાહેરાત કરી અને તેમાં રત્નકલાકારો માટે અને નાના કારખાનેદારોને સહાય...
Gujarat 
ડાયમંડ પેકેજને ડાયમંડ વર્કર યુનિયને લોલીપોપ કેમ ગણાવ્યું?

હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ, હાલ જે છે તેનું શું; ભારતીયો પર શું અસર?

આ દિવસોમાં, US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે સંઘર્ષ વધી ગયો છે. અમેરિકન સરકારે યુનિવર્સિટીમાં વિદેશી...
World 
હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ, હાલ જે છે તેનું શું; ભારતીયો પર શું અસર?

એક સાબુની બ્રાન્ડ એમ્બેસેડર બની તમન્ના ભાટિયા તો હોબાળો કેમ મચી ગયો?

કર્ણાટક સરકારની માલિકીની કંપની કર્ણાટક સોપ્સ એન્ડ ડિટર્જન્ટ્સ લિમિટેડ (KSDL) એ અભિનેત્રી તમન્ના ભાટિયાને લોકપ્રિય બ્રાન્ડ 'મૈસુર સેન્ડલ સોપ' ના...
National 
એક સાબુની બ્રાન્ડ એમ્બેસેડર બની તમન્ના ભાટિયા તો હોબાળો કેમ મચી ગયો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.