હરિયાણા માટે કોંગ્રેસે ભાજપને ટેન્શન આપે એવો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો

કોંગ્રેસ પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ સમય દરમિયાન, કુમારી સેલજા અને રણદીપ સુરજેવાલાએ ચંદીગઢમાં મેનિફેસ્ટો લોન્ચિંગ પ્રોગ્રામથી પોતાને દૂર કર્યા છે. આ દરમિયાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, અશોક ગેહલોત અને ઉદયભાન સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.

હકીકતમાં, આ અગાઉ દિલ્હીમાં કોંગ્રેસે 7 ગેરંટીનો પત્ર બહાર પાડ્યો હતો, પરંતુ હવે તેણે ચંદીગઢમાં મેનિફેસ્ટો લોન્ચ કર્યો છે. જેમાં પાર્ટીના પૂર્વ મંત્રી ગીતા ભુક્કલે જણાવ્યું હતું કે, ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા 700થી વધુ શહીદ ખેડૂતોના પરિવારના એક સભ્યને હરિયાણામાં નોકરી આપવામાં આવશે. આ સિવાય કોંગ્રેસ SYL કેનાલ પર પણ નિર્ણય લેશે. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીએ હિમાચલની જેમ હરિયાણામાં જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપ્યું હતું.

ભુક્કલે કહ્યું કે, ઢંઢેરામાં ગરીબોને છત, પછાતને અધિકાર, ખેડૂતોને સમૃદ્ધિ આપવાની વાત કરવામાં આવી છે અને કોંગ્રેસના વચનો મક્કમ ઈરાદાઓ છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે કામ કરશે. શિક્ષણ ક્યારેય BJPના એજન્ડામાં રહ્યું નથી. રાજસ્થાનની પેટર્ન પર 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવાનું કામ કરવામાં આવશે અને અમે મહિલા સશક્તિકરણનું કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ કોંગ્રેસ પાર્ટી કરશે.

ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે, જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો રાજ્યમાં ક્રીમી લેયરનો વ્યાપ 6 લાખથી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવશે. પાર્ટીએ તેના ઢંઢેરામાં કહ્યું છે કે, ભૂતકાળમાં ખેડૂતો પર નોંધાયેલા તમામ કેસ પાછા ખેંચવામાં આવશે અને સમગ્ર કેસની સમીક્ષા કરવામાં આવશે. ભુક્કલે કહ્યું કે, હરિયાણાના ખેડૂતના પાકનો દરેક અનાજ MSP પર વેચવામાં આવશે. સાથે જ કોંગ્રેસની સરકાર બનશે તો બ્રાહ્મણ કલ્યાણ આયોગ, પંજાબી કલ્યાણ બોર્ડ અને લઘુમતી આયોગની પણ રચના થશે. જ્યારે, સફાઈ કામદારોને ફરજ દરમિયાન મૃત્યુના કિસ્સામાં 30 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવશે.

મેનિફેસ્ટોના અધ્યક્ષ ગીતા ભુક્કલે કહ્યું કે, કોંગ્રેસ સરકાર મહિલાઓને દર મહિને 2,000 રૂપિયા આપશે. આ ઉપરાંત હરિયાણામાં સરકારી નોકરીઓમાં પણ 33 ટકા અનામત આપવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીની સરકાર મહિલાઓને 500 રૂપિયામાં સિલિન્ડર પણ આપશે. મહિલાઓની માલિકીની મિલકત પર પ્રોપર્ટી ટેક્સમાં 50 ટકા છૂટ આપવામાં આવશે. આ સિવાય સરકાર પત્રકારોને 25 લાખ રૂપિયા સુધીની મફત કેશલેસ સારવારની સુવિધા આપશે. આ ઉપરાંત સરકાર બનશે તો અનુસૂચિત જાતિની પોસ્ટનો બેકલોગ પણ ભરાશે.

About The Author

Related Posts

Top News

GSTમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર... જુલાઈમાં થશે બેઠક, એક અલગ પ્રકારનો સેસ લાગી શકે છે!

છ મહિનાથી વધુ સમય પછી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની બેઠક જુલાઈની શરૂઆતમાં સંસદના ચોમાસા સત્ર પહેલા...
Business 
GSTમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર... જુલાઈમાં થશે બેઠક, એક અલગ પ્રકારનો સેસ લાગી શકે છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-06-2025 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે, જે લોકો નોકરીમાં છે, તેમને તેમના અધિકારીઓનો સહયોગ મળશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

‘મેરેજ હૉલ સુધી પહોંચવા નહીં દઈએ..’, Amazonના ફાઉન્ડરના લગ્નનો વેનિસના લોકો કેમ વિરોધ કરી રહ્યા છે

Amazonના ફાઉન્ડર જેફ બેજોસના લગ્ન વિરુદ્ધ લોકો પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ ધમકી આપી રહ્યા છે કે, તેઓ બેજોસના...
World 
‘મેરેજ હૉલ સુધી પહોંચવા નહીં દઈએ..’, Amazonના ફાઉન્ડરના લગ્નનો વેનિસના લોકો કેમ વિરોધ કરી રહ્યા છે

મોદીને અમેરિકા કેમ બોલાવી રહ્યા હતા ટ્રમ્પ? અમેરિકાની ‘નોબેલ’વાળી ચાલનો ખુલાસો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G7 સમિટ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. ટ્રમ્પ ઇઝરાયલ-ઈરાન સંઘર્ષને કારણે...
World 
મોદીને અમેરિકા કેમ બોલાવી રહ્યા હતા ટ્રમ્પ? અમેરિકાની ‘નોબેલ’વાળી ચાલનો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.