હવે કોન્ટ્રાક્ટરોની ખેર નહીં! NH પર થતા વારંવાર અકસ્માતને લઈને સરકારે ઉઠાવ્યું મોટું પગલું

રોડ અકસ્માતો અને અકસ્માતમાં થતા મો*ત અટકાવવા માટે હાઇવે મંત્રાલયે નિર્ણય લીધો છે કે જો, બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર મોડેલ હેઠળ બનેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કોઈ ખાસ ભાગમાં વર્ષમાં એક કરતા વધુ અકસ્માત થાય તો કોન્ટ્રાક્ટરોને સજા આપવામાં આવશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે સચિવ વી. ઉમાશંકરે જણાવ્યું હતું કે, હાઇવે મંત્રાલયે BOT દસ્તાવેજમાં બદલાવ કર્યો છે અને હવે કોન્ટ્રાક્ટરોએ ક્રેશ મેનેજમેન્ટ કરવું પડશે અને BOT મોડેલ હેઠળ બનેલા હાઇવેના ભાગ પર એક ખાસ સમયગાળામાં એક કરતા વધુ અકસ્માત થાય છે તો સુધારાત્મક પગલાં લેવા પડશે. જો કોઈ ચોક્કસ ભાગ, માની લો 500 મીટરમાં એક કરતા વધુ અકસ્માત થાય છે, તો કોન્ટ્રાક્ટરને 25 લાખનો દંડ ફટકારવામાં આવશે. જો આગામી વર્ષમાં કોઈ અકસ્માત થાય છે, તો દંડ વધીને 50 લાખ થઈ જશે.

highways-ministry.jpg-3

ઉમાશંકરે જણાવ્યું હતું કે, હાઇવે મંત્રાલયે 3,500 અકસ્માત-સંભવિત વિસ્તારોની ઓળખ કરી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ મુખ્યત્વે 3રીતે પૂરા કરવામાં આવે છે: બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT), હાઇબ્રિડ એન્યુઇટી મોડલ (HAM) અને એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન. BOT મોડેલ પર મેંટેનેન્સ સહિતની છૂટછાટનો સમયગાળો 15 થી 20 વર્ષ અને HAM માટે 15 વર્ષ છે. કન્સેશન હાંસલ કરનાર પ્રોજેક્ટના કન્સેશનર પીરિયડની અંદર NHના વિવિધ વિભાગોની મેન્ટેનેન્સ માટે જવાબદાર હોય છે.

highways-ministry

ઉમાશંકરે એમ પણ જણાવ્યું હતું કે, સરકાર ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવારની યોજના શરૂ કરશે. પાયલટ પ્રોજેક્ટ દરમિયાન ટેક્નિકલ અને પ્રોજેક્ટ લર્નિંગનો સમાવેશ કરીને યોજનામાં જરૂરી ફેરફારો કરવામાં આવશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ વર્ષે મે મહિનામાં જાહેર કરેલી એક અધિસૂચનામાં જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતના પીડિત લોકો પ્રથમ 7 દિવસ માટે નિયુક્ત હૉસ્પિટલોમાં 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેશ સારવાર માટે હકદાર રહેશે.

About The Author

Related Posts

Top News

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

ઇઝરાયેલમાં અલ્ટ્રા-ઓર્થોડોક્સ (કટ્ટરપંથી યહૂદી - જેને ત્યાં Haredi કહેવાય છે) સમુદાયની સૈન્ય ભરતીનો વિવાદ ખૂબ જૂનો અને સંવેદનશીલ છે. પરંતુ...
World 
કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.