પત્નીઓ અમને ફટકારે તો ક્યા જઇએ? પીડિત પુરુષોએ કમિશન ફોર મેન બનાવવા SCમા અરજી કરી

આપણે અત્યાર સુધી ઘરેલુ હિંસાના મામલામાં પરિવાર અથવા પતિ દ્રારા હુમલાની વાત સાંભળતા આવ્યા છે, પરંતુ કેટલાંક કિસ્સાઓમાં પત્નીઓ પણ હિંસક રૂપ ધારણ કરીને પત્નીની ધોલાઇ કરે છે. આપણા દેશમાં મહિલાઓની સુરક્ષા માટે કાયદા છે, પરંતુ  પત્નિ પીડિત પુરુષો માટે કાયદા નથી.

દેશમાં પત્ની પીડિત પતિઓની સંખ્યા વધતી જઇ રહી છે. National Crime Records Bureau (NCRB)ના 2021 આંકડા મુજબ દેશમાં 81,063 પરણીત પુરુષોએ આત્મહત્યા કરી છે, જેમાં 33.2 ટકા પુરુષોએ પારિવારિક સમસ્યામાં અને 4.8 ટકા પુરુષોએ લગ્ન સંબંધિત અને ઘરેલું હિંસાને કારણે આત્મહત્યા કરી લીધી હતી. આને કારણે પત્ની પીડિત પુરુષોએ સુપ્રીમ કોર્ટમાં નેશનલ કમિશન ફોર મેન બનાવવા માટે  અરજી કરી છે.

દેશમાં પુરૂષો માટે નેશનલ કમિશનની રચના કરવાની માંગ વધી રહી છે. બુધવારે આ માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી. એડવોકેટ મહેશ કુમાર તિવારીએ આ અરજી દાખલ કરી છે, જેમાં ઘરેલુ હિંસાનો ભોગ બનેલા પરિણીત પુરૂષો દ્વારા આત્મહત્યા જેવા મામલાઓનો સામનો કરવા માટે ગાઇડલાઇન્સ બનાવવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં, ભારતમાં આકસ્મિક મૃત્યુ પર 2021 માં પ્રકાશિત NCRB ડેટાને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે સમગ્ર દેશમાં 1,64,033 લોકોએ આત્મહત્યા કરી છે.

તેમાંથી 81,063 પરિણીત પુરુષો અને 28,680 પરિણીત મહિલાઓ છે. એવું પણ જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2021માં લગભગ 33.2 ટકા પુરુષોએ પારિવારિક સમસ્યાઓના કારણે અને 4.8 ટકાએ લગ્ન સંબંધિત કારણોસર પોતાનો જીવ આપ્યો હતો. NCRBના ડેટાને ટાંકીને, અરજીમાં કહેવામાં આવ્યું છે કે 33.2 ટકા પુરુષોએ કૌટુંબિક સમસ્યાઓના કારણે , 4.8 ટકાએ વૈવાહિક વિખવાદ અને ઘરેલું હિંસાને કારણે આત્મહત્યા કરી છે.

આ  અરજીમાં સુપ્રીમ કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે કાયદા પંચ  પીડિત પુરુષોની આત્મહત્યા પર અભ્યાસ કરે અને તેના આધારે નેશનલ કમિશન ફોર મેનની રચના કરે. આ સિવાય રાષ્ટ્રીય માનવાધિકાર પંચને ઘરેલુ હિંસાથી પીડિત પુરૂષોની ફરિયાદો પર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઘરેલુ હિંસાનો ભોગ બનેલા પુરૂષોની ફરિયાદ પર પોલીસને કેસ નોંધવાની સૂચના આપવી જોઈએ.

ઘરસંસારમાં પત્નીઓના ત્રાસનો ભોગ બનેલા અને પત્નીઓ તરફથી માર મારવાના કે ફટકારવાની ઘટનાથી પીડિત પતિદેવોએ ભેગા થઇને અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ ની સ્થાપના કરેલી છે.

Related Posts

Top News

બેંગલુરુના માણસે સિમેન્ટ વગર આલીશાન બંગલો બનાવ્યો, 1000 વર્ષ સુધી ચાલશે

ઘર બનાવતી વખતે સૌથી મોટી ચિંતા તેની મજબૂતાઈ, ખર્ચ અને ટકાઉપણું છે. છેલ્લા કેટલાક દાયકાઓથી બાંધકામ માટે સિમેન્ટ અને...
Offbeat 
બેંગલુરુના માણસે સિમેન્ટ વગર આલીશાન બંગલો બનાવ્યો, 1000 વર્ષ સુધી ચાલશે

જાપાનમાં ચોખા અંગે મંત્રીએ એવું નિવેદન આપ્યું કે રાજીનામું આપવું પડ્યું

જાપાનના કૃષિ મંત્રી તાકુ ઇટોએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે અને કારણ છે ચોખા. ચોખા અંગેના તેમના નિવેદનની...
World 
જાપાનમાં ચોખા અંગે મંત્રીએ એવું નિવેદન આપ્યું કે રાજીનામું આપવું પડ્યું

સમર વેકેશન પછી બાળકો આળસુ ન બની જાય તે માટે ટિપ્સ આપે છે ડૉ.ગરિમા મહેતા

ગરમીની રજાઓ બાળકો માટે મોજમસ્તી, આરામ અને તાજગી લાવવાનો સમય હોય છે. પરંતુ ઘણીવાર વધુ છૂટછાટને લીધે જ્યારે સ્કૂલ...
Charcha Patra 
સમર વેકેશન પછી બાળકો આળસુ ન બની જાય તે માટે ટિપ્સ આપે છે ડૉ.ગરિમા મહેતા

બલુચિસ્તાનની પાછળ કેમ પડી ગયું છે ચીન, જાણવા મળ્યું સાચું કારણ

પાકિસ્તાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ એટલે કે બલુચિસ્તાન છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન માટે માથાનો દુખાવો બની રહ્યો છે. કારણ છે એક અલગ...
National 
બલુચિસ્તાનની પાછળ કેમ પડી ગયું છે ચીન, જાણવા મળ્યું સાચું કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.