પત્નીઓ અમને ફટકારે તો ક્યા જઇએ? પીડિત પુરુષોએ કમિશન ફોર મેન બનાવવા SCમા અરજી કરી

આપણે અત્યાર સુધી ઘરેલુ હિંસાના મામલામાં પરિવાર અથવા પતિ દ્રારા હુમલાની વાત સાંભળતા આવ્યા છે, પરંતુ કેટલાંક કિસ્સાઓમાં પત્નીઓ પણ હિંસક રૂપ ધારણ કરીને પત્નીની ધોલાઇ કરે છે. આપણા દેશમાં મહિલાઓની સુરક્ષા માટે કાયદા છે, પરંતુ  પત્નિ પીડિત પુરુષો માટે કાયદા નથી.

દેશમાં પત્ની પીડિત પતિઓની સંખ્યા વધતી જઇ રહી છે. National Crime Records Bureau (NCRB)ના 2021 આંકડા મુજબ દેશમાં 81,063 પરણીત પુરુષોએ આત્મહત્યા કરી છે, જેમાં 33.2 ટકા પુરુષોએ પારિવારિક સમસ્યામાં અને 4.8 ટકા પુરુષોએ લગ્ન સંબંધિત અને ઘરેલું હિંસાને કારણે આત્મહત્યા કરી લીધી હતી. આને કારણે પત્ની પીડિત પુરુષોએ સુપ્રીમ કોર્ટમાં નેશનલ કમિશન ફોર મેન બનાવવા માટે  અરજી કરી છે.

દેશમાં પુરૂષો માટે નેશનલ કમિશનની રચના કરવાની માંગ વધી રહી છે. બુધવારે આ માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી. એડવોકેટ મહેશ કુમાર તિવારીએ આ અરજી દાખલ કરી છે, જેમાં ઘરેલુ હિંસાનો ભોગ બનેલા પરિણીત પુરૂષો દ્વારા આત્મહત્યા જેવા મામલાઓનો સામનો કરવા માટે ગાઇડલાઇન્સ બનાવવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં, ભારતમાં આકસ્મિક મૃત્યુ પર 2021 માં પ્રકાશિત NCRB ડેટાને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે સમગ્ર દેશમાં 1,64,033 લોકોએ આત્મહત્યા કરી છે.

તેમાંથી 81,063 પરિણીત પુરુષો અને 28,680 પરિણીત મહિલાઓ છે. એવું પણ જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2021માં લગભગ 33.2 ટકા પુરુષોએ પારિવારિક સમસ્યાઓના કારણે અને 4.8 ટકાએ લગ્ન સંબંધિત કારણોસર પોતાનો જીવ આપ્યો હતો. NCRBના ડેટાને ટાંકીને, અરજીમાં કહેવામાં આવ્યું છે કે 33.2 ટકા પુરુષોએ કૌટુંબિક સમસ્યાઓના કારણે , 4.8 ટકાએ વૈવાહિક વિખવાદ અને ઘરેલું હિંસાને કારણે આત્મહત્યા કરી છે.

આ  અરજીમાં સુપ્રીમ કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે કાયદા પંચ  પીડિત પુરુષોની આત્મહત્યા પર અભ્યાસ કરે અને તેના આધારે નેશનલ કમિશન ફોર મેનની રચના કરે. આ સિવાય રાષ્ટ્રીય માનવાધિકાર પંચને ઘરેલુ હિંસાથી પીડિત પુરૂષોની ફરિયાદો પર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઘરેલુ હિંસાનો ભોગ બનેલા પુરૂષોની ફરિયાદ પર પોલીસને કેસ નોંધવાની સૂચના આપવી જોઈએ.

ઘરસંસારમાં પત્નીઓના ત્રાસનો ભોગ બનેલા અને પત્નીઓ તરફથી માર મારવાના કે ફટકારવાની ઘટનાથી પીડિત પતિદેવોએ ભેગા થઇને અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ ની સ્થાપના કરેલી છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.