'હું ખુદ યુટ્યુબર શાદાબ જકાતી પાસે જાઉં છું...' ઇરમનો પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો, રડ્યો અને...

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાનો યુટ્યુબર શાદાબ જકાતી પાછો બીજા વિવાદમાં ફાંસી ગયો છે. આ વખતે, મામલો કોઈ વાંધાજનક વીડિયોનો નથી, પરંતુ જકાતી સાથે કામ કરતી ઇરમ નામની મહિલા અને તેના પતિનો છે. તેના પતિ, ખુર્શીદ, જેને સોનુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે ઇરમ પર તેની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન, ઇરમે આ બધા આરોપોને નકારી કાઢ્યા છે. સોશિયલ મીડિયા પર આ વિવાદ એટલો ઝડપથી ફેલાઈ ગયો કે, પોલીસે પણ દરમિયાનગીરી કરવી પડી.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ઇરમના પતિ, ખુર્શીદ, ઇંચૌલી પોલીસ સ્ટેશન ગયા, ચોધાર આંસુએ રડતા અને તેમની સલામતી માટે ખુબ વિનંતી કરી. હૃદયરોગના દર્દી, ખુર્શીદે પોલીસને જણાવ્યું કે તેની પત્ની, ઇરમ, કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી જાય છે અને ઘણા દિવસો સુધી દૂર રહે છે. તે રીલ્સ અને વીડિયો બનાવવાના આડમાં શાદાબ જકાતી સાથે બહાર જાય છે. જ્યારે તે વિરોધ કરે છે, ત્યારે ઇરમ તેને ગાળો આપે છે અને છૂટાછેડાની ધમકી પણ આપે છે. ખુર્શીદ એવો પણ આરોપ લગાવે છે કે, ઇરમ તેને કહે છે, 'તું મરી જા, મને કોઈ ફરક નથી પડતો.'

Iram
aajtak.in

ખુર્શીદનો દાવો છે કે, શાદાબ જકાતી તેની પત્નીને ત્રણ-ચાર દિવસ માટે પોતાની સાથે લઈ જાય છે. તેણે શંકા વ્યક્ત કરી હતી કે, તેની પત્ની અને શાદાબ તેને મારી નાખવાનું કાવતરું ઘડી રહ્યા છે. થોડા દિવસ પહેલા, ઇરમે દેહરાદૂન જવાની વાત કરી હતી, પરંતુ વિરોધ કરવા પર, તે ખોટું બોલી કે તે પોલીસ સ્ટેશનમાં બેઠી છે. ખુર્શીદે કહ્યું કે તે માનસિક રીતે પુરી રીતે ભાંગી પડ્યો છે અને તેને પોતાના અને પોતાના બાળકોના જીવનો ડર સતાવી રહ્યો છે.

ખુર્શીદનો રડવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેનાથી ભારે ચર્ચા શરૂ થઈ ગઈ. વીડિયો વાયરલ થતાં જ, ઇરમે આ વાતનો જવાબ આપવા માટે પોતાનો પક્ષ રજૂ કરતો વીડિયો બહાર પાડ્યો.

ઇરમે તેના પતિના બધા આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેણે કહ્યું, 'હું ખુદ શાદાબ જકાતીના ઘરે જાઉં છું, ત્યાં વીડિયો બનાવું છું અને તેના બદલે મને પૈસા મળે છે. તેમાં કંઈ ખોટી વાત નથી.'

ઇરમે બતાવ્યું કે, તેના ચાર બાળકો છે અને ઘર ચલાવવાની બધી જ જવાબદારી તેના પર છે. તેનો પતિ ખુર્શીદ, સતત તેને માર મારતો, ગાળો આપતો અને પૈસાની માંગણી કરતો. ઇરમે સમજાવ્યું કે, શાદાબ જકાતી તેને ક્યાંય લઇ પણ જતો નથી કે તેના પર બહાર જવા માટે કોઈ દબાણ પણ કરતો નથી. તે પોતાની મરજીથી કામ પર જાય છે અને જ્યારે ઈચ્છે ત્યારે ઘરે પાછી ફરે છે. તેણે કહ્યું, 'મારો પતિ એ સહન કરી શકતો નથી કે, હું પૈસા કમાઈને ઘર ચલાવી રહી છું.'

Iram
livedainik.com

ઇરમે એ પણ ખુલાસો કર્યો કે, ખુર્શીદે તેને પહેલાથી જ છૂટાછેડા આપી દીધા છે, પરંતુ હવે તે અંતિમ છૂટાછેડા માંગે છે કારણ કે સંબંધ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો છે. તેણે શાદાબ જકાતી સામેના અફેરના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે તે ફક્ત પ્રોફેશનલ કામ માટે છે.

જ્યારે આખો મામલો પ્રકાશમાં આવ્યો, ત્યારે પોલીસે પણ તેને ગંભીરતાથી લીધો. બંને પક્ષોના નિવેદનો ઇંચૌલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી રહ્યા છે. સ્ટેશન ઇન્ચાર્જે કહ્યું કે, તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ કાઢવો ઉતાવળ ગણાશે. CO સદર ગ્રામીણ શિવ પ્રતાપ સિંહે કહ્યું કે, ખુર્શીદ પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો, પરંતુ તેણે હજુ સુધી લેખિત ફરિયાદ આપી નથી. તેની પત્નીએ પણ વીડિયો દ્વારા આ મામલામાં પોતાનો પક્ષ રજૂ કર્યો. પોલીસે કહ્યું કે લેખિત ફરિયાદ મળ્યા પછી જ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

‘જરા હનુમાનજીને બોલાવો, મારે મળવું છે...’, બાળકે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરી માંગ

બાગેશ્વર ધામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનો બાળક સ્ટેજ પર...
Offbeat 
‘જરા હનુમાનજીને બોલાવો, મારે મળવું છે...’, બાળકે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરી માંગ

મુર્રા ભેંસે 29.65 લીટર દૂધ આપીને બુલેટ જીતી હતી, અગાઉ તેણે ટ્રેક્ટર અને 2 લાખ રૂપિયા પણ જીત્યા હતા

હરિયાણાના અંબાલામાં બિલ્લુની મુર્રા ભેંસ સતત ચર્ચાનો વિષય રહી છે. સાહાના રહેવાસી બિલ્લુ અને તેની ભેંસોને સોશિયલ મીડિયા અને યુટ્યુબ...
National 
મુર્રા ભેંસે 29.65 લીટર દૂધ આપીને બુલેટ જીતી હતી, અગાઉ તેણે ટ્રેક્ટર અને 2 લાખ રૂપિયા પણ જીત્યા હતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -27-01-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

અજિંક્ય રહાણે લાંબા સમય સુધી વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ઉપ-કેપ્ટન રહ્યો અને તે તેને અને તેના વર્તનથી સારી રીતે પરિચિત છે....
Sports 
શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.