પપ્પાએ મારું યૌન શોષણ કર્યું, ડરીને બેડની નીચે સંતાઈ જતી હતીઃ સ્વાતિ માલીવાલ

દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે શનિવારે સનસની મચાવતો દાવો કર્યો છે. તેણે તેના પિતા પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. સ્વાતિએ કહ્યું- જ્યારે હું બાળકી હતી ત્યારે પિતા મારું યૌન શોષણ કરતા હતા. તેઓ મને મારતા હતા, જેને કારણે હું ડરીને બેડની નીચે સંતાઈ જતી હતી. તેઓ જ્યારે ઘરે આવતા ત્યારે ખૂબ જ ડર લાગતો હતો. હું ખૂબ જ નાની હતી. હું ઘણીવાર બેડની નીચે સંતાઈ જતી હતી અને આખી રાત પ્લાનિંગ કરતી હતી કે મહિલાઓને કઈ રીતે તેમનો અધિકાર અપાવવાનો છે. બાળકીઓ અને મહિલાઓનું શોષણ કરનારાઓને પાઠ ભણાવીશ.

સ્વાતિએ આગળ કહ્યું- મને હજુ સુધી યાદ છે. જ્યારે તેઓ મને મારતા હતા તો મારા વાળ પકડતા હતા અને દીવાલ પર જોરથી માથુ મારી દેતા હતા, જેને કારણે ઈજા થતી હતી અને લોહી પણ નીકળતું હતું. ખૂબ જ દુઃખાવો થતો હતો. પરંતુ, મારું એવુ માનવુ છે કે જ્યારે એક વ્યક્તિ ઘણો બધો અત્યાચાર સહન કરે છે ત્યારે જ તે બીજાઓનું દુઃખ સમજી શકે છે. ત્યારે જ તેની અંદર એક એવી આગ સળગે છે, જેના કારણે તે સમગ્ર સિસ્ટમને હલાવી દે છે. કદાચ મારી સાથે પણ એ જ થયુ અને અમારા જેટલા પણ એવોર્ડી છે, તેમની પણ આ જ સ્ટોરી છે.

સ્વાતિએ કહ્યું- આ ઘટના ત્યારની છે, જ્યારે હું ખૂબ જ નાની હતી. જ્યારે હું ધોરણ 4માં ભણતી હતી, ત્યાં સુધી હું પિતા સાથે રહી. ત્યાં સુધી આવુ ઘણીવાર થતું રહ્યું.

જણાવી દઈએ કે, સ્વાતિ માલીવાલ દિલ્હી મહિલા આયોગ (DCW)ની અધ્યક્ષ છે. 2021માં સ્વાતિને સતત ત્રીજીવાર DCWની જવાબદારી સોંપવામાં આવી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી મહિલા આયોગની હાલની ટીમને બીજી ટર્મ આપવાના નિર્ણય પર સહમતિ વ્યક્ત કરી હતી. સ્વાતિ 2015થી સતત દિલ્હી મહિલા આયોગની પ્રમુખ છે. હાલમાં જ સ્વાતિ ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે તેણે દિલ્હીના રસ્તા પર મહિલાઓની સુરક્ષાને લઈને કાયદો-વ્યવસ્થાનો હાલ જાણવાનો દાવો કર્યો હતો. સ્વાતિએ ટ્વિટ કરીને જણાવ્યું હતું- મોડી રાત્રે તે દિલ્હીમાં મહિલા સુરક્ષાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી હતી. ત્યારે જ એક ગાડીવાળાએ નશાની હાલતમાં તેની છેડતી કરી. જ્યારે તેણે તેને પકડ્યો તો ગાડીના કાચમાં તેનો હાથ બંધ કરીને ચાલકે તેને ઘસડી. માલીવાલે આગળ કહ્યું કે, ભગવાને જીવ બચાવ્યો. જો દિલ્હીમાં મહિલા આયોગની અધ્યક્ષ જ સુરક્ષિત નથી, તો હાલત વિચારી લો.

જણાવવામાં આવ્યું હતું કે, સ્વાતિને કાર ચાલકે 10થી 15 મીટર સુધી ઘસડી હતી. ઘટના દિલ્હી એમ્સની પાસેની હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. જોકે, BJPએ આ સ્ટ્રિંગ ઓપરેશનને લઈને સવાલો ઉઠાવ્યા હતા.

About The Author

Related Posts

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.