વંદે ભારતમાં મુસાફરને ખોરાકમાં વાંદો મળ્યો! ટ્વિટર પર થયો હંગામો; તસવીર વાયરલ થઈ

દેશભરમાં લોકપ્રિય બની રહેલી વંદે ભારત એક્સપ્રેસની અંદર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં રાની કમલાપતિ (હબીબગંજ)- હઝરત નિઝામુદ્દીન વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરને IRCTC (ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) દ્વારા પીરસવામાં આવેલા ભોજનમાં વાંદો જોવા મળ્યો. આનાથી ગુસ્સે ભરાયેલા પેસેન્જરે પીરસેલા ભોજનની તસવીરો લીધી અને ટ્વિટર પર શેર કરી દીધી. પેસેન્જરે કરેલું આ ટ્વિટ ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયું. સોશિયલ મીડિયા પર લોકો આ ટ્રેનમાં પીરસવામાં આવતા ફૂડ અને ફૂડ પ્રોડક્ટ્સ પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા હતા.

પેસેન્જરે કરેલા આ ટ્વીટના જવાબમાં, IRCTCએ પેસેન્જરને થયેલા ખરાબ અનુભવનો જવાબ આપ્યો અને તેના માટે માફી માંગી. IRCTCએ ખાતરી આપી કે, આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે, અને તેમાં સામેલ સેવા પ્રદાતાઓને ભોજન બનાવતી વખતે જરૂરી સાવચેતી રાખવાની કડક ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત, સેવા પ્રદાતા પર ભારે દંડ લાદવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે મોનિટરિંગ વધુ મજબૂત બનાવવામાં આવ્યું હતું.

ભોપાલના ડિવિઝનલ રેલ્વે મેનેજરે પણ ટ્વિટર પર સાબિતી આપી કે IRCTCએ ભોગ બનેલા પેસેન્જર માટે તરત જ વૈકલ્પિક ભોજનની વ્યવસ્થા કરી છે. તેમણે ખાતરી આપી હતી કે, સેવા પ્રદાતા સામે યોગ્ય શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. જેથી આવી ખામીઓ પ્રત્યે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ ન આવે. જો કે, આ કોઈ એક અલગ ઘટના ન હતી. તે જ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા અન્ય કેટલાક મુસાફરોએ પણ ટ્વિટર પર ખોરાકની ગુણવત્તા અંગે તેમની ફરિયાદો વ્યક્ત કરી હતી. આવી ઘટનાઓએ ફરી એકવાર IRCTC અને તેના સેવા પ્રદાતાઓ દ્વારા પીરસવામાં આવતા ભોજનને સવાલોના ઘેરામાં મૂક્યું છે.

હવે અહીં વંદે ભારત ટ્રેનની વાત કરીએ તો, દેશભરમાં તેની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આ ટ્રેનને અલગ-અલગ રૂટ પર દોડાવવામાં આવી રહી છે. PM નરેન્દ્ર મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશભરમાં 75 વંદે ભારત ટ્રેન દોડાવવાની યોજના છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.