ઘરેથી ઓછું ખાવાનું અને ઓછું પાણી પીયને શાળાએ જવા મજબૂર, કારણ હેરાન કરનારું

જે દેશમાં પોતે વડાપ્રધાન શૌચાલય નિર્માણને પ્રોત્સાહન આપી રહ્યા છે, એ દેશની સરકારી શાળામાં એક સારું શૌચાલય પણ ન હોય તો એ વાતનો અંદાજો પોતે લગાવી શકાય છે કે વિકાસની તસવીર શું હશે. એવો જ એક મામલો ઝારખંડના ચતરા જિલ્લાથી સામે આવ્યો છે. અહી એક સરકારી શાળામાં 1090 બાળકો ભણે છે, પરંતુ તેમના ઉપયોગ માટે એક શૌચાલય પણ નથી. આવી સ્થિતિ ત્યારે છે, જ્યારે ત્યાં સ્ટેડિયમ પણ ઉપસ્થિત છે.

ઝારખંડના ચતરામાં શાળાની દુર્દશાની તસવીર સામે આવી છે. અહીં વિદ્યાર્થિનીઓને શૌચ માટે શાળાની બાજુના ઘરોમાં જવું પડે છે. નવું શૌચાલય બનાવ્યા વિના, જૂના શૌચાલયને તોડી દેવામાં આવ્યું. લગભગ 6 મહિના કરતા વધુ સમય વીતી જવા છતા શૌચાલયનું નિર્માણ કરાવી શકાયું નથી. ન તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. મયુરહંડમાં રાજકીય વિવેકાનંદ પ્લસ ટૂ ઉચ્ચ વિદ્યાલયમાં ધોરણ એકથી 12 સુધીમાં 1090 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ભણે છે.

વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે, શૌચાલય ન હોવાના કારણે તેમને શાળાની બાજુના ઘરોના દરવાજા ખખડાવવા પડે છે. સાથે જ તેઓ ઘરથી ઓછું ખાવાનું અને ઓછું પાણી પીયને જાય છે જેથી તેમને શૌચાલયના સંકટનો ઓછો સામનો કરવો પડે. શૌચાલય માટે શાળાના બાજુવાળા ઘરે જતી વખત શાળાના સ્ટેડિયમમાં દારૂ અને જુગાર રમનારા રોમિયો તંગ કરે છે. તો આ મામલે શિક્ષણ અધિકારી દિનેશ કુમાર મિશ્રાએ જણાવ્યું કે, નવા ભવનમાં શૌચાલયનું નિર્માણ થઈ રહ્યું છે.

ભવન નિર્માણ બાદ થોડી સમસ્યાઓ થઈ છે, જલદી જ તેના પર કામ કરવામાં આવશે. તો પ્રભારી મુખ્ય શિક્ષક રાજેન્દ્ર કુમાર દાસે જણાવ્યું કે, શાળામાં શૌચાલય સાથે સાથે અન્ય સમસ્યાઓ પણ છે. 12માં ધોરણમાં એક પણ શિક્ષક નથી. 1-8 સુધીની વિદ્યાર્થિનીઓને ભણાવવા માટે શાળામાં માત્ર 5 જ શિક્ષક છે. શાળાની ચારેય તરફ દીવાલ ન હોવાના કારણે અસામાજિક તત્વોથી ભય બન્યો રહે છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ શાળામાં ભણનાર છોકરા અને પુરુષ શિક્ષક જંગલ કે ખેતરનો સહારો લઈને નિત્યક્રમ કરી લે છે તો શાળામાં ઉપસ્થિત 20 શિક્ષકોમાંથી 3 મહિલાઓ છે અને 2 મહિલા કર્મચારી પણ છે. તેઓ વૉશરુમ માટે પૈસા ચૂકવીને કામ ચલાવી રહી છે. જો કે, તેમને વધુ પૈસા ખર્ચ કરવા પડી રહ્યા છે. તો રાજ્યના શિક્ષણ વિભાગનું કહેવું છે કે હાલના દિવસોમાં રાજ્યની 113 શાળાઓમાં મૂળભૂત સુવિધાઓ માટે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. શૌચાલય સુવિધા માટે એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે, જલદી જ આ સમસ્યાનું સમાધાન કાઢી લેવામાં આવશે.

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.