પત્નીને ભણાવવા વિદેશ જઇ મજૂરી કરી, અહીં ડોક્ટર સાથે લફરૂ થતા પતિને છોડી દીધો

જ્યોતિ મૌર્ય પ્રદેશ અને દેશભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. બંનેના છૂટા પડવાની વાતની ચર્ચાઓ સંભળાય છે. દરમિયાન, તેને મળતો વધુ એક મામલો એટામાં સામે આવ્યો છે. અહીં પતિએ વિદેશમાં વેઇટરનું કામ કરીને પત્નીને ભણાવી અને નર્સિંગનો કોર્સ કરાવ્યો. ત્યારબાદ આગળ પણ અભ્યાસ ચાલુ રાખવાની વાત કહી તો આગરામાં એક સંસ્થામાંથી કોચિંગ કરાવ્યું પરંતુ, અહીં પત્નીને MBBS યુવક મળી ગયો તો પતિ સાથે બેવફાઈ કરી.

મિરહચી ક્ષેત્રના અખતૌલી ગામમાં રહેતા પ્રદીપ કુમારનું કહેવુ છે કે, 2019માં ભાઈના લગ્નમાં આવેલી યુવતી સાથે મુલાકાત થઈ હતી. બે વર્ષ સુધી અમે બંને લિવ ઇન રિલેશનમાં રહ્યા. 2022માં બંનેના પરિવારજનોની સહમતિથી અર્ચના સાથે લગ્ન કર્યા. લગ્ન પહેલા જ અર્ચના આગળ ભણવાની વાત કહી રહી હતી. ત્યારથી જ બધુ ધ્યાન ભણવા પર લગાવ્યું અને પૈસા પણ ખર્ચ કર્યા.

B.Sc. નર્સિંગનો કોર્સ કરાવ્યા બાદ લગ્નના થોડાં સમય બાદ જ આગરામાં કોચિંગ માટે કહેવામાં આવ્યું તો એક રૂમ અપાવીને અભ્યાસ કરાવ્યો. આરોપ છે કે, આશરે છ મહિના બાદ વ્યવહારમાં બદલાવ આવ્યો તો એક દિવસ અચાનક સંતાઇને જોયુ તો પત્ની બે યુવકો સાથે કારમાં રાત્રે આશરે 11 વાગ્યે પાછી આવી, ત્યારે પૂછવામાં આવ્યુ તો ખરી ખોટી સંભળાવવામાં આવી અને બરબાદ કરવાની ધમકી આપવામાં આવી. તેણે કહ્યું કે, જેની સાથે આવી છું તે MBBS છે. તેની સાથે જ રહીશ, તારી અને મારી કોઈ બરાબરી નથી.

આરોપ છે કે, મારાથી પીછો છોડાવવા માટે દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કરાવવામાં આવ્યો છે. બાદમાં પાંચ લાખ રૂપિયામાં નિર્ણય કર્યો. થોડાં દિવસ સાથે રહી પરંતુ, બાદમાં MBBSની સાથે જ રહેવાની જીદ કરીને ચાલી ગઈ. પતિનો આરોપ છે કે, તે મારી સાથે નથી રહેવા માંગતી અને છૂટાછેડા પણ આપવા નથી માંગતી. પોલીસ સાથે મળીને 30 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી રહી છે. બીજી તરફ, પોલીસ પાંચ લાખ રૂપિયાની માંગ કરી રહી છે.

જે પતિએ ભણાવી-ગણાવીને કાબેલ બનાવી, તેનો સાથ છોડનારી પત્નીને મેળવવા માટે CMને વિનંતી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું છે અને ફરિયાદ પણ મુખ્યમંત્રીને મોકલવામાં આવી છે. આ મામલા અંગે મિરહચી પોલીસ સ્ટેશનના પ્રભારી સુભાષ બાબૂએ જણાવ્યું કે, મહિલા તરફથી પતિ વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ ચલાવવામાં આવી રહ્યો છે. પતિ પર ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યા છે. પતિની કોઈ ફરિયાદ હજુ સુધી નથી આવી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.