Video:લદ્દાખમાં માઇનસ ડિગ્રી તાપમાનમાં રોડ પર ઉતર્યા લોકો, જાણો શું છે તેમની માગ

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સામાન્ય રૂપે સૌથી શાંત રહેનારા દેશના આ હિસ્સામાં લોકોનું રસ્તા પર ઊતરવું ખૂબ હેરાનીભર્યું છે. જો કે, લોકો આમ જ રસ્તા પર પ્રદર્શન કરી રહ્યા નથી, પરંતુ તેમની એક ખાસ માગ છે. લદ્દાખના લોકોનું કહેવું છે કેન્દ્રશાસિત પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરથી અલગ કરીને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યું હતું.

લદ્દાખમાં હજારો લોકોના પ્રદર્શનના કારણે મોટી સંખ્યામાં દુકાનો બંધ કરી દેવામાં આવી છે. વિરોધ પ્રદર્શનની આગેવાની લેહ એપેક્સ બોડી (LAB) અને કારગિલ ડેમોક્રેટિક અલાયન્સ (KDA) દ્વારા કરવામાં આવી રહી છે. વિરોધ પ્રદર્શનનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે કડકડતી ઠંડીમાં પણ પુરુષ અને મહિલાઓ રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છે. એવામાં આવો જાણીએ અંતે લદ્દાખમાં થઈ રહેલા પ્રદર્શન પાછળનું અસલી કારણ શું છે?

શું છે પ્રદર્શનકારીઓની માગ?

જમ્મુ-કાશ્મીરથી જ્યારે 5 ઓગસ્ટ 2019ના રોજ 370 અને 35(A)ને હટાવવામાં આવ્યાં, તો એ સમયે રાજ્યને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેચી દેવામાં આવ્યું. તેમાંથી એક જમ્મુ-કાશ્મીર રહ્યું, જે વિધાનસભાવાળું કેન્દ્રશાસિત બન્યું. તો લદ્દાખને વિધાનસભા વિનાનું કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું. શરૂઆતમાં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા પર લદ્દાખમાં વધુ પ્રદર્શન ન થયા, પરંતુ ધીરે ધીરે વિરોધના સ્વર બુલંદ થવા લાગ્યો, જેનો અપરિનાં હલના પ્રદર્શન છે.

લદ્દાખના લોકોનું કહેવું છે કે તેઓ પૂર્ણ રાજ્યનો દરજ્જો ઈચ્છે છે. લોકો અહીની નોકરશાહીથી પરેશાન થઈ ચૂક્યા છે અને તેમણે માગ કરી છે કે જનતાને પોતાના પ્રતિનિધિઓ ચૂંટવાનો અવસર મળવો જોઈએ. એ ત્યારે જ સંભવ થઈ શકશે, જ્યારે પૂર્ણ રાજ્ય બનશે. LAB અને KDA લદ્દાખના બે ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે અને આ દિવસોમાં તેઓ લોકોને એકત્ર કરીને પ્રદર્શનની આગેવાની કરી રહી છે. ઓગસ્ટ 2021માં બંને સાથે આવ્યા, જેથી વિરોધનો અવાજ બુલંદ કરી શકાય.

લદ્દાખમાં પ્રદર્શન કરી રહેલા લોકોની મુખ્ય માગ કેન્દ્રશાસિત રાજ્યને પૂર્ણ રાજ્ય બનાવવું, સંવિધાનની છઠ્ઠી અનુસૂચીને લાગૂ કરવી અને લેહ અને કારગિલ જિલ્લા માટે અલગ અલગ સંસદીય સીટ સ્થાપિત કરવાની છે. છઠ્ઠી અનુસૂચિ માટે જનજાતિઓ ક્ષેત્રોમાં સ્વાયત્ત જિલ્લા બનાવવાનું પ્રાવધાન છે. લદ્દાખમાં પણ ઘણા પ્રકારની જનજાતિઓ રહે છે, એટલે આ માંગ હજુ પણ વધારે ઉઠી રહી છે.

About The Author

Related Posts

Top News

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની કેન્દ્ર સરકારની જાહેર ખાતરીના થોડા સમય બાદ, ભારતના મુખ્ય ઓટોમોબાઈલ સંગઠને બળતણમાં મિશ્રણ...
Tech and Auto 
ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.