Video: પહેલવાનોએ આ મોટા નેતાને સ્ટેજ પરથી ઉતાર્યા નીચે, કહ્યું- આ એથલીટોનો વિરોધ

પહેલવાનોના વિરોધ પ્રદર્શનને રાજકીય રંગ આપવા કેટલાક નેતા પણ પહોંચી રહ્યા છે. વામપંથી નેતા વૃંદા કરાતને પહેલવાનો દ્વારા ગુરુવારે દિલ્હીના જંતર-મંતર પર સ્ટેજ છોડવા માટે હાથ જોડીને અનુરોધ કરવામાં આવ્યો, જ્યાં આશરે 200 પહેલવાન, મહાસંઘ પ્રમુખ અને ઘણા કોચો પર એથલીટોના યૌન ઉત્પીડનના આરોપોને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ટોકિયો ઓલમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાએ કાર્યક્રમ સ્થળ પર પહોંચવા પર વૃંદા કરાતને કહ્યું, નીચે ચાલ્યા જાઓ કૃપયા... અમે તમને અનુરોધ કરીએ છીએ, કૃપા કરીને તેને રાજકીય હથિયાર ના બનાવો. આ એથલીટોનો વિરોધ છે.

એથલીટોના ધરણાનો આજે બીજો દિવસ છે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ની સાંસદે ત્યારબાદ એનડીટીવીને કહ્યું, અમે કોઈપણ પ્રકારના યૌન ઉત્પીડન વિરુદ્ધ લડાઈમાં સામેલ થવા માટે તૈયાર છીએ, એવુ કંઈ પણ જે મહિલાઓના કોઈપણ વર્ગને અપમાનિત કરે છે. આથી, અમે અહીં માંગ કરીએ છીએ કે સરકાર દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે. તેમણે કહ્યું, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે, તેમને (પહેલવાનોને) અહીં આવવા અને ધરણા પર બેસવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. કોઈપણ રંગની સરકારે એ સુનિશ્ચિત કરવુ જોઈએ કે કોઈપણ મહિલા દ્વારા કોઈપણ ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવે. જ્યાં સુધી તપાસ કોઈ પરિણામ પર ના પહોંચે, આરોપી વ્યક્તિને હટાવી દેવામાં આવવા જોઈએ.

વૃંદા કરાત લગભગ એ જ સમયે જંતર-મંતર પહોંચ્યા, જ્યારે ઓલમ્પિયન બબીતા ફોગાટ પહેલવાનોના એક સમૂહ સાથે સરકારની વાતચીતનો સંદેશ લઈને આવી. બબીતા પોતે એક પૂર્વ પહેલવાન છે અને હવે સત્તારૂઢ BJPની સભ્ય અને હરિયાણા સરકારનો હિસ્સો છે. તેમણે કહ્યું, હું પહેલા પહેલવાન છું. BJP સરકાર પહેલવાનોની સાથે છે. હું સુનિશ્ચિત કરીશ કે આજે જ કાર્યવાહી થાય. હું પહેલવાન છું અને હું સરકારમાં પણ છું. આથી, મધ્યસ્થતા કરવી મારી જવાબદારી છે. મેં મારા કરિયરમાં અપશબ્દોના કિસ્સા પણ સાંભળ્યા છે. આગ વિના ધુમાડો નથી થતો. આ અવાજો મહત્ત્વપૂર્ણ છે.

ઉલ્લેખનીય છે કે, દેશના ખેલ મંત્રાલયે પહેલા જ ભારતીય કુશ્તી મહાસંઘ (WFI) ને 72 કલાકની અંદર આરોપોનો જવાબ આપવા માટે કહ્યું છે. WFIના અધ્યક્ષ બૃજભૂષણ ચરણ સિંહ, જે BJP સાંસદ પણ છે, એ આરોપોનું ખંડન કર્યું છે.

Related Posts

Top News

અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને જનસૂરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર એક જ રસ્તાના મુસાફર બની ગયા હોય એવું...
Politics 
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટેસ્ટ સિરીઝની પાંચમી અને નિર્ણાયક મેચ  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ છે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર...
Sports 
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર 25 ટકા ટેરિફ નાંખવાની અને 1 ઓગસ્ટથી અમલ કરવાની જાહેરાત કરી. ટ્રમ્પના આ ટેરિફની સૌથી...
Business 
ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -01-08-2025વાર - શુક્રવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ આઠમઆજની રાશિ - તુલા ચોઘડિયા, દિવસચલ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.