Video: પહેલવાનોએ આ મોટા નેતાને સ્ટેજ પરથી ઉતાર્યા નીચે, કહ્યું- આ એથલીટોનો વિરોધ

પહેલવાનોના વિરોધ પ્રદર્શનને રાજકીય રંગ આપવા કેટલાક નેતા પણ પહોંચી રહ્યા છે. વામપંથી નેતા વૃંદા કરાતને પહેલવાનો દ્વારા ગુરુવારે દિલ્હીના જંતર-મંતર પર સ્ટેજ છોડવા માટે હાથ જોડીને અનુરોધ કરવામાં આવ્યો, જ્યાં આશરે 200 પહેલવાન, મહાસંઘ પ્રમુખ અને ઘણા કોચો પર એથલીટોના યૌન ઉત્પીડનના આરોપોને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ટોકિયો ઓલમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાએ કાર્યક્રમ સ્થળ પર પહોંચવા પર વૃંદા કરાતને કહ્યું, નીચે ચાલ્યા જાઓ કૃપયા... અમે તમને અનુરોધ કરીએ છીએ, કૃપા કરીને તેને રાજકીય હથિયાર ના બનાવો. આ એથલીટોનો વિરોધ છે.

એથલીટોના ધરણાનો આજે બીજો દિવસ છે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ની સાંસદે ત્યારબાદ એનડીટીવીને કહ્યું, અમે કોઈપણ પ્રકારના યૌન ઉત્પીડન વિરુદ્ધ લડાઈમાં સામેલ થવા માટે તૈયાર છીએ, એવુ કંઈ પણ જે મહિલાઓના કોઈપણ વર્ગને અપમાનિત કરે છે. આથી, અમે અહીં માંગ કરીએ છીએ કે સરકાર દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે. તેમણે કહ્યું, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે, તેમને (પહેલવાનોને) અહીં આવવા અને ધરણા પર બેસવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. કોઈપણ રંગની સરકારે એ સુનિશ્ચિત કરવુ જોઈએ કે કોઈપણ મહિલા દ્વારા કોઈપણ ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવે. જ્યાં સુધી તપાસ કોઈ પરિણામ પર ના પહોંચે, આરોપી વ્યક્તિને હટાવી દેવામાં આવવા જોઈએ.

વૃંદા કરાત લગભગ એ જ સમયે જંતર-મંતર પહોંચ્યા, જ્યારે ઓલમ્પિયન બબીતા ફોગાટ પહેલવાનોના એક સમૂહ સાથે સરકારની વાતચીતનો સંદેશ લઈને આવી. બબીતા પોતે એક પૂર્વ પહેલવાન છે અને હવે સત્તારૂઢ BJPની સભ્ય અને હરિયાણા સરકારનો હિસ્સો છે. તેમણે કહ્યું, હું પહેલા પહેલવાન છું. BJP સરકાર પહેલવાનોની સાથે છે. હું સુનિશ્ચિત કરીશ કે આજે જ કાર્યવાહી થાય. હું પહેલવાન છું અને હું સરકારમાં પણ છું. આથી, મધ્યસ્થતા કરવી મારી જવાબદારી છે. મેં મારા કરિયરમાં અપશબ્દોના કિસ્સા પણ સાંભળ્યા છે. આગ વિના ધુમાડો નથી થતો. આ અવાજો મહત્ત્વપૂર્ણ છે.

ઉલ્લેખનીય છે કે, દેશના ખેલ મંત્રાલયે પહેલા જ ભારતીય કુશ્તી મહાસંઘ (WFI) ને 72 કલાકની અંદર આરોપોનો જવાબ આપવા માટે કહ્યું છે. WFIના અધ્યક્ષ બૃજભૂષણ ચરણ સિંહ, જે BJP સાંસદ પણ છે, એ આરોપોનું ખંડન કર્યું છે.

About The Author

Related Posts

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.