મહારાષ્ટ્ર: ઇમામનો આરોપ, જય શ્રી રામ ન બોલ્યો તો, મસ્જિદમાં માર્યો, મારી દાઢી...

મહારાષ્ટ્રના જાલનામાં 3 અજ્ઞાત વ્યકિતઓએ એક 26 વર્ષના ઇમામની મસ્જિદમાં ઘુસીને કથિત રીતે મારપીટ કરી અને તેમની દાઢી કાપી નાંખી હતી. આ ઘટના જાલનાના અનવા ગામની છે.અહીં એક મસ્જિદના ઈમામ જાકીર સૈયદ ખાજાએ દાવો કર્યો છે કે તે રવિવાર, 26 માર્ચ સાંજે 7:30 વાગ્યા સુધી જામા મસ્જિદમાં એકલા હતા, ત્યારે નકાબ પહેરીને આવેલા 3 લોકોમસ્જિદમાં ઘૂસીને અને તેમને જય શ્રી રામ બોલવા પર મજબુર કર્યા હતા. જ્યારે તેમણે જયશ્રી રામ બોલવાનો ઇન્કાર કર્યો તો તેમની સાથે મારપીટ કરવામાં આવી.

જાકીર સૈયદ ખાજા FIRમાં આરોપ લગાવ્યો છે કે, 3 લોકો તેમને મસ્જિદના એક ખુણામાં ખેંચીને લઇ ગયા હતા અને મારપીટ કરી હતી. અજ્ઞાત લોકોએ તેમને મુક્કા અને લાતાલાત પણ કરી હતી. ખાજાએ દાવો કર્યો છે કે મને બેહોશ કરી દેવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં જ્યારે હોશ આવ્યો ત્યારે મહેસુસ થયું કે 3 લોકોએ બેહોશ કરીને મારી દાઢી કાપી નાંખી હતી અને મોઢાની નીચેના ભાગે અને ચહેરા પર ઇજાના નિશાન પણ છે.

જાકીર સૈયદ ખાજાએ કહ્યું કે 3 લોકોએ તેમના ચહેરાને કાળા કપડાંથી ઢાંકેલો હતો, એટલે તેઓ તેમને ઓળખી શક્યા નથી. ખાજા, છેલ્લાં 7 વર્ષથી મસ્જિદમાં સેવા આપે છે. જાલના પોલીસે આ કેસમાં હજુ સુધી કોઇ નિવેદન જાહેર નથી કર્યું, પરંતુ પારઘ પોલીસ સ્ટેશને અજાણ્યા સામે અનેક કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. પોલીસે કલમ 295 (ધર્મનું અપમાન કરવાના ઈરાદાથી ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડવું), કલમ 452 (અનુક્રમણ), કલમ 323 (સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવા બદલ સજા), કલમ 34 (એક જ ઈરાદા સાથે એક કરતા વધુ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ કામ) જેવી કલમો લગાવી છે.

SP  અક્ષય શિંદેએ PTI સાથેની વાતચીતમાં કહ્યું છે કે, શાંતિ વ્યવસ્થા જાળવવા માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

માનખુર્દના ધારાસભ્ય અને સમાજવાદી નેતા  અબુ આઝમીએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને  પત્ર લખ્યો એ પછી રાજકારણ ગરમાયું છે. આઝમીએ ટ્વીટ કરીને લખ્યું કે, હું નાયબ મુખ્યમંત્રી પાસે માંગ કરું છું કે જાલનાના અનવા ગામમાં મસ્જિદમાં ઘુસીને મૌલાનાને મારપીટની ઘટનામાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે. મીડિયા સાથેની વાતમાં મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંતે કહ્યુ કે, આ ઘટના નિંદનીય છે. મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી કોઇ પણ આ ઘટનાને સહન કરી શકે નહી. પરંતુ જ્યારે તપાસ કરવામાં આવે, ત્યારે એ વાતની પણ તપાસ થવી જોઇએ કે શું સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે?

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.