મહારાષ્ટ્રમાં ખતરનાક એક્સિડન્ટ, ખીણમાં ખાબકી બસ, 13 લોકોના મોત, 25 ઇજાગ્રસ્ત

મહારાષ્ટ્ર રાયગઢ ખોપોલી વિસ્તારમાં એક બસ ખીણમાં પડી જવાથી 13 લોકોના મોત થઈ ગયા છે અને લગભગ 25 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા છે. રાયગઢના SPએ કહ્યું કે, ઘટનાસ્થળ પર બચાવ અભિયાન ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, જૂના મુંબઈ-પૂણે હાઇવે પર આ ભીષણ અકસ્માત થયો છે. આ હાઇવે પર બોરઘાટમાં એક પ્રાઇવેટ બસ ખીણમાં ખાબકી છે. આ બસ પુણેથી મુંબઈ જઈ રહી હતી. બસમાં કુલ 40-45 લોકો સવાર હતા. કહેવામાં આવ્યું કે, ડ્રાઈવરનું બસ પર કંટ્રોલ છૂટી જતા આ મોટો અકસ્માત થઈ ગયો.

ઘટનાસ્થળ પર રેસ્ક્યૂ ટીમ અને રાયગઢની પોલીસ પહોંચી ગઈ છે. બધા ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આ અકસ્માત પૂણે-રાયગઢ બોર્ડર પર થયો. શનિવારે સવારે કદાચ આ બસના ડ્રાઈવરનું નિયંત્રણ જતું રહ્યું અને ખીણમાં પડી ગઈ. આ બસ પૂણેના પિંપલ ગુરાવથી ગોરેગાંવ જઈ રહી હતી. અકસ્માતના સમયે બસમાં લગભગ 45 મુસાફરોમાંથી મોટા ભાગના લોકોને ઇજા પહોંચી છે.

રાયગઢના SP સોમનાથ ધાર્ગેએ મીડિયાને જણાવ્યું કે, અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ અને બચાવ અધિકારી ઘટનાસ્થળ પર પહોંચી ગયા. તાત્કાલિક જ બચવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું. જે જગ્યા પર ભીષણ અકસ્માત થયો, તેની પાસે રોડના કિનારે એમ્બ્યુલન્સ અને પોલીસ વાહન ઊભા નજરે પડ્યા.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના આર્થિક સર્વેક્ષણ 2022-23ના આંકડાઓ મુજબ, રાજ્ય દ્વારા વર્ષ 2022-23માં 33,069 રોડ દુર્ઘટનાઓની જાણકારી આપવામાં આવી છે. જેના કારણે 14,883 લોકોના મોત થયા અને 27,218 લોકો ઇજાગ્રસ્ત થયા જ્યારે તેની વિરુદ્ધ મુંબઇમાં રોડ અકસ્માતમાં ઘટાડો આવ્યો છે. ગયા વર્ષે (2021-22) મુંબઈમાં 2214 રોડ દુર્ઘટનાઓ થઈ, જેમાં 387 લોકોના મોત થયા હતા અને 1944 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા, જ્યાં મહારાષ્ટ્રમાં ગયા વર્ષની તુલનામાં રોડ અકસ્માતમાં 12 ટકાનો વધારો થયો છે, તો મુંબઇમાં 19 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

તો ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં શનિવારે થયેલા રોડ અકસ્માતમાં 6 લોકોના મોત થઈ ગયા, જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા. શ્રીવસ્તીના SP પ્રાચી સિંહે કહ્યું કે, ઇકોના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઈનોવા ગાડીની ઝાડ સાથે ટક્કર થઈ ગઈ. પોલીસે પહોંચીને ગાડીને JCBથી બહાર કાઢી. ગાડીમાં 14 લોકો સવાર હતા. આ લોકો લુધિયાણાથી આવ્યા હતા. 6 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયા. 8 લોકોને બહરાઇચ રેફર કરી દેવામાં આવી છે. આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.