ગુજરાત પોલીસ પર ગુસ્સે ભરાયા મમતા બેનર્જી, આપી ચેતવણી, બોલ્યા- આ દૂસ્સાહસ...

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા સાકેત ગોખલેની ધરપકડને લઇને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુજરાત પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સોમવારે (16 જાન્યુઆરી 2023ના રોજ) તેમણે કહ્યું કે, સાકેત ગોખલેની ધરપકડ બાદ ગુજરાત પોલીસે દિલ્હીમાં પશ્ચિમ બંગાળ સરકારના ગેસ્ટ હાઉસથી ગેરકાયદેસર રૂપે CCTV ફૂટેજ જપ્ત કરી હતી. તેમનું કહેવું છે કે આ કામમાં દિલ્હી પોલીસે ગુજરાત પોલીસની મદદ કરી હતી.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યના મુખ્ય સચિવ એચકે દ્વિવેદીને નિર્દેશ આપ્યા કે જો ભવિષ્યમાં કોઇ મંજૂરી વિના ગેસ્ટ હાઉસના પરિસરમાં પ્રવેશ કરે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મુર્શીદાબાદના સાગરદીધીમાં એક સરકારી કાર્યક્રમમાં સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, ગુજરાત પોલીસે દિલ્હી પોલીસની મદદથી નવી દિલ્હીમાં બંગા ભવનના CCTV ફૂટેજ જપ્ત કરી લીધા હતા. હું આ દૂસ્સાહસ (CCTV ફૂટેજ જપ્ત કરવા)ની નિંદા કરું છું.

બંગા ભવન બંગાળ સરકારની સંપત્તિ છે અને હું મુખ્ય સચિવને કહેવા માગીશ કે જો કોઇ મંજૂરી વિના પરિસરમાં પ્રવેશ કરે છે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, તેઓ પોતાના દિલ્હી પ્રવાસ દરમિયાન મોટા ભાગે અભિષેક બેનર્જીના ઘરે રહે છે, પરંતુ જ્યારે એકલા મુસાફરી કરે છે તો બંગાળ ભવનમાં રહે છે. બંગાળ ભવનમાં મુખ્ય ન્યાયાધીશ, રાજનેતા, રાજ્યપાલ અને પત્રકાર દરેક સમયે ત્યાં રહે છે અને ગુજરાત પોલીસે તેની બધી CCTV ફૂટેજ જપ્ત કરી છે.

તેમણે ગુજરાત પોલીસને સવાલ કરતા કહ્યું કે, તેઓ શું જાણવા માંગે છે? તેમને એમ કરવાનો અધિકાર કોણે આપ્યો? મમતા બેનર્જીએ સ્પષ્ટ રૂપે એ તારીખનો ઉલ્લેખ ન કર્યો, જે દિવસે CCTV ફૂટેજ જપ્ત કરવામાં આવી હતી, પરંતુ તેમણે કહ્યું કે, આ ઘટના સાકેત ગોખલેની ધરપકડ બાદ થઇ છે. તૃણમૂલ કોંગ્રેસના એક સામાજિક કાર્યકર્તાને ગુજરાત પોલીસે દિલ્હી પોલીસની મદદથી ધરપકડ કરી.

તેમની એક વખત રાજસ્થાનના એક એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી અને કોર્ટ દ્વારા જામીન આપ્યા બાદ તેમની ફરી બંગાળ ભવનમાં ધરપકડ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસે 29 ડિસેમ્બરના રોજ સાકેત ગોખલેને બંગાળ ભવનથી ધરપકડ કરી હતી. ગયા વર્ષે મોરબી પુલ અકસ્માતની ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોરબી પુલ અકસ્માતને લઇને તેમણે ટ્વીટ કરી હતી. આ સંબંધમાં આ તૃણમૂલ કોંગ્રેસના નેતાની ત્રીજી ધરપકડ હતી. ત્રીજી ધરપકડ બે વખત કોર્ટ દ્વારા જામીન આપ્યા બાદ થઇ.

About The Author

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.