આ મંદિરમાં ટૂંકા કપડા પહેરીને જતા નહીં, દર્શન નહીં થાય

શ્રીકૃષ્ણની નગરી મથુરા વૃંદાવનમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. લાખો લોકો અહીં રાધા-કૃષ્ણની ભક્તિથી તરબોળ થવા માટે જાય છે. આ દરમિયાન એક પોસ્ટર હાલના દિવસોમાં આખા વ્રજ ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્યું છે, જેમાં મંદિરની અંદર ફેશનેબલ (અમર્યાદિત) કપડાં પહેરીને આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મથુરાના વૃંદાવનમાં રાધા દામોદર મંદિરની અંદર અમર્યાદિત (નાના કપડાં) વસ્ત્ર પહેરીને આવનારા લોકો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ નિર્ણય સુપ્રસિદ્ધ સપ્ત દેવાલયોમાંથી એક રાધા દામોદર મંદિરના મેનેજમેન્ટ તરફથી લેવામાં આવ્યો છે, જેના માટે રીતસરનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. પોસ્ટરમાં સ્પષ્ટ લખ્યું છે કે, મંદિરમાં મર્યાદિત વસ્ત્ર જ પહેરીને જ આવો. પોસ્ટર દ્વારા મેનેજમેન્ટે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તેઓ અનુશાસિત વસ્ત્ર જ પહેરીને મંદિરમાં દર્શન કરવા માટે આવે. મંદિર તરફથી જાહેર કરવામાં આવેલા પોસ્ટરમાં 2 તસવીર બનેલી છે. તેમાંથી એક વ્યક્તિ શોર્ટ્સમાં નજરે પડે છે, જ્યારે મહિલા સ્કર્ટ પહેરીને નજરે પડે છે.

એવામાં બંને જ તસવીરને લાલ રંગથી ક્રોસ કરવામાં આવી છે. તસવીર દ્વારા મંદિરે સાંકેતિક રૂપે જણાવ્યું છે કે, આ પ્રકારના કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં મળે. તો મંદિર મેનેજમેન્ટ તરફથી એક ડ્રેસ કોડ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સનાતની સંસ્કૃતિ અનુસાર કુરતો પાયજામો, સાડી, સલવાર કમીઝ, લહેંગો ચોળી અને સાધારણ કપડાં પહેરીને રાધા દામોદર મંદિરમાં દર્શન માટે પ્રવેશ મળી શકે છે. મંદિરના ગેટ પર જ બોર્ડ દ્વારા પુરુષ અને મહિલાઓને તેમના વસ્ત્રોને લઈને અપીલ કરવામાં આવી છે. મંદિર સેવાયત દામોદર ચંદ્ર ગોસ્વામીએ કહ્યું કે, સનાતન પરંપરાની સભ્યતા ખૂબ જૂની છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના કપડાં આપણાં સનાતન ધર્મઆ પર હાવી થઈ રહ્યા છે.

તેમણે આગળ કહ્યું કે, જ્યારે ભગવાન સામે દર્શન કરવા માટે જવાનું હોય છે તો એક મર્યાદા હોય છે. તેના માટે અમે શ્રદ્ધાળુઓને નિવેદન કર્યું છે કે તેઓ મર્યાદિત કપડાં પહેરીને મંદિરમાં દર્શન કરવા માટે આવે. સાથે જ અન્ય મંદિરોના સંચાલકોને પણ અપીલ કરી છે કે તેઓ પણ આ પ્રકારના નિયમ લાગૂ કરે. એક રિપોર્ટ મુજબ અત્યારે મંદિરમાં કોઈ પણ પ્રકારના કપડાં પહેરીને આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. અત્યારે શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ મર્યાદિત કપડાં પહેરીને ભગવાનના દર્શન કરવા માટે આવે.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.