20 સીટ, આદિત્ય ઠાકરે વિરુદ્ધ MNS ઉમેદવાર, BJP સામે રાજ ઠાકરેએ રાખી દીધી માગ

લોકસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં NDA નેતૃત્વવાળા મહાયુતિ ગઠબંધનને શરત વિના સમર્થન આપ્યા બાદ રાજ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેન (MNS)એ આગામી લોકસભાની ચૂંટણીઓ માટે સંભવિત સીટ ફાળવણી પર ભાજપ સાથે વાતચીત શરૂ કરી છે. જાણકારો મુજબ, MNSએ રાજ્યમાં 20 સીટોની માગ કરી છે. MNS દ્વારા દાવો કરવામાં આવેલી મોટા ભાગની સીટો મુંબઈ અને મુંબઈ મહાનગર ક્ષેત્રથી છે.

તેમાં વર્લી, દાદર-માહિમ, સેવરી, મગાઠાણે, ડિંડોશી, જાગેશ્વરી, વર્સોવા, ઘટકોપર પશ્ચિમ, ચેમ્બુર, ઠાણે, ભિવંડી ગ્રામીણ, કલ્યાણ ગ્રામીણ, નાસિક પૂર્વ, વાણી, પંઢરપુર, ઔરંગાબાદ મધ્ય અને પૂણેની 1 સીટ સામેલ છે. MNS વર્લીમાં આદિત્ય ઠાકરે વિરુદ્ધ સંદીપ દેશપાંડેને ઉતારી શકે છે. જ્યારે નીતિન સરદેસાઈ દાદર-માહિમથી અને શાલિની ઠાકરે વર્સોવાથી ચૂંટણી લડી શકે છે. આ દરમિયાન ભાજપ આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દીધી છે.

હાલની લોકસભાની ચૂંટણીમાં જે રાજ્યોમાં ઝટકો લાગ્યો છે, તેમાં એક મહારાષ્ટ્ર પણ હતું. અહી ભાજપની સીટો 23 થી ઘટીને 9 થઈ ગઈ. તેણે પાર્ટીની અંદર જોખમની ઘટી વગાડી દીધી છે કેમ કે રાજ્યમાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે. પડકારો અને ખામીઓની ઓળખ કરવા અને તેને અનુરૂપ રણનીતિ માટે, મહારાષ્ટ્ર ભાજપે 14 જૂને મુંબઇમાં પોતાની જિલ્લા એકાઈઓના અધ્યક્ષો અને પદાધિકરીઓની એક બેઠક બોલાવી છે.

બેઠકને સંબોધિત કરનાર નેતાઓમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને મુંબઈ ભાજપ પ્રમુખ આશિષ શેલાર સામેલ હશે. 14 જૂનની બેઠકમાં ભાજપ એ બધા કારકોનું વિશ્લેષણ કરશે જેના કારણે લોકસભાની ચૂંટણીમાં તેમનું પ્રદર્શન ખરાબ રહ્યું. વિદર્ભ જેને પાર્ટીનું ગઢ માનવામાં આવે છે. ત્યાં પાર્ટીનું માનવું છે કે તેણે ખેડૂતો વચ્ચે અસંતુષ્ટિના મુદ્દાને હલ કરવો પડશે. આ ક્ષેત્રનો મુખ્ય પાક કપાસ અને સોયાબીન છે અને હાલમાં જ કિંમતોમાં ઉતાર ચઢાવે ખેડૂતોને આર્થિક રૂપે પ્રભવિત કર્યા છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 15-06-2025 દિવસ: રવિવાર મેષ:  તમારે વ્યવસાય માટે નજીક અને દૂર મુસાફરી કરવી પડી શકે છે. તમારા જીવનસાથીના સહયોગ અને...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.