ધર્મ બદલનારાઓને રિઝર્વેશનનો લાભ કેમ? ST અનામત પર મંત્રી સાહૂએ ઉઠાવ્યો સવાલ

લોકસભાના સાંસદ અને આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી તોખન સાહૂએ કહ્યું હતું કે, ‘જેમણે ધર્મ બદલી લીધો છે, તેમને ST અનામત કેમ મળવું જોઈએ? ધર્મ પરિવર્તન કરનારને ST સમુદાયનો લાભ કેમ મળવો જોઈએ? જે લોકો કોઈ વિશેષ સમુદાયમાં છે, તેને ડૉક્ટર બી.આર. આંબેડકર દ્વારા બનાવવામાં આવેલા સંવિધાન મુજબ એ સમુદાયનો લાભ મળવો જોઈએ, જેથી બધા વર્ગોને લાભ મળી શકે.

તોખન સાહૂએ કહ્યું કે, કોંગ્રેસે એક વખત દેશને ધર્મના આધાર પર ભાગલા પાડવાનું કામ કર્યું છે. હવે તેઓ જાતિ વસ્તી ગણતરીના નામ પર દેશને વિભાજિત કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, એક ઇન્ટરવ્યૂમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, છત્તીસગઢમાં અનામતનો લાભ ઉઠાવી રહેલા આદિવાસીઓના મુદ્દે તમારું શું વલણ છે? આ સવાલ પર તેમણે કહ્યું કે, હિન્દુ ધર્મ બધા ધર્મ પરિવર્તનની વાત કરતો નથી. અમે સનાતન સંસ્કૃતિને માનનાર છીએ.

તેમણે કહ્યું કે, અમે બધા ધર્મોનું સન્માન કરીએ છીએ. અમે ક્યારેય કોઈને ધર્મ પરિવર્તન કરવા કહ્યું નથી, પરંતુ કોંગ્રેસે હંમેશાં વોટ બેન્કની રાજનીતિ માટે ધર્મ પરિવર્તનને પ્રોત્સાહન આપ્યું છે. કોંગ્રેસની વસ્તી ગણતરીની માગને કોંગ્રેસ 50-60 વર્ષ સુધી સત્તામાં રહી અને તેણે જાતિગત વસ્તી ગણતરી ન કરાવી. ઇન્દિરા ગાંધીના સમયે તેમનો નારો હતો ‘ન જાતિ પર, ન પાત પર, મ્હોર લાગશે હાથ પર’. હવે જ્યારે તેમને દરેક તરફથી નકારી દેવામાં આવ્યા છે તો તેઓ જાતિગત વસ્તી ગણતરીની વાત કરી રહ્યા છે.

તોખન સાહૂએ કહ્યું કે, હવે કોંગ્રેસ જાતિગત વસ્તી ગણતરીના નામ પર દેશને વહેચવાનું ષડયંત્ર કરી રહી છે. જાતિગત વસ્તી ગણતરીની માગ ઉઠાવનારાઓએ બતાવવું જોઈએ કે તેઓ પોતે કઇ જાતિથી છે. છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારના મહાદેવ સટ્ટા એપ કેસને CBIને સોંપવાના સવાલ પર તેમણે કહ્યું કે, આ કેસ CBIને એટલે સોંપવામાં આવ્યો જેથી દોષીઓને સજા મળે. વર્ષ 2018થી લઈને વર્ષ 2023 સુધી ભૂપેશ બઘેલ સરકારે મોટા કૌભાંડ કર્યા. દારૂ, કોયલા, ગોબર, લોકસેવા આયોગ..., અહી સુધી કે આપણાં મહાદેવને પણ ન છોડ્યા.

Related Posts

Top News

શું ગુજરાતના વધુ એક ધારાસભ્ય AAP છોડવાની તૈયારીમાં છે?

વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત પછી અરવિંદ કેજરીવાલ ફુલ ફોર્મમાં છે અને અત્યારથી ગુજરાત વિધાનસભા 2027ની તૈયારી...
Gujarat 
શું ગુજરાતના વધુ એક ધારાસભ્ય AAP છોડવાની તૈયારીમાં છે?

11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?

EDએ ગુરુગ્રામ જમીન કૌભાંડમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સામે ચાજર્શીટ દાખલ કરી છે. લોકસભામાં વિપક્ષ નેતા...
National 
11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?

સચિનના ટેસ્ટ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવા જો રુટને આટલો સમય લાગશે, સમજો આખું ગણિત

ઇંગ્લેન્ડનો સ્ટાર ટેસ્ટ બેટ્સમેન જો રૂટ હાલમાં રન અને સદીઓનો વરસાદ કરી રહ્યો છે. જો રૂટે અત્યાર સુધીમાં 157 ટેસ્ટ...
Sports 
સચિનના ટેસ્ટ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવા જો રુટને આટલો સમય લાગશે, સમજો આખું ગણિત

લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ

કર્ણાટક વાણિજ્યિક કર વિભાગે એક ફૂલ વિક્રેતાને નોટિસ મોકલી છે જે લારી પર ફૂલો વેચે છે, કારણ કે અધિકારીઓને...
National 
લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.