મરાઠી ભાષા વિવાદ પર RSSનું મોટું નિવેદન, સુનિલ આંબેકર બોલ્યા- ‘બધા લોકો..’

સંઘની અખિલ ભારતીય સ્તરીય પ્રાંત પ્રચારક બેઠક પૂરી થયા બાદ દિલ્હીમાં RSSના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે એક પત્રકાર પરિષદ દરમિયાન તમામ સવાલો અને મુદ્દાઓ પર RSSનું વલણ સ્પષ્ટ કર્યું હતું. સુનિલ આંબેકરે પત્રકાર પરિષદ દરમિયાન મીડિયાના તમામ સવાલોના જવાબ પણ આપ્યા હતા.

ઓપરેશન સિંદૂર પર ચર્ચા થવાના સવાલ પર તેમણે કહ્યું કે દેશમાં બનેલી ઘટનાઓ પર ચર્ચા થઈ. કેવી રીતે આતંકની ઘટના બાદ તેનો જવાબ આપ્યો તેને લઈને ચર્ચા થઈ. ઘણા દેશોના હિન્દુ મંદિરો પર થયેલા હુમલાને લઈને ચર્ચા બાબતે વાત કરતા તેમણે કહ્યું કે બધા વિષયો પર ચર્ચા થઈ, પરંતુ આ બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Sunil-Ambekar3
forwardpress.in

ભાષા વિવાદ પર થયેલા સવાલના જવાબમાં સુનિલ આંબેકરે કહ્યું કે સંઘની હંમેશાં ભૂમિકા છે કે ભારતની બધી ભાષાઓ રાષ્ટ્રીય ભાષાઓ છે. બધા લોકો પહેલાથી જ પોતાની ભાષામાં શિક્ષણ લે છે અને આ વાત પહેલાથી જ સ્થાપિત છે. ધર્માંતરણ પર તેમણે કહ્યું કે વ્યક્તિને પોતાની રીતે પૂજા કરવાનો અધિકાર છે, પરંતુ જો કોઈ કાવતરું કરીને અથવા લાલચ આપીને કોઈનો અભિપ્રાય બદલવાનો પ્રયાસ કરે છે, તો તે ખોટું છે. સમાજ હંમેશાં તેને રોકવાનો પ્રયાસ કરે જ છે.

કોંગ્રેસ તરફથી સંઘ પર પ્રતિબંધ લગાવવાના નિવેદનો પર તેમણે કહ્યું કે સંઘ પર અગાઉ પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા અને પછી તેને પાછા લેવા પડ્યા. તે કાયદેસર રીતે યોગ્ય નહોતું, એટલે પાછો લેવો પડ્યો. ગેરકાયદેસર ઘુસણખોરોને બહાર કાઢવાના સવાલ પર તેમણે કહ્યું કે સંઘના કાર્યકરો સતત કામ કરી રહ્યા છે. અમે પહેલા પણ જાગૃતિનું કામ કર્યું છે, અમે હજુ પણ સતત કામ કરી રહ્યા છીએ.

Sunil-Ambekar1
dainiksaveratimes.com

મણિપુરની પરિસ્થિતિ અંગે તેમણે કહ્યું કે જ્યારે પણ કોઈ વિવાદ થાય છે, ત્યારે તેને સામાન્ય થવામાં સમય લાગે છે, પરંતુ ધીમે-ધીમે પરિસ્થિતિ સુધરી રહી છે. તો નક્સલીઓ સામે કાર્યવાહી અંગે તેમણે કહ્યું કે નક્સલ હિંસક ષડયંત્ર ચાલી રહ્યું હતું, સમાજમાં એવી ચર્ચા હતી કે તેનો અંત આવવો જોઈએ. લોકતંત્રમાં, લોકતાંત્રિક રીતે વાત રાખવાનો એક માર્ગ છે. સારી વાત છે નક્સલવાદ સામે કાર્યવાહી થઈ રહી છે.

સુનિલ આંબેકારે ઈમરજન્સી સિવાય સમાજવાદ અને ધર્મનિરપેક્ષતાની સમીક્ષા કરવાના સવાલ પર કહ્યું કે જેમ ઈમરજન્સી દરમિયાન જેલોમાં લોકો પર અત્યાચાર કરવામાં આવ્યો હતો, તેવી જ રીતે સંવિધાન પર પણ અત્યાચાર થયો છે. જે પરિસ્થિતિઓમાં સંવિધાનમા બદલાવ કરવામાં આવ્યો તે સારી સ્થિતિ નહોતી. તેને નવી પેઢીએ જાણવું જોઈએ.

About The Author

Top News

સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આજના સમયમાં બાળકો પર પરીક્ષા અને ભણતરનું પ્રેશર ખૂબ વધી ગયું છે. સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો...
Gujarat 
સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે; ચેતવણી...

જો તમને કોઈ અજાણ્યા વોટ્સએપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવે અને કહેવામાં આવે કે તમારા પૈસા થોડા દિવસોમાં વધી જશે...
Tech and Auto 
આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે;  ચેતવણી...

'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને તેલ પુરવઠા અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટર્વ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું...
World 
'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો

સોમવાર (14 જુલાઈ)ના રોજ, સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય...
National 
ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.