સાસુએ શૂટર પાસે કરાવી વહૂની હત્યા, કારણ જાણીને હેરાન રહી જશો

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડાથી એક મહિલાએ પોતાની જ વહૂની શૂટર પાસે હત્યા કરાવી દીધી, જ્યારે હત્યાનો ખુલાસો થયો તો પોલીસ હેરાન રહી ગઈ. પોલીસે હત્યાના આરોપીઓ સાથે મૃતિકા મહિલાની સાસુની પણ ધરપકડ કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે, સાસુએ જ વહૂની હત્યા કરાવવા માટે એક લાખ રૂપિયાની સુપારી આપી હતી. સાસુએ હત્યા પાછળના કારણો બતાવ્યા છે, જેને જાણીને તમે હેરાન રહી જશો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, નોઇડામાં ગત 5 સપ્ટેમ્બરના રોજ બાદલપુર વિસ્તારના છપરોલામાં ધોળાદિવસે ઘરમાં ઘૂસીને 27 વર્ષીય સોનીની હત્યા કરી દેવામાં આવી હતી.

જેનાથી સોનીનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું હતું. ત્યારબાદ પોલીસે CCTV ફૂટેજના આધાર પર તપાસ શરૂ કરી દીધી. જેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા. તપાસ દરમિયાન નોઇડા પોલીસને ખબર પડી કે સોનીના બે લગ્ન થયા છે. એવામાં પોલીસ પ્રેમ પ્રસંગનો મામલો સમજીને તપાસ કરવા લાગી, પરંતુ જ્યારે બંને બદમાશોની ધરપકડ કારરવામાં આવી તો એવો ખુલાસો થયો. જેને જાણીને પોલીસ પણ હેરાન રહી ગઈ. બદમાશોએ જણાવ્યું કે, મહિલાની હત્યા તેની સાસુ ગીતાના કહેવા પર કરવામાં આવી છે.

એટલું જ નહીં, પરંતુ સાસુએ 2 શાર્પ શૂટરોને એક લાખ રૂપિયા આપીને હાયર કર્યા હતા. સાસુનું નામ સામે આવ્યા બાદ પોલીસે તેની પણ ધરપકડ કરી લેવામાં આવી. આ ઘટના પર DCP સેન્ટ્રલ નોઇડા સુનીતિએ જણાવ્યું કે, સોનીની હત્યા તેના બીજા પતિ મૌસમની માતા ગીતા દેવીએ એક લાખ રૂપિયાની સુપારી આપીને કરાવવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, સોની પહેલા પતિ વિનોદથી અલગ થયા બાદ પોતાના બીજા પતિ મૌસમ સાથે રહેતી હતી, જ્યારે આ વાતની જાણકારી તેના પહેલા પતિને નહોતી.

ધરપકડ બાદ સોનીની સાસુએ જણાવ્યું કે, પહેલાથી પરિણીત હોવા છતા પણ તે મારા દીકરા સાથે રહેતી હતી. ગીતા દેવીનું કહેવું છે કે તેનો દીકરો કમાણીનો પૂરો હિસ્સો સોની અને તેની દીકરી પર ખર્ચ કરી દેતો હતો, જેના કારણે તે નિરાશ હતી. એવામાં તેણે વહૂની હત્યાનું ષડયંત્ર રચ્યું. હાલમાં બંને આરોપીઓ સાથે મૃતક મહિલાની સાસુની પોલીસે ધરપકડ કરી લીધી છે. આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.