મુસ્લિમ યુવતીએ ધર્મપરિવર્તન કરીને હિંદુ યુવક સાથે લગ્ન કર્યા, લવ સ્ટોરીમાં....

બિહારના મુઝફ્ફરપુરથી એક મુસ્લિમ યુવતી અને હિંદુ યુવકની એવી લવ સ્ટોરી સામે આવે છે, જેમાં તમામ વિવાદો જોડાઇ ચૂક્યા છે.મુસ્લિમ યુવતીએ ધર્મપરિવર્તન કરીને હિંદુ યુવક સાથે લગ્ન કરી લીધા છે, તો બીજી તરફ યુવતીના પિતાએ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. યુવતીનું કહેવું છે કે તેના પિતા, તેણીના હિંદુ પતિની હત્યા કરાવી દેવા માંગે છે. ભારે વિવાદો ઉભા થવાને કારણે આ લવ સ્ટોરી ચર્ચામાં આવી છે.

આ ઘટના મુઝફ્ફરપુરના અહિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. આ વાત ત્યારે સામે આવી જ્યારે મુઝફ્ફરપુરમાં શબાના નામની મુસ્લિમ યુવતીના અપહરણની વાત સામે આવી અને હિંદુ યુવક અભિષેકની સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી. પોલીસે યુવતી અને યુવકની શોધખોળ શરૂ કરવા માંડી એ દરમિયાન અભિષેક અને શબાનાએ દિલ્હીમાં લગ્ન કરી લીધા છે.

શબાનાએ પોતાના પરિવારજનો પર આરોપ લગાવ્યો કે તેઓ અભિષેકની હત્યા કરાવવા માંગે છે. શબાના પોતાનું નિવેદન નોંધાવવા માટે કોર્ટમાં પણ ગઇ.શબાનાએ કહ્યુ કે તે પુખ્તવયની છે પોતાની મરજીથી અભિષેક સાથે લગ્ન કર્યા છે. તેણીએ એમ પણ કહ્યુ કે, એક વર્ષ પહેલાં જ તેણે ધર્મપરિવર્તન કરી દીધું હતુ. શબાનાએ પોલીસને કહ્યું કે તે પોતાની મરજીથી ઘરેથી ભાગી હતી, કોઇએ તેનું અપહરણ કર્યું નથી.

શબાનાએ કહ્યુ કે તેના પરિવારના લોકો અભિષેક સાથે લગ્ન કરાવવામાં માટે રાજી નહોતા. અભિષેકનું ઘર અમારા ઘરની નજીક જ છે અને બંને એકબીજાને છેલ્લાં 4 વર્ષથી જાણે છે. 19 એપ્રિલે અભિષેક અને શબાનાએ લગ્ન કરી લીધા હતા. શબાનાએ કહ્યુ કે હું ઇચ્છું કે મારા પિતા અપહરણનો કેસ પાછો ખેંચી લે. હું અભિષેક સાથે રહેવા માંગુ છુ અને ખુશ છું.

શબાના અપહરણ કેસમાં મોહમંદ નૂર આલમે અભિષેક સહિત 5 લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે 7 એપ્રિલે શબાનાનું અપહરણ કરવામાં આવ્યું છે. શબાનાએ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં કહ્યું કે લગ્ન પહેલા આર્ય મંદિરમાં પોતાનો ધર્મ બદલ્યો અને અભિષેક સાથે લગ્ન કર્યા છે.

 આ કેસમાં DSPનું કહેવું છે કે યુવતીનું કોર્ટમાં 164 મુજબ નિવેદન નોંધાયું છે અને યુવક અને યુવતી બંને પુખ્ત વયના છે.

About The Author

Related Posts

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.