લેટરલ એન્ટ્રીના મુદ્દે મોદી સરકારનો યુ-ટર્ન, ભરતી કરી રદ

દેશની ઉચ્ચ નોકરીઓમાં 45 પડોની લેટરલ એન્ટ્રીથી ભરતીવાળી જાહેરાતને મોદી સરકારે રદ કરી દીધી છે. મંત્રાલયોમાં સંયુક્ત સચિવ, ઉપસચિવ અને ડિરેક્ટર પદો પર ભરતી માટે UPSCએ જ્યારે લેટરલ એન્ટ્રીની નોટિફિકેશન જાહેર કરી તો રાજકીય ગલીઓમાં તેની ગુંજ સતત સંભળાઈ રહી હતી. પહેલા વિપક્ષે તેનો વિરોધ કરતા કહ્યું હતું કે, એ બાબાસાહેબ આંબેડકરના સંવિધાનનું ઉલ્લંઘન છે કેમ કે તેમાં અનામતને નજરઅંદાજ કરી દેવામાં આવ્યું છે. તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીએ તેને અનામત ખતમ કરવાનો પ્રયાસનો કરાર આપ્યો. તો હવે NDAમાં પણ તેના વિરોધમાં અવાજ સંભળાવા લાગ્યો છે.

UPSC લેટરલ એન્ટરીને લઈને NDAમાં ફૂટ જોવા મળી રહી હતી. JDU અને LJP (રામવિલાસ) તેના વિરોધમાં આવ્યા છે તો ચંદ્રબાબુ નાયડુની TDPએ સરકારનું સમર્થન કર્યું હતું. TDPનું કહેવું હતું કે સરકારના આ નિર્ણયથી પ્રશાસનની ગુણવત્તા સુધરશે અને સામાન્ય લોકો સુધી સેવાઓ પહોંચાડવું સરળ રહેશે. મીડિયા રિપોર્ટ મુજબ, JDUના સીનિયર નેતા કે.સી. ત્યાગીએ કહ્યું હતું કે, અમારી પાર્ટી શરૂઆતથી સરકારને અનામત સીટો ભરવાની વાત કહેતી રહી છે. અમે રામ મનોહર લોહિયાને માનીએ છીએ, જ્યારે લોકોને સદીઓથી સમાજમાં પછાતપણાનો સામનો કરવો પડ્યો છે, તો તમે મેરીટ કેમ શોધી રહ્યા છો?

તેમણે વધુમાં કહ્યું હતું કે, સરકારનો આ આદેશ ગંભીર ચિંતાનો વિષય છે. આ પ્રકારના નિર્ણય લઈને સરકાર વિપક્ષને મુદ્દો આપી રહી છે, જે લોકો NDAના વિરોધી છે, તેઓ આ જાહેરાતનો દુરુપયોગ કરશે. LJP (રામવિલાસ)ના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું હતું કે, સરકારી નિમણૂકમાં અનામત જરૂરી છે. તેમાં કોઈ ફટ બટ ન હોવી જોઈએ. ખાનગી ક્ષેત્રમાં કોઈ અનામત નથી અને જો સરકારીમાં પણ એમ થવા લાગ્યું તો સમસ્યા ઉત્પન્ન થઈ જશે. પાસવાને કહ્યું કે સરકારને લોકોનો મુદ્દો ઉઠાવવાનો અધિકાર છે અને તેઓ ઉઠાવશે. અમારી પાટી આ નિર્ણયનું સમર્થન કરતી નથી.

2 પ્રમુખ પાર્ટીઓના વિરોધ વચ્ચે ત્રીજી મહત્ત્વની પાર્ટી TDPએ આ નિર્ણયનું સમર્થન કર્યું હતું. TDP મહાસચિવ નારા લોકેશે કહ્યું હતું કે, અમને લેટરલ એન્ટરીને લઈને ખુશી છે કેમ કે ઘણા મંત્રાલયોને વિશેષજ્ઞોની જરૂરિયાત છે. અમે હંમેશાં જ પ્રાઇવેટ સેક્ટરથી જાણકારોને લઈને સમર્થનમાં રહ્યા છીએ. આપણે સેક્ટરથી પણ શિખામણ લેવી જોઈએ. એટલે અમે કેન્દ્ર સરકારના આ નિર્ણયનું સમર્થન કરીએ છીએ. રાહુલ ગાંધીએ સરકારના આ નિર્ણયને દલિતો અને આદિવાસીઓના અધિકારો પર હુમલો બતાવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, ભાજપે રામ રાજ્યનું મહત્ત્વ બદલી દીધું છે અને સંવિધાનને ખતમ કરવાનું ષડયંત્ર રચી રહી છે. તો બહુજનો પાસેથી અનામત છીનવવા માગે છે. તો કોંગ્રેસ અધ્યક્ષ ખરગેએ કહ્યું હતું કે, સરકારી વિભાગોમાં ખાલી જગ્યા ભરવાની જગ્યાએ સરકાર અનામત પાછળ પડી છે. 81 ટકા સુધી કેઝ્યૂઅલ અને કોન્ટ્રાક્ટ રિક્રૂટમેન્ટને વધારી દેવામાં આવી છે. SP અને BSPએ પણ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.