પંજાબમાં નિહંગ શીખોનો પોલીસ સ્ટેશન પર હુમલો, અનેક પોલીસકર્મી ઘાયલ; હજારોની ભીડ

'વારિસ પંજાબ ડે'ના વડા અમૃતપાલ સિંહના સમર્થકોએ પંજાબના અમૃતસરમાં અજનાલા પોલીસ સ્ટેશનની બહાર તલવારો અને બંદૂકો સાથે પોલીસ બેરિકેડ તોડી નાખ્યા. અમૃતપાલના નજીકના સહયોગીની ધરપકડને લઈને હજારો લોકો ઉશ્કેરાયા હતા. આ હુમલામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

મળતી માહિતી મુજબ, અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશનની બહાર હજારો નિહંગ તલવારો અને બંદૂકો સાથે પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, અમૃતપાલ સિંહ તેમની પોતાની ધરપકડ કરાવવા ત્યાં પહોંચ્યા હતા. જેના વિરોધમાં હજારો સમર્થકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, અમૃતપાલ સિંહના નજીકના સાથી લવપ્રીત તુફાનની ધરપકડના વિરોધમાં સમર્થકો પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા. આ હુમલામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

અમૃતપાલે જ પોતાના સમર્થકોને ગુરુવારે સવારે 11 વાગ્યે અજનલા પહોંચવાનું કહ્યું હતું. આ પછી અહીં ભીડ એકઠી થઈ ગઈ. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને પોલીસ પણ સક્રિય થઈ ગઈ અને અમૃતપાલના સમર્થકો પહોંચે તે પહેલા જ તેમને ઝડપી લેવાનું શરૂ કરી દીધું. જેના કારણે વાતાવરણ ગરમાયું હતું.

હંગામાની માહિતી મળતા અમૃતપાલ પણ અજનલા પોલીસ સ્ટેશન પહોંચી ગયો. અહીં તેમણે SSP સતીન્દર સિંહ સાથે મુલાકાત કરી હતી. જે બાદ પોલીસને તુફાન સિંહને છોડવા માટે એક કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું. આ દરમિયાન સમર્થકો પોલીસ સ્ટેશનની બહાર ઉભા રહ્યા હતા.

વારિસ પંજાબ ડેના ચીફ અમૃતપાલ સિંહે કહ્યું, 'રાજકીય કારણોસર FIR નોંધવામાં આવી છે. જો તેઓ એક કલાકમાં કેસ રદ નહીં કરે, તો આગળ શું થશે તેના માટે અમે જવાબદાર રહેશું નહીં.

અમૃતપાલે સમર્થકોને સંબોધીને તેમને શાંત રહેવા કહ્યું. તે કહે છે કે, હવે અમૃતનો સંચાર પણ અહીં અને વહીર પણ અહીં થશે. બહારથી હજુ વધારે સમર્થકો આવી રહ્યા છે. સાથે જ પંજાબ સરકારને પણ ચેતવણી આપવામાં આવી છે કે, તેના સાથી તોફાનને પણ પોતાની સાથે જ લઈ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અજનલા પોલીસ સ્ટેશને વારિસ પંજાબ દે સંગઠનના વડા અમૃતપાલ સિંહ ખાલસા અને તેના સાથીઓ વિરુદ્ધ વિસ્તારના એક યુવકનું અપહરણ અને મારપીટ કરવાનો કેસ નોંધ્યો હતો. પીડિત વરિન્દરે પોલીસને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તે દરબાર સાહિબમાં દર્શન કરવા આવ્યો હતો અને ત્યારબાદ તે ભાઈ અમરીક સિંહ સાથે અજનલા કેમ્પમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યો હતો. અહીં અમૃતપાલ સિંહના સાથીઓ તેને સાથે લઈ ગયા અને જોરદાર મારપીટ કરી હતી.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.