ભારતના 3 શહેરોને મળ્યો ‘પવિત્ર શહેર’નો દરજ્જો, હવે અહીં શું-શું બદલાઈ જશે

પંજાબ સરકારે શ્રી આનંદપુર સાહિબ, તલવંડી સાબો અને અમૃતસરની જૂની વોલ્ડ સિટીને સત્તાવાર રીતે પવિત્ર શહેરો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પંજાબ વિધાનસભાએ સર્વાનુમતે આ સંદર્ભમાં એક ઠરાવ પસાર કર્યો. આ પ્રસંગ ગુરુ તેગ બહાદુરની 350મી શહીદી જયંતિનો હતો. આ અવસર પર શ્રી આનંદપુર સાહિબમાં પહેલીવાર પંજાબ વિધાનસભાનું વિશેષ સત્ર આયોજિત કરાયું હતું.

આનંદપુર સાહિબમાં પંજાબ વિધાનસભાએ આ 3 તખ્તવાળા શહેરોમાં દારૂ, માંસ અને તમાકુ સહિત તમામ પ્રકારના નશીલા પદાર્થોના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો ઠરાવ પસાર કર્યો. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દાવો કર્યો હતો કે આ નિર્ણય સંગતની લાંબા સમયથી ચાલી આવતી માગણીને પૂર્ણ કરે છે અને હવે આ શહેરોમાં સ્વચ્છતા, સુરક્ષા, વિકાસ અને ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે. ચાલો જાણીએ કે પવિત્ર શહેર જાહેર થયા બાદ શું-શું બદલાશે અને કઈ વસ્તુ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

Talwandi-Sabo2
ndtv.com

પવિત્ર શહેરોની ઘોષણા બાદ આ વિસ્તારોમાં સ્વચ્છતામાં સુધારો કરવામાં આવશે. ભીડ વ્યવસ્થાપન અને ટ્રાફિક નિયંત્રણમાં સુધારો કરવામાં આવશે. ઐતિહાસિક ગલીઓ અને ધાર્મિક માર્ગોનું બ્યુટિફિકેશન કરવામાં આવશે અને ગેરકાયદેસર ગતિવિધિઓ પર નજર રાખવા માટે તંત્ર વિકસિત કરવામાં આવશે. એટલે કે આ શહેરોને વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા પર ફોકસ રહેશે.

આ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે

પંજાબ સરકારે સ્પષ્ટતા કરી દીધું છે કે પવિત્ર શહેરોમાં હવે દારૂ, માંસાહારી વસ્તુ, તમાકુ અને માદક દ્રવ્યોના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે. ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનાર આયોજનો, પોસ્ટરો અથવા ગતિવિધિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે.

Anandpur-Sahib
newsonair.gov.in

દૈનિક જરૂરિયાત સાથે જોડાયેલી સેવાઓ જેમ કે ફળ-શાકભાજી, દૂધ, અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓ પર કોઈ પ્રકારનો પ્રતિબંધ નહીં રહે. ધાર્મિક કાર્યક્રમ, સંગતની અવરજવર અથવા સ્થાનિક રહેવાસીઓની દિનચર્યા પર કોઈ પ્રતિબંધ નહીં રહે. પરિવહન પર પણ કોઈ ચોક્કસ પ્રતિબંધ રહેશે નહીં.

ભારતમાં શહેરને પવિત્ર શહેર જાહેર કરવા માટે કોઈ ચોક્કસ કાનૂની જોગવાઈ નથી. જો કે, પ્લેસિસ ઓફ વર્સિપ એક્ટ 1991 બધા પૂજા સ્થળોના ધાર્મિક સ્વરૂપને જાળવી રાખવાની મંજૂરી આપે છે. આ મુજબ, 15 ઓગસ્ટ 1947 અગાઉ અસ્તિત્વમાં આવેલા કોઈપણ ધર્મના પૂજા સ્થળને અન્ય કોઈ ધર્મના પૂજા સ્થળમાં રૂપાંતરિત નહીં કરી શકાય.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.